Loksabha election: ધારાસભ્ય Chaitar Vasavaએ કરી આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત, ભાજપના આ પીઢ નેતાને આપશે ટક્કર


  • Published By :
  • Published Date : 2023-08-08 11:19:42

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ તૈયારીઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે ઈસુદાન ગઢવી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાજપને હરાવવા માટે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી ચૂંટણી લડશે. ત્યારે આ મામલે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડવાના છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે.  



AAP અને કોંગ્રેસ ગઠબંધન કરી લડશે લોકસસભાની ચૂંટણી 

રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહેવાની છે. એક તરફ કેન્દ્રમાં ભાજપની સરકારને હટાવવા વિપક્ષી પાર્ટી એક થઈ છે. વિપક્ષી પાર્ટી દ્વારા જે ગઠબંધન કરવામાં આવ્યું છે તેને INDIA નામ આપવામાં આવ્યું છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી નજીક આવી રહી છે, આ વખતે ગુજરાત AAPએ જાહેરાત કરી છે કે તે ગુજરાત કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે અને ભેગા મળી લોકસભા ચૂંટણી લડશે. ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો આદિવાસી ચહેરો ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 



આ સીટ પરથી ચૈતર વસાવા લડશે ચૂંટણી

AAPએ લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની પુષ્ટિ કરી છે. નિવેદન આપતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તે ભરૂચની લોકસભા સીટથી ચૂંટણી લડવાના છે. જો તે ભરૂચની સીટ પરથી ચૂંટણી લડશે તો ભાજપના ચૈતર વસાવા સાથે તેમની સીધી ટક્કર થશે. છેલ્લી 6 ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે.અને  હવે ત્યાં ચૈતર વસાવા ચુંટણી લડશે. ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ વસાવા vs વસાવાની લડાઈ વધુ રસપ્રદ બનશે. 

 

ગઠબંધન વિશે કોંગ્રેસ તરફ સામે નથી આવ્યું નિવેદન 

ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં 26 એ 26 બેઠક તો ભાજપ પાસે છે. આ ચૂંટણીમાં  કોંગ્રેસ પાસે કશું મેળવવા કે ગુમાવવા જેવું કઈ છે નહીં. આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવાની છે. તેની જાહેરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ કર્યા બાદ હવે AAPના પહેલા ઉમેદવારનું નામ સામે આવી ગયું છે. જોકે AAP સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવા વિશે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોઈ નિવેદન આપ્યું નથી. ત્યારે આગામી દિવસોમાં જો બંને વચ્ચે ગઠબંધનમાં ચૂંટણી લડાશે તો ટિકિટની ફાળવણી જોવાનું રસપ્રદ રહેશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.