ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડાનું ભેજાબાજો બનાવી રહ્યા છે Social Media પર Fake એકાઉન્ટ, જાણો કોના કોના નામોનો થાય છે સમાવેશ?


  • Published By :
  • Published Date : 2023-12-20 14:42:42

નકલીની ભરમાર વચ્ચે હવે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટથી પણ બચવું પડશે. ભેજાબાજ લોકો ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ નથી છોડી રહ્યા. ઉચ્ચ અધિકારીઓના તેમજ ધારાસભ્યોના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી લોકો આના રૂપિયા પડાવતા હોય છે. 





ભાજપના ધારાસભ્યનું બન્યું ફેક અકાઉન્ટ

સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ એ આપણા માટે કોઈ નવી વાત નથી પણ ફેક એકાઉન્ટ બનાવવા વાળા જાણે કોઈથી ડરતા જ ના હોય એમ પોલીસ વડા અને ધારાસભ્યોના એકાઉન્ટ પણ બનાવી દે છે અને પૈસાની માંગણી કરે છે. વડોદરા જિલ્લાના ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રીજી વખત નકલી ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવી દીધું જેને લઈને છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ જ ડભોઇના ધારાસભ્યએ તાત્કાલિક અસરથી તેમના ટેકેદારોને હકીકતની જાણ કરી હતી. સાથે સાથે સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશનને પણ જાણ કરી છે.



આઈપીએસ અધિકારીનું બન્યું ફેક એકાઉન્ટ 

તો બીજી તરફ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારાઓ હવે IPS અધિકારીઓના નામનો પણ ઉપયોગ કરી રહ્યા છે. જામનગરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નામથી ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને પૈસાની માગણી કરાતી હોવાની વિગતો સામે આવી છે. આ મામલો સામે આવતા ખુદ IPS અધિકારીએ પોસ્ટ કરીને લોકોને સાવધાન કર્યા છે. 


જીલ્લા પોલીસ વડાનું બન્યું નકલી આઈડી 

વડોદરા શહેરના જાણીતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક આગેવાનોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી કેટલાક ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બન્યા છે. તાજેતરમાં પણ ભાજપના એક મહિલા કોર્પોરેટરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ થયો હતો. જામનગર જીલ્લા પોલીસ વડાના નામની કોઈએ ફેક ફેસબુક આઇ ડી બનાવી છે. આ બાબત તેમના ધ્યાનમાં આવતા કોઈએ રિપ્લાય નહી આપવા જણાવ્યું છે.અને પૈસા પણ માંગવામાં આવ્યા હોવાનું સંભળાય છે.જો કે આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

નકલી આઈડી બનાવી કરાઈ પૈસાની માગ 

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા મારફત છેતરપિંડીના કિસ્સા વધી રહયા છે. જેમાં કોઈના નામનું ફેક આઈ ડી બનાવી તેના મારફત પૈસા માંગવામાં આવતા હોય છે.આવો જ એક બનાવ જામનગરમાં નોંધાયો છે. જેમાં અન્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહી પણ ખુદ જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંનાં નામનું કોઈ એ બોગસ ફેસબુક આઇ ડી બનાવી નાખ્યું છે.જેમાં પૈસા પણ માંગવામાં આવ્યા હોવા નું કહેવાય છે.


સાવધાન રહો અને સતર્ક રહો 

જો આ લોકો ips અધિકારીઓને અને ધારાસભ્યોને ના છોડતા હોય તો આપણી સાથે પણ કોઈ પણ પ્રકારે સાયબર ક્રાઇમ કરી શકે છે. એટલે જ સાવધાન રહો અને સતર્ક રહો. કારણ કે આવા ફેડ આઈડી કોઈના પણ બની શકે છે અને કોઈ પણ આની જાળમાં ફસાઈ શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.