MLA Arjun Modhvadiyaએ કરી Amit Shah સાથે મુલાકાત, એક મુલાકાતથી ગરમાઈ ગુજરાતની રાજનીતિ


  • Published By :
  • Published Date : 2024-07-31 18:12:11

ગુજરાતની રાજનીતિમાં ફરી હલચલ થઈ છે ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ફરી ઊભી થઈ છે કારણ કે અર્જુન મોઢવાડિયા દિલ્લી દરબારમાં ગૃહ મંત્રીને મળવા ગયા. આજે દિલ્હી ખાતે અર્જુન મોઢવાડિયાએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આમ તો ધારાસભ્ય બન્યા બાદ અર્જુનભાઈની આ પહેલી મુલાકાત છે અમિત શાહ સાથે અને જ્યારે અર્જુન ભાઈ દિલ્હી પહોંચ્યા તો અનેક અટકનો શરૂ થઈ છે.

મંત્રી મંડળમાં અનેક નેતાઓને મળી શકે છે સ્થાન

થોડા સમય પહેલા અર્જુનભાઈએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ આને લઈ ટ્વીટ પણ કરી છે. ગુજરાતમાં મંત્રી મંડળની વિસ્તરણની વાત લોકસભા ચૂંટણી સમયથી થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

આ ધારાસભ્યોના નામની થઈ રહી છે ચર્ચા

એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે અને આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી.જે ચાવડાનું નામ સામે આવ્યું હતું અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમને જીત બાદ હવે મંત્રી મંડળમાં સ્થાન મળી શકે એવી સંભાવના વધી ગઈ છે અને આજની મુલાકાત બાદ પણ એ જ વાત છે કે શું અર્જુનભાઈ મંત્રી મંડળમાં આવવાની રજુઆત સાથે દિલ્હી દરબાર ગયા હતા? 


કોંગ્રેસના અનેક નેતાઓને આપવામાં આવ્યું છે સ્થાન

નવા ચહેરા તરીકે જો કોંગ્રેસના નેતાઓને સ્થાન આપે તો ભાજપમાં ડાખ થઈ શકે છે કારણ કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.જો કે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા બંને સિનિયર નેતાઓ છે. એમને સ્થાન મળી પણ શકે.. ખેર રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે એમાં કંઈ પણ થઈ શકે છે તો હવે અર્જુન ભાઈના હાથમાં ભાજપને મંત્રી મંડળમાં સ્થાન મળે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.