Loksabha election: ધારાસભ્ય Chaitar Vasavaએ કરી આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત, ભાજપના આ પીઢ નેતાને આપશે ટક્કર


  • Published By :
  • Published Date : 2023-08-08 11:19:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે ઈસુદાન ગઢવી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપને હરાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી ચૂંટણી લડશે. ત્યારે આ મામલે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડવાના છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે.  



AAP અને કોંગ્રેસ ગઠબંધન કરી લડશે લોકસસભાની ચૂંટણી 

રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહેવાની છે. એક તરફ કેન્દ્રમાં ભાજપની સરકારને હટાવવા વિપક્ષી પાર્ટી એક થઈ છે. વિપક્ષી પાર્ટી દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તેને INDIA નામ આપવામાં આવ્યું છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે, આ વખતે ગુજરાત AAPએ જાહેરાત કરી છે કે તે ગુજરાત કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને ભેગા મળી લોકસભા ચૂંટણી લડશે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 



આ સીટ પરથી ચૈતર વસાવા લડશે ચૂંટણી

AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે. નિવેદન આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તે ભરૂચની લોકસભા સીટથી ચૂંટણી લડવાના છે. જો તે ભરૂચની સીટ પરથી ચૂંટણી લડશે તો ભાજપના ચૈતર વસાવા સાથે તેમની સીધી ટક્કર થશે. છેલ્લી 6 ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે.અને  હવે ત્યાં ચૈતર વસાવા ચુંટણી લડશે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વસાવા vs વસાવાની લડાઈ વધુ રસપ્રદ બનશે. 

 

ગઠબંધન વિશે કોંગ્રેસ તરફ સામે નથી આવ્યું નિવેદન 

ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠક તો ભાજપ પાસે છે. આ ચૂંટણીમાં  કોંગ્રેસ પાસે કશું મેળવવા કે ગુમાવવા જેવું કઈ છે નહીં. આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવાની છે. તેની જાહેરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યા બાદ હવે AAPના પહેલા ઉમેદવારનું નામ સામે આવી ગયું છે. જોકે AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા વિશે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં જો બંને વચ્ચે ગઠબંધનમાં ચૂંટણી લડાશે તો ટિકિટની ફાળવણી જોવાનું રસપ્રદ રહેશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.