આસામના CM હિમંતા બિસ્વા સરમાનું વિવાદાસ્પદ નિવેદન 'મોંઘા શાકભાજી માટે મિયા મુસ્લિમો જવાબદાર'


  • Published By :
  • Published Date : 2023-07-14 22:55:11

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં શાકભાજીના ઊંચા ભાવ માટે 'મિયા' મુસ્લિમ સમુદાયને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શાકભાજીના ભાવ ઓછા છે. જો કે, જેમ જેમ તમે શહેરોમાં જાઓ છો તેમ તેમ કિંમતો વધે છે. તેમણે દાવો કર્યો હતો કે તમામ વિક્રેતાઓ દરો વધારી રહ્યા છે અને તેમાંના મોટાભાગના મિયાં લોકો છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં શાકભાજીના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય લોકો પરેશાન છે. ઘણા લોકો સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવા સમયે હવે હિમંતા બિસ્વા સરમાના આ નિવેદને વિવાજ સર્જ્યો છે.


શાક માર્કેટ પર  'મિયા'' મુસ્લિમોનો કબજો


હિમંતા સરમાએ કહ્યું, 'પૂર્વ બંગાળ મૂળના મુસ્લિમો આસામી લોકો કરતાં વધુ કિંમતો વસૂલી રહ્યા છે. ગુવાહાટીમાં 'મિયા' લોકોએ સ્થાનિક શાક માર્કેટ પર કબજો જમાવી લીધો છે. જો કોઈ આસામી યુવક શાકભાજી વેચતો હોય, તો તે અન્ય આસામી સાથી નાગરિકો પાસેથી મોંઘવારી કિંમતો વસૂલી શકે નહીં.'


મિયા મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢશે સરકાર


સીએમ હિમંતાએ કહ્યું, 'હું આસામી યુવાનોને આગળ આવવા વિનંતી કરું છું. હું તમને ખાતરી આપું છું કે હું શહેરમાંથી તમામ 'મિયા' મુસ્લિમ શાકભાજી વિક્રેતાઓને હાંકી કાઢીશ. આસામમાં કેબથી લઈને બસ સેવાઓ સુધી, મોટાભાગના લોકો હવે મુસ્લિમ સમુદાયના આ વર્ગના છે.


કોણ છે મિયા મુસલમાન?


મિયા મુસ્લિમો સ્થળાંતરિત બંગાળી મુસ્લિમોના વંશજો છે જેઓ 20મી સદીમાં આસામના બ્રિટિશ શાસન દરમિયાન બ્રહ્મપુત્રા ખીણમાં રહેતા હતા. આ સ્થળાંતર કરનારાઓ હાલના બાંગ્લાદેશના મૈમનસિંહ, રંગપુર અને રાજશાહી વિસ્તારમાંથી આવ્યા હતા. સીએમ હિમંતાએ કહ્યું, 'અમે તાજેતરમાં જ ઈદ પર જોયું છે, ગુવાહાટીના મોટાભાગના રસ્તાઓ ખાલી હતા કારણ કે તેઓ તહેવારની ઉજવણી કરી રહ્યા હતા.'


હિમંતા બિસ્વા સરમાએ શા માટે આપ્યું આ નિવેદન?


મુખ્યમંત્રીનું નિવેદન ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલના નિવેદન પછી આવી છે કે આસામી સમુદાય મુસ્લિમ લોકો વિના અધૂરો છે. અજમલે કહ્યું હતું કે મિયા મુસ્લિમ અને આસામી લોકો ભાઈ જેવા છે. મુસ્લિમ સમુદાય વિના રાજ્યનું કોઈ અસ્તિત્વ નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.