સુરતમાં ભાજપ કોર્પોરેટરના પુત્રનું દુ:સાહસ, નજીવી બાબતે લેબર કોન્ટ્રાક્ટર પર કર્યું ફાયરિંગ


  • Published By :
  • Published Date : 2023-11-02 18:49:28

સુરતમાં ગુનાહિત પ્રવૃતિઓ ચિંતાજનક રીતે વધી રહી છે, શહેરમાં અવારનવાર ગોળીબાર, લૂંટ, દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. સુરતમાં ભાજપના નેતાના પુત્રએ એક કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં ભાજપના કોર્પોર્ટેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાને એક કોન્ટ્રાક્ટર સાથે તકરાર થતાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાલ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી અને દિવ્યેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.


શું હતો સમગ્ર મામલો?


સુરત વોર્ડ 1ના કોર્પોર્રેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ ભેંસાણિયાએ લેબર કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભોર ગામ પર ફાયરિંગ કર્યું હતું. સુરતના ભેંસાણ ગામમાં ઈશ્વર કૃપા રેસિડેન્સીની સાઈટ પર કોન્ટ્રાક્ટર સાથે દિવ્યેશને તકરાર થઈ હતી, ગુસ્સે થયેલા દિવ્યેશે કોન્ટ્રાક્ટર અલ્પેશ ભાંભારને નિશાન બનાવી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જો કે નિશાનો ચુકી જતા તે બચી ગયો હતો. ફાયરિંગની ઘટના ભેંસાણ રોડ પર આવેલ નિર્માણધીન ઈશ્વર કૃપા સોસાયટીના બાંધકામ સાઇટ પર બની હતી. બાંધકામ સાઇટ પર કામ પૂર્ણ થઈ જતા લેબર કોન્ટ્રાકટર પોતાના મજૂરોને અન્ય સાઇટ પર મુકી આવ્યો હતો. જેને લઇને દિવ્યેશ અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ દિવ્યેશ તમામ મજુરોને અન્ય સાઈટ પરથી ઈશ્વરકૃપા સોસાયટીની બાંધકામ સાઇટ પર લઇ આવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર અન્ય કોન્ટ્રાકટર હેઠળ બાંધકામ સાઇટ પર કામ કરે છે. જ્યાં બિલ્ડર પુત્ર અને લેબર કોન્ટ્રાકટર વચ્ચે થયેલ માથાકૂટ બાદ ફાયરિંગ કરાયું હતું.


પોલીસે કરી ધરપકડ


બનાવની જાણકારી મળતા સ્થળ પર પહોંચેલી પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયાની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અલ્પેશ ભાંભોર ની ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ પટેલ ઉર્ફે ભેસાણીયા વિરુદ્ધ આઇપીસીની કલમ 307,આર્મ્સ એકટ અને એટ્રોસીટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યાં હાલ ઘટનાની વધુ તપાસ સુરત પોલીસના એસ.સી એસ.ટી સેલ ના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવતા મામાલની વધુ તપાસ એસીપી કક્ષાના અધિકારી કરી રહ્યા છે.ભાજપ કોર્પોરેટર અજીત ઈશ્વરભાઈ પટેલ ઉર્ફે ભેસાણીયા ના પુત્ર દિવ્યેશ દ્વારા કરાયેલ ફાયરિંગની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. કહેવાય રહ્યું છે કે પિતાના હોદ્દા નો દુરુપયોગ કરી સત્તાના નશામાં ભાજપ કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશે આ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા લોકોના મુખે ચર્ચાઈ રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.