MLA Arjun Modhvadiyaએ કરી Amit Shah સાથે મુલાકાત, એક મુલાકાતથી ગરમાઈ ગુજરાતની રાજનીતિ


  • Published By :
  • Published Date : 2024-07-31 18:12:11

ગુજરાતની રાજનીતિમાં ફરી હલચલ થઈ છે ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ ફરી ઊભી થઈ છે કારણ કે અર્જુન મોઢવાડિયા દિલ્લી દરબારમાં ગૃહ મંત્રીને મળવા ગયા. આજે દિલ્હી ખાતે અર્જુન મોઢવાડિયાએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. આમ તો ધારાસભ્ય બન્યા બાદ અર્જુનભાઈની આ પહેલી મુલાકાત છે અમિત શાહ સાથે અને જ્યારે અર્જુન ભાઈ દિલ્હી પહોંચ્યા તો અનેક અટકનો શરૂ થઈ છે.

મંત્રી મંડળમાં અનેક નેતાઓને મળી શકે છે સ્થાન

થોડા સમય પહેલા અર્જુનભાઈએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ આને લઈ ટ્વીટ પણ કરી છે. ગુજરાતમાં મંત્રી મંડળની વિસ્તરણની વાત લોકસભા ચૂંટણી સમયથી થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે. જેમાં વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

આ ધારાસભ્યોના નામની થઈ રહી છે ચર્ચા

એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે અને આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી.જે ચાવડાનું નામ સામે આવ્યું હતું અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે અને તેમને જીત બાદ હવે મંત્રી મંડળમાં સ્થાન મળી શકે એવી સંભાવના વધી ગઈ છે અને આજની મુલાકાત બાદ પણ એ જ વાત છે કે શું અર્જુનભાઈ મંત્રી મંડળમાં આવવાની રજુઆત સાથે દિલ્હી દરબાર ગયા હતા? 


કોંગ્રેસના અનેક નેતાઓને આપવામાં આવ્યું છે સ્થાન

નવા ચહેરા તરીકે જો કોંગ્રેસના નેતાઓને સ્થાન આપે તો ભાજપમાં ડાખ થઈ શકે છે કારણ કે ભૂતકાળમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ પ્રકારનું કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ નથી.જો કે અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડા બંને સિનિયર નેતાઓ છે. એમને સ્થાન મળી પણ શકે.. ખેર રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે એમાં કંઈ પણ થઈ શકે છે તો હવે અર્જુન ભાઈના હાથમાં ભાજપને મંત્રી મંડળમાં સ્થાન મળે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.  



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .