અમરેલીના મીતીયાળા ગામની ધરા ફરી ધ્રુજી, આજે સવારે ભૂકંપના બે આંચકાથી લોકો બન્યા ભયભીત


  • Published By :
  • Published Date : 2022-12-27 14:35:36

મીતીયાળા ગુજરાતનું એક ગામ એવું છે જ્યાંના લોકો ભુકંપની આંચકાના કારણે રાત્રે શાંતિથી ઉંઘી પણ શકતા નથી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં માત્ર 40 મિનિટમાં ધરતીકંપના બે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે.  મીતીયાળામાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવ્યો હતો જો કે આ ગામમાં ભૂકંપના ઝટકા કોઈ નવી વાત નથી. અવારનવાર આવતા ભૂકંપના ઝટકાથી ગામ લોકો પણ ત્રાસી ગયા છે, મિતિયાળા ગામમાં મોટાભાગના મકાનો જુના અને માટીમાંથી બનેલા હોવાથી લોકો શિયાળાની કાતિલ ઠંડીમાં પણ રાત્રે ઉંઘવા માટે મજબુર બન્યા છે.  મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. 


આજે પણ ધરા ધ્રુજી


આજે મંગળવારની સવારે મીતીયાળા ગામની ધરા ધ્રુજી હતી. સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતીકંપના આંચકાથી સ્થાનિકો ભયભીત થઈને તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળાના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક રીતે ભૂકંપના આંચકાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે. 


સિસ્મોલોજી વિભાગનું શું કહેવું છે?


મીતીયાળા ગામમાં સતત ધરતીકંપન અંગે ગુજરાત સિસ્મોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે.  મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે