સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રનું દુ:સાહસ, નજીવી બાબતે લેબર કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ


  • Published By :
  • Published Date : 2023-11-02 18:49:28

સુરતમાં ગુનાહિત પ્રવૃતિઓ ચિંતાજનક રીતે વધી રહી છે, શહેરમાં અવારનવાર ગોળીબાર, લૂંટ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરતમાં ભાજપના નેતાના પુત્રએ એક કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં ભાજપના કોર્પોર્ટેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાને એક કોન્ટ્રાક્ટર સાથે તકરાર થતાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી અને દિવ્યેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.


શું હતો સમગ્ર મામલો?


સુરત વોર્ડ 1ના કોર્પોર્રેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોર ગામ પર ફાયરિંગ કર્યું હતું. સુરતના ભેંસાણ ગામમાં ઈશ્વર કૃપા રેસિડેન્સીની સાઈટ પર કોન્ટ્રાક્ટર સાથે દિવ્યેશને તકરાર થઈ હતી, ગુસ્સે થયેલા દિવ્યેશે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભારને નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જો કે નિશાનો ચુકી જતા તે બચી ગયો હતો. ફાયરિંગની ઘટના ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ સાઇટ પર બની હતી. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મુકી આવ્યો હતો. જેને લઇને દિવ્યેશ અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ દિવ્યેશ તમામ મજુરોને અન્ય સાઈટ પરથી ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર લઇ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટર હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.


પોલીસે કરી ધરપકડ


બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયાની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અલ્પેશ ભાંભોર ની ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયા વિરુદ્ધ આઇપીસીની કલમ 307,આર્મ્સ એકટ અને એટ્રોસીટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યાં હાલ ઘટનાની વધુ તપાસ સુરત પોલીસના એસ.સી એસ.ટી સેલ ના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવતા મામાલની વધુ તપાસ એસીપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે.ભાજપ કોર્પોરેટર અજીત ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ભેસાણીયા ના પુત્ર દિવ્યેશ દ્વારા કરાયેલ ફાયરિંગની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. કહેવાય રહ્યું છે કે પિતાના હોદ્દા નો દુરુપયોગ કરી સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશે આ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા લોકોના મુખે ચર્ચાઈ રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.