ખરાબ રસ્તાને લઈ MLA Chaitar Vasava લડી લેવાના મૂડમાં, રોડનું સમારકામ કરાવા આપ્યા આટલા દિવસો, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-09-09 18:52:38

થોડા સમય પહેલા રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું અને લોકો પરેશાન થયા હતા.. તે માત્ર વડોદરા નહીં પરંતુ ભરુચ અને નર્મદામાં પણ લોકોને હાલાકી પડી હતી... ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓ મુદ્દે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.. એ વખતે કહ્યું હતું કે અમે રોડ રસ્તા મુદ્દે આંદોલન કરીશું અને આજે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે... 

ગુજરાતના મોટા ભાગના રસ્તા બિસ્માર હાલતમાં!

તમે રાજ્યના કોઈપણ ખુણે જાવ પણ ખાડાઓ એટલી હદે પડ્યા છે કમરના મણકા ભાંગી જાય...આ સ્થિતિ માત્ર અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મહાનગરોમાં છે એવું નથી...  ભરૂચ- નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, રસ્તાઓ  એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. નવા નક્કોર વાહનોને ખરાબ રસ્તાઓ ભંગાર બનાવી રહ્યા છે. અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે….



ખરાબ રસ્તાને લઈ ચૈતર વસાવા મેદાને!!

રોડ પર મસમોટા ખાડા છે, તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે...પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતાં. કોઈએ આ ખાડાને પુરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી...જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે ટુ વ્હીલર, ફોર વ્હીલર ચાલકો પરેશાન થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે, ખાડાઓના કારણે અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો થયા..... તે સમયે બબાલ પણ થઈ હતી. તે બાદ આવનાર દિવસોમાં ખરાબ રસ્તાને લઈ આંદોલન કરશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. 




As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.