અમરેલીના મીતીયાળા ગામની ધરા ફરી ધ્રુજી, આજે સવારે ભૂકંપના બે આંચકાથી લોકો બન્યા ભયભીત


  • Published By :
  • Published Date : 2022-12-27 14:35:36

મીતીયાળા ગુજરાતનું એક ગામ એવું છે જ્યાંના લોકો ભુકંપની આંચકાના કારણે રાત્રે શાંતિથી ઉંઘી પણ શકતા નથી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં માત્ર 40 મિનિટમાં ધરતીકંપના બે આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ છે.  મીતીયાળામાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવ્યો હતો જો કે આ ગામમાં ભૂકંપના ઝટકા કોઈ નવી વાત નથી. અવારનવાર આવતા ભૂકંપના ઝટકાથી ગામ લોકો પણ ત્રાસી ગયા છે, મિતિયાળા ગામમાં મોટાભાગના મકાનો જુના અને માટીમાંથી બનેલા હોવાથી લોકો શિયાળાની કાતિલ ઠંડીમાં પણ રાત્રે ઉંઘવા માટે મજબુર બન્યા છે.  મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. 


આજે પણ ધરા ધ્રુજી


આજે મંગળવારની સવારે મીતીયાળા ગામની ધરા ધ્રુજી હતી. સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતીકંપના આંચકાથી સ્થાનિકો ભયભીત થઈને તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળાના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. પ્રાથમિક રીતે ભૂકંપના આંચકાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે. 


સિસ્મોલોજી વિભાગનું શું કહેવું છે?


મીતીયાળા ગામમાં સતત ધરતીકંપન અંગે ગુજરાત સિસ્મોલોજી વિભાગનું કહેવું છે કે, નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે.  મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.