Loksabha election: ધારાસભ્ય Chaitar Vasavaએ કરી આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત, ભાજપના આ પીઢ નેતાને આપશે ટક્કર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-08 11:19:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે ઈસુદાન ગઢવી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપને હરાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી ચૂંટણી લડશે. ત્યારે આ મામલે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડવાના છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે.  



AAP અને કોંગ્રેસ ગઠબંધન કરી લડશે લોકસસભાની ચૂંટણી 

રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહેવાની છે. એક તરફ કેન્દ્રમાં ભાજપની સરકારને હટાવવા વિપક્ષી પાર્ટી એક થઈ છે. વિપક્ષી પાર્ટી દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તેને INDIA નામ આપવામાં આવ્યું છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે, આ વખતે ગુજરાત AAPએ જાહેરાત કરી છે કે તે ગુજરાત કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને ભેગા મળી લોકસભા ચૂંટણી લડશે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 



આ સીટ પરથી ચૈતર વસાવા લડશે ચૂંટણી

AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે. નિવેદન આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તે ભરૂચની લોકસભા સીટથી ચૂંટણી લડવાના છે. જો તે ભરૂચની સીટ પરથી ચૂંટણી લડશે તો ભાજપના ચૈતર વસાવા સાથે તેમની સીધી ટક્કર થશે. છેલ્લી 6 ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે.અને  હવે ત્યાં ચૈતર વસાવા ચુંટણી લડશે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વસાવા vs વસાવાની લડાઈ વધુ રસપ્રદ બનશે. 

 

ગઠબંધન વિશે કોંગ્રેસ તરફ સામે નથી આવ્યું નિવેદન 

ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠક તો ભાજપ પાસે છે. આ ચૂંટણીમાં  કોંગ્રેસ પાસે કશું મેળવવા કે ગુમાવવા જેવું કઈ છે નહીં. આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવાની છે. તેની જાહેરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યા બાદ હવે AAPના પહેલા ઉમેદવારનું નામ સામે આવી ગયું છે. જોકે AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા વિશે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં જો બંને વચ્ચે ગઠબંધનમાં ચૂંટણી લડાશે તો ટિકિટની ફાળવણી જોવાનું રસપ્રદ રહેશે. 




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે