ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડાનું ભેજાબાજો બનાવી રહ્યા છે Social Media પર Fake એકાઉન્ટ, જાણો કોના કોના નામોનો થાય છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-12-20 14:42:42

નકલીની ભરમાર વચ્ચે હવે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ બચવું પડશે. ભેજાબાજ લોકો ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ નથી છોડી રહ્યા. ઉચ્ચ અધિકારીઓના તેમજ ધારાસભ્યોના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી લોકો આના રૂપિયા પડાવતા હોય છે. 





ભાજપના ધારાસભ્યનું બન્યું ફેક અકાઉન્ટ

સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ એ આપણા માટે કોઈ નવી વાત નથી પણ ફેક એકાઉન્ટ બનાવવા વાળા જાણે કોઈથી ડરતા જ ના હોય એમ પોલીસ વડા અને ધારાસભ્યોના એકાઉન્ટ પણ બનાવી દે છે અને પૈસાની માંગણી કરે છે. વડોદરા જિલ્લાના ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રીજી વખત નકલી ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવી દીધું જેને લઈને છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ જ ડભોઇના ધારાસભ્યએ તાત્કાલિક અસરથી તેમના ટેકેદારોને હકીકતની જાણ કરી હતી. સાથે સાથે સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશનને પણ જાણ કરી છે.



આઈપીએસ અધિકારીનું બન્યું ફેક એકાઉન્ટ 

તો બીજી તરફ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારાઓ હવે IPS અધિકારીઓના નામનો પણ ઉપયોગ કરી રહ્યા છે. જામનગરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નામથી ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને પૈસાની માગણી કરાતી હોવાની વિગતો સામે આવી છે. આ મામલો સામે આવતા ખુદ IPS અધિકારીએ પોસ્ટ કરીને લોકોને સાવધાન કર્યા છે. 


જીલ્લા પોલીસ વડાનું બન્યું નકલી આઈડી 

વડોદરા શહેરના જાણીતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક આગેવાનોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી કેટલાક ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બન્યા છે. તાજેતરમાં પણ ભાજપના એક મહિલા કોર્પોરેટરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ થયો હતો. જામનગર જીલ્લા પોલીસ વડાના નામની કોઈએ ફેક ફેસબુક આઇ ડી બનાવી છે. આ બાબત તેમના ધ્યાનમાં આવતા કોઈએ રિપ્લાય નહી આપવા જણાવ્યું છે.અને પૈસા પણ માંગવામાં આવ્યા હોવાનું સંભળાય છે.જો કે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

નકલી આઈડી બનાવી કરાઈ પૈસાની માગ 

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફત છેતરપિંડીના કિસ્સા વધી રહયા છે. જેમાં કોઈના નામનું ફેક આઈ ડી બનાવી તેના મારફત પૈસા માંગવામાં આવતા હોય છે.આવો જ એક બનાવ જામનગરમાં નોંધાયો છે. જેમાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહી પણ ખુદ જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંનાં નામનું કોઈ એ બોગસ ફેસબુક આઇ ડી બનાવી નાખ્યું છે.જેમાં પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું કહેવાય છે.


સાવધાન રહો અને સતર્ક રહો 

જો આ લોકો ips અધિકારીઓને અને ધારાસભ્યોને ના છોડતા હોય તો આપણી સાથે પણ કોઈ પણ પ્રકારે સાયબર ક્રાઇમ કરી શકે છે. એટલે જ સાવધાન રહો અને સતર્ક રહો. કારણ કે આવા ફેડ આઈડી કોઈના પણ બની શકે છે અને કોઈ પણ આની જાળમાં ફસાઈ શકે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.