Mizoram: ZPMએ જીતી ​​27 બેઠકો, લાલદુહોમા બની શકે છે CM,ઝોરામથાંગાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-12-04 17:14:39

મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. લાલદુહોમાની આગેવાની હેઠળના જોરમ પીપલ્સ મૂવમેન્ટે શાનદાર પ્રદર્શન કર્યું અને 40માંથી 27 બેઠકો જીતી છે. મિઝો નેશનલ ફ્રન્ટને રાજ્યમાં મોટી હાર સાથે સત્તામાંથી દૂર થવાનો વારો આવ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટ માત્ર 10 બેઠકોમાં સમેટાઈ ગઈ છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ રાજભવનમાં રાજ્યપાલ ડો. હરિ બાબૂ કંભમપતિ સાથે મુલાકાત કરી હતી અને તેમનું રાજીનામું સોંપ્યું હતું. ઉલ્લેખનિય છે મિઝોરમમાં લાલદુહોમાની આગેવાની હેઠળની ZPM સરકાર બનાવશે. ZPM એ પૂર્વ સાંસદ લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ છ પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન છે, તેની રચના 2017માં થઈ હતી. તે ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક લઘુમતીઓના રક્ષણમાં માને છે.


ZPMના નેતા લાલદુહોમા બની શકે CM


મિઝોરમ રાજ્યમાં 1984થી ક્યારેક કોંગ્રેસ અને ક્યારેક મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ની સરકાર સત્તામાં રહી છે. આ વખતે રાજ્યના પૂર્વ IPS લાલદુહોમાના નેતૃત્વમાં રચાયેલ નવો રાજકીય પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) બહુમતીમાં આવ્યો છે. ચૂંટણી પરિણામો પછી, ZPM નેતા લાલદુહોમાનું નામ રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે હોટ ફેવરીટ મનાય છે. મુખ્ય પ્રધાનના ઉમેદવાર લાલદુહોમા તેમના મતવિસ્તાર સેરછિપ બેઠક પરથી 2,982 મતોથી જીત્યા છે.


કોણ છે ZPMના પ્રમુખ લાલદુહોમા?


ZPM પ્રમુખ લાલદુહોમા મિઝોરમના ભૂતપૂર્વ IPS અધિકારી છે. તેમણે 1972 થી 1977 સુધી મિઝોરમના મુખ્ય પ્રધાનના મુખ્ય સહાયક તરીકે કામ કર્યું છે અને હવે તેઓ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર છે. સ્નાતક થયા પછી, તેમણે ભારતીય નાગરિક સેવાઓની પરીક્ષા આપી. 1977માં આઈપીએસ બન્યા બાદ તેમણે ગોવામાં સ્ક્વોડ લીડર તરીકે કામ કર્યું. તેમની પોસ્ટિંગ દરમિયાન તેમણે દાણચોરો સામે મોટી કાર્યવાહી કરી હતી. 1982માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને તેમના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે વિશેષ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેઓ રાજીવ ગાંધીની અધ્યક્ષતામાં 1982 એશિયન ગેમ્સની આયોજન સમિતિના સચિવ પણ હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.