ચંદ્રયાન-3ની ડિઝાઇન પોતે બનાવી હોવાનું ફેંકતો મિતુલ ત્રિવેદી સુરત પોલીસના સાણસામાં


  • Published By :
  • Published Date : 2023-08-29 18:38:07

પોતાને ISROનો વૈજ્ઞાનિક ગણાવનારા અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો ખોટો દાવો કરનારા કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે કલમ 468, 471, 419, 420 મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે. મિતુલ ત્રિવેદી મામલે વિવાદ વધતા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાઈ હતી. તપાસમાં ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે કામ કરતો નહીં હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ મિતુલ ત્રિવેદીની પોલ ખુલી ગઈ હતી. આ હકીકતના આધારે સુરત પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.


કેવી રીતે મિતુલ ત્રિવેદીનો ભાંડો ફુટ્યો?


સુરત શહેર પોલીસ કમિનશર અજય તોમરે ગત શુક્રવારે મિતુલ ત્રિવેદીને પોલીસ સમક્ષ જરૂરી દસ્તાવેજ આપવા માટે પોલીસ કમિશનર કચેરી બોલાવ્યા હતો. તેણે ઇસરો સાથે કોન્ટ્રાક્ટથી જોડાયેલા હોવાનું ગાણુ ગાયુ હતું. ઇસરો જ તમને મારી હકીકત જણાવશે, તેવી વાતો પોતાના બચાવમાં કહેતા રહ્યો હતો. કમિશનર કચેરીમાં જ મીડિયાએ તેમને ઘેરી સવાલોનો મારો ચલાવ્યો હતો. તે સમયે પોતે ઈસરોનો વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાનની ડિઝાઇન પોતે તૈયાર કરી હોવાનો દાવો કરતાં ત્રિવેદીએ ત્યારે મોઢું સિવી લીધું હતું.પોલીસને આ બનાવટી વૈજ્ઞાનિકની વાતોમાં દમ નહીં લાગતા આ મુદ્દે સેવાભાવી સંસ્થા ગૌસેવા મંચના ધર્મેશ ગામીએ આપેલી અરજીના આધારે ક્રાઈમ બ્રાંચને આ બાબતમાં તપાસ સોંપી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન એક વાત એવી પણ જાણવા મળી હતી કે, મિતુલ ત્રિવેદી નામના શખ્સે પોતાને ઇસરોના વૈજ્ઞાનિક તરીકે દર્શાવવા વિઝિટિંગ કાર્ડ પણ છપાવ્યા હતાં અને લોકોને આપતો હતો.

 

પબ્લિસીટી સ્ટંટ ભારે પડ્યો


મિતુલ ત્રિવેદીએ પોતે ઈસરોનાં સાયન્ટિસ્ટ છે અને ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવી હતી તેવો દાવો કરતી ઓડિઓ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. સુરતની વ્યક્તિ આવા ખગોળીય અભિયાન સાથે જોડાયેલી હોવાનું જાણીને લોકો પણ દંગ રહી ગયા હતાં. બીજા દિવસે આ પોસ્ટ અને આ વાતો ખૂબ વાયરલ થઈ હતી. જોકે, મિતુલ ત્રિવેદીનો દાવા અંગે ઇસરો અમદાવાદે મીડિયાને જણાવ્યું હતું કે આવી કોઈ વ્યક્તિ અમારી સાથે જોડાઈ નથી. આ બાબતની પુષ્ટી થયા બાદ મિતુલ ત્રિવેદીનો દાવા પોકળ હોવાની આશંકા મજબૂત થઈ હતી. લોકોએ પણ આ બનાવટી વૈજ્ઞાનિક સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી