ચંદ્રયાન-3ની ડિઝાઇન પોતે બનાવી હોવાનું ફેંકતો મિતુલ ત્રિવેદી સુરત પોલીસના સાણસામાં


  • Published By :
  • Published Date : 2023-08-29 18:38:07

પોતાને ISROનો વૈજ્ઞાનિક ગણાવનારા અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો ખોટો દાવો કરનારા કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કલમ 468, 471, 419, 420 મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે. મિતુલ ત્રિવેદી મામલે વિવાદ વધતા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. તપાસમાં ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે કામ કરતો નહીં હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ મિતુલ ત્રિવેદીની પોલ ખુલી ગઈ હતી. આ હકીકતના આધારે સુરત પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.


કેવી રીતે મિતુલ ત્રિવેદીનો ભાંડો ફુટ્યો?


સુરત શહેર પોલીસ કમિનશર અજય તોમરે ગત શુક્રવારે મિતુલ ત્રિવેદીને પોલીસ સમક્ષ જરૂરી દસ્તાવેજ આપવા માટે પોલીસ કમિશનર કચેરી બોલાવ્યા હતો. તેણે ઇસરો સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા હોવાનું ગાણુ ગાયુ હતું. ઇસરો જ તમને મારી હકીકત જણાવશે, તેવી વાતો પોતાના બચાવમાં કહેતા રહ્યો હતો. કમિશનર કચેરીમાં જ મીડિયાએ તેમને ઘેરી સવાલોનો મારો ચલાવ્યો હતો. તે સમયે પોતે ઈસરોનો વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાનની ડિઝાઇન પોતે તૈયાર કરી હોવાનો દાવો કરતાં ત્રિવેદીએ ત્યારે મોઢું સિવી લીધું હતું.પોલીસને આ બનાવટી વૈજ્ઞાનિકની વાતોમાં દમ નહીં લાગતા આ મુદ્દે સેવાભાવી સંસ્થા ગૌસેવા મંચના ધર્મેશ ગામીએ આપેલી અરજીના આધારે ક્રાઈમ બ્રાંચને આ બાબતમાં તપાસ સોંપી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન એક વાત એવી પણ જાણવા મળી હતી કે, મિતુલ ત્રિવેદી નામના શખ્સે પોતાને ઇસરોના વૈજ્ઞાનિક તરીકે દર્શાવવા વિઝિટિંગ કાર્ડ પણ છપાવ્યા હતાં અને લોકોને આપતો હતો.

 

પબ્લિસીટી સ્ટંટ ભારે પડ્યો


મિતુલ ત્રિવેદીએ પોતે ઈસરોનાં સાયન્ટિસ્ટ છે અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હતી તેવો દાવો કરતી ઓડિઓ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સુરતની વ્યક્તિ આવા ખગોળીય અભિયાન સાથે જોડાયેલી હોવાનું જાણીને લોકો પણ દંગ રહી ગયા હતાં. બીજા દિવસે આ પોસ્ટ અને આ વાતો ખૂબ વાયરલ થઈ હતી. જોકે, મિતુલ ત્રિવેદીનો દાવા અંગે ઇસરો અમદાવાદે મીડિયાને જણાવ્યું હતું કે આવી કોઈ વ્યક્તિ અમારી સાથે જોડાઈ નથી. આ બાબતની પુષ્ટી થયા બાદ મિતુલ ત્રિવેદીનો દાવા પોકળ હોવાની આશંકા મજબૂત થઈ હતી. લોકોએ પણ આ બનાવટી વૈજ્ઞાનિક સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે