આસામના CM હિમંતા બિસ્વા સરમાનું વિવાદાસ્પદ નિવેદન 'મોંઘા શાકભાજી માટે મિયા મુસ્લિમો જવાબદાર'


  • Published By :
  • Published Date : 2023-07-14 22:55:11

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં શાકભાજીના ઊંચા ભાવ માટે 'મિયા' મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીના ભાવ ઓછા છે. જો કે, જેમ જેમ તમે શહેરોમાં જાઓ છો તેમ તેમ કિંમતો વધે છે. તેમણે દાવો કર્યો હતો કે તમામ વિક્રેતાઓ દરો વધારી રહ્યા છે અને તેમાંના મોટાભાગના મિયાં લોકો છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ઘણા લોકો સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવા સમયે હવે હિમંતા બિસ્વા સરમાના આ નિવેદને વિવાજ સર્જ્યો છે.


શાક માર્કેટ પર  'મિયા'' મુસ્લિમોનો કબજો


હિમંતા સરમાએ કહ્યું, 'પૂર્વ બંગાળ મૂળના મુસ્લિમો આસામી લોકો કરતાં વધુ કિંમતો વસૂલી રહ્યા છે. ગુવાહાટીમાં 'મિયા' લોકોએ સ્થાનિક શાક માર્કેટ પર કબજો જમાવી લીધો છે. જો કોઈ આસામી યુવક શાકભાજી વેચતો હોય, તો તે અન્ય આસામી સાથી નાગરિકો પાસેથી મોંઘવારી કિંમતો વસૂલી શકે નહીં.'


મિયા મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢશે સરકાર


સીએમ હિમંતાએ કહ્યું, 'હું આસામી યુવાનોને આગળ આવવા વિનંતી કરું છું. હું તમને ખાતરી આપું છું કે હું શહેરમાંથી તમામ 'મિયા' મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢીશ. આસામમાં કેબથી લઈને બસ સેવાઓ સુધી, મોટાભાગના લોકો હવે મુસ્લિમ સમુદાયના આ વર્ગના છે.


કોણ છે મિયા મુસલમાન?


મિયા મુસ્લિમો સ્થળાંતરિત બંગાળી મુસ્લિમોના વંશજો છે જેઓ 20મી સદીમાં આસામના બ્રિટિશ શાસન દરમિયાન બ્રહ્મપુત્રા ખીણમાં રહેતા હતા. આ સ્થળાંતર કરનારાઓ હાલના બાંગ્લાદેશના મૈમનસિંહ, રંગપુર અને રાજશાહી વિસ્તારમાંથી આવ્યા હતા. સીએમ હિમંતાએ કહ્યું, 'અમે તાજેતરમાં જ ઈદ પર જોયું છે, ગુવાહાટીના મોટાભાગના રસ્તાઓ ખાલી હતા કારણ કે તેઓ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા.'


હિમંતા બિસ્વા સરમાએ શા માટે આપ્યું આ નિવેદન?


મુખ્યમંત્રીનું નિવેદન ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલના નિવેદન પછી આવી છે કે આસામી સમુદાય મુસ્લિમ લોકો વિના અધૂરો છે. અજમલે કહ્યું હતું કે મિયા મુસ્લિમ અને આસામી લોકો ભાઈ જેવા છે. મુસ્લિમ સમુદાય વિના રાજ્યનું કોઈ અસ્તિત્વ નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.