ખરાબ રસ્તાને લઈ MLA Chaitar Vasava લડી લેવાના મૂડમાં, રોડનું સમારકામ કરાવા આપ્યા આટલા દિવસો, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-09-09 18:52:38

થોડા સમય પહેલા રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું અને લોકો પરેશાન થયા હતા.. તે માત્ર વડોદરા નહીં પરંતુ ભરુચ અને નર્મદામાં પણ લોકોને હાલાકી પડી હતી... ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓ મુદ્દે તાલુકા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી.. એ વખતે કહ્યું હતું કે અમે રોડ રસ્તા મુદ્દે આંદોલન કરીશું અને આજે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે... 

ગુજરાતના મોટા ભાગના રસ્તા બિસ્માર હાલતમાં!

તમે રાજ્યના કોઈપણ ખુણે જાવ પણ ખાડાઓ એટલી હદે પડ્યા છે કમરના મણકા ભાંગી જાય...આ સ્થિતિ માત્ર અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મહાનગરોમાં છે એવું નથી...  ભરૂચ- નર્મદા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓના કારણે સમગ્ર ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે, રસ્તાઓ  એટલા બિસ્માર થઈ ગયા છે કે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. નવા નક્કોર વાહનોને ખરાબ રસ્તાઓ ભંગાર બનાવી રહ્યા છે. અને ટુ વ્હીલર ચાલકોની કેડ ભાંગી રહ્યા છે….



ખરાબ રસ્તાને લઈ ચૈતર વસાવા મેદાને!!

રોડ પર મસમોટા ખાડા છે, તમામ રોડ ઉબડખાબડ થઈ ગયા છે...પણ અધિકારી હોય કે પદાધિકારી તેમને આ ખાડા નજરે નથી પડતાં. કોઈએ આ ખાડાને પુરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી...જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ થઈ ગયા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે ટુ વ્હીલર, ફોર વ્હીલર ચાલકો પરેશાન થઇ રહ્યા છે, વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે, ખાડાઓના કારણે અકસ્માત થઇ રહ્યા છે. ત્યારે ભરૂચ ખાતે મુલંદ ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રસ્તા રોકો આંદોલનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવાના પ્રયાસો થયા..... તે સમયે બબાલ પણ થઈ હતી. તે બાદ આવનાર દિવસોમાં ખરાબ રસ્તાને લઈ આંદોલન કરશે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.