આસામના CM હિમંતા બિસ્વા સરમાનું વિવાદાસ્પદ નિવેદન 'મોંઘા શાકભાજી માટે મિયા મુસ્લિમો જવાબદાર'


  • Published By :
  • Published Date : 2023-07-14 22:55:11

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં શાકભાજીના ઊંચા ભાવ માટે 'મિયા' મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીના ભાવ ઓછા છે. જો કે, જેમ જેમ તમે શહેરોમાં જાઓ છો તેમ તેમ કિંમતો વધે છે. તેમણે દાવો કર્યો હતો કે તમામ વિક્રેતાઓ દરો વધારી રહ્યા છે અને તેમાંના મોટાભાગના મિયાં લોકો છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ઘણા લોકો સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવા સમયે હવે હિમંતા બિસ્વા સરમાના આ નિવેદને વિવાજ સર્જ્યો છે.


શાક માર્કેટ પર  'મિયા'' મુસ્લિમોનો કબજો


હિમંતા સરમાએ કહ્યું, 'પૂર્વ બંગાળ મૂળના મુસ્લિમો આસામી લોકો કરતાં વધુ કિંમતો વસૂલી રહ્યા છે. ગુવાહાટીમાં 'મિયા' લોકોએ સ્થાનિક શાક માર્કેટ પર કબજો જમાવી લીધો છે. જો કોઈ આસામી યુવક શાકભાજી વેચતો હોય, તો તે અન્ય આસામી સાથી નાગરિકો પાસેથી મોંઘવારી કિંમતો વસૂલી શકે નહીં.'


મિયા મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢશે સરકાર


સીએમ હિમંતાએ કહ્યું, 'હું આસામી યુવાનોને આગળ આવવા વિનંતી કરું છું. હું તમને ખાતરી આપું છું કે હું શહેરમાંથી તમામ 'મિયા' મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢીશ. આસામમાં કેબથી લઈને બસ સેવાઓ સુધી, મોટાભાગના લોકો હવે મુસ્લિમ સમુદાયના આ વર્ગના છે.


કોણ છે મિયા મુસલમાન?


મિયા મુસ્લિમો સ્થળાંતરિત બંગાળી મુસ્લિમોના વંશજો છે જેઓ 20મી સદીમાં આસામના બ્રિટિશ શાસન દરમિયાન બ્રહ્મપુત્રા ખીણમાં રહેતા હતા. આ સ્થળાંતર કરનારાઓ હાલના બાંગ્લાદેશના મૈમનસિંહ, રંગપુર અને રાજશાહી વિસ્તારમાંથી આવ્યા હતા. સીએમ હિમંતાએ કહ્યું, 'અમે તાજેતરમાં જ ઈદ પર જોયું છે, ગુવાહાટીના મોટાભાગના રસ્તાઓ ખાલી હતા કારણ કે તેઓ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા.'


હિમંતા બિસ્વા સરમાએ શા માટે આપ્યું આ નિવેદન?


મુખ્યમંત્રીનું નિવેદન ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલના નિવેદન પછી આવી છે કે આસામી સમુદાય મુસ્લિમ લોકો વિના અધૂરો છે. અજમલે કહ્યું હતું કે મિયા મુસ્લિમ અને આસામી લોકો ભાઈ જેવા છે. મુસ્લિમ સમુદાય વિના રાજ્યનું કોઈ અસ્તિત્વ નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.