અમરેલીના મીતીયાળા ગામની ધરા ફરી ધ્રુજી, આજે સવારે ભૂકંપના બે આંચકાથી લોકો બન્યા ભયભીત


  • Published By :
  • Published Date : 2022-12-27 14:35:36

મીતીયાળા ગુજરાતનું એક ગામ એવું છે જ્યાંના લોકો ભુકંપની આંચકાના કારણે રાત્રે શાંતિથી ઉંઘી પણ શકતા નથી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં માત્ર 40 મિનિટમાં ધરતીકંપના બે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે.  મીતીયાળામાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવ્યો હતો જો કે આ ગામમાં ભૂકંપના ઝટકા કોઈ નવી વાત નથી. અવારનવાર આવતા ભૂકંપના ઝટકાથી ગામ લોકો પણ ત્રાસી ગયા છે, મિતિયાળા ગામમાં મોટાભાગના મકાનો જુના અને માટીમાંથી બનેલા હોવાથી લોકો શિયાળાની કાતિલ ઠંડીમાં પણ રાત્રે ઉંઘવા માટે મજબુર બન્યા છે.  મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. 


આજે પણ ધરા ધ્રુજી


આજે મંગળવારની સવારે મીતીયાળા ગામની ધરા ધ્રુજી હતી. સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતીકંપના આંચકાથી સ્થાનિકો ભયભીત થઈને તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળાના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક રીતે ભૂકંપના આંચકાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે. 


સિસ્મોલોજી વિભાગનું શું કહેવું છે?


મીતીયાળા ગામમાં સતત ધરતીકંપન અંગે ગુજરાત સિસ્મોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે.  મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.