આસામના CM હિમંતા બિસ્વા સરમાનું વિવાદાસ્પદ નિવેદન 'મોંઘા શાકભાજી માટે મિયા મુસ્લિમો જવાબદાર'


  • Published By :
  • Published Date : 2023-07-14 22:55:11

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં શાકભાજીના ઊંચા ભાવ માટે 'મિયા' મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીના ભાવ ઓછા છે. જો કે, જેમ જેમ તમે શહેરોમાં જાઓ છો તેમ તેમ કિંમતો વધે છે. તેમણે દાવો કર્યો હતો કે તમામ વિક્રેતાઓ દરો વધારી રહ્યા છે અને તેમાંના મોટાભાગના મિયાં લોકો છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ઘણા લોકો સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવા સમયે હવે હિમંતા બિસ્વા સરમાના આ નિવેદને વિવાજ સર્જ્યો છે.


શાક માર્કેટ પર  'મિયા'' મુસ્લિમોનો કબજો


હિમંતા સરમાએ કહ્યું, 'પૂર્વ બંગાળ મૂળના મુસ્લિમો આસામી લોકો કરતાં વધુ કિંમતો વસૂલી રહ્યા છે. ગુવાહાટીમાં 'મિયા' લોકોએ સ્થાનિક શાક માર્કેટ પર કબજો જમાવી લીધો છે. જો કોઈ આસામી યુવક શાકભાજી વેચતો હોય, તો તે અન્ય આસામી સાથી નાગરિકો પાસેથી મોંઘવારી કિંમતો વસૂલી શકે નહીં.'


મિયા મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢશે સરકાર


સીએમ હિમંતાએ કહ્યું, 'હું આસામી યુવાનોને આગળ આવવા વિનંતી કરું છું. હું તમને ખાતરી આપું છું કે હું શહેરમાંથી તમામ 'મિયા' મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢીશ. આસામમાં કેબથી લઈને બસ સેવાઓ સુધી, મોટાભાગના લોકો હવે મુસ્લિમ સમુદાયના આ વર્ગના છે.


કોણ છે મિયા મુસલમાન?


મિયા મુસ્લિમો સ્થળાંતરિત બંગાળી મુસ્લિમોના વંશજો છે જેઓ 20મી સદીમાં આસામના બ્રિટિશ શાસન દરમિયાન બ્રહ્મપુત્રા ખીણમાં રહેતા હતા. આ સ્થળાંતર કરનારાઓ હાલના બાંગ્લાદેશના મૈમનસિંહ, રંગપુર અને રાજશાહી વિસ્તારમાંથી આવ્યા હતા. સીએમ હિમંતાએ કહ્યું, 'અમે તાજેતરમાં જ ઈદ પર જોયું છે, ગુવાહાટીના મોટાભાગના રસ્તાઓ ખાલી હતા કારણ કે તેઓ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા.'


હિમંતા બિસ્વા સરમાએ શા માટે આપ્યું આ નિવેદન?


મુખ્યમંત્રીનું નિવેદન ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલના નિવેદન પછી આવી છે કે આસામી સમુદાય મુસ્લિમ લોકો વિના અધૂરો છે. અજમલે કહ્યું હતું કે મિયા મુસ્લિમ અને આસામી લોકો ભાઈ જેવા છે. મુસ્લિમ સમુદાય વિના રાજ્યનું કોઈ અસ્તિત્વ નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.