ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ઠગવા આવેલા ત્રણ શખ્સોની ધરપકડ, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-11 20:26:50

લોભ અને લાલચમાં આવીને ભૂવાઓ કે તાંત્રીકોની વાતોમાં આવી જઈને ઠગાતા લોકોના કિસ્સા અનેક વખત સામે આવતા રહે છે. જો કે ઘણી વખત આવા ઠગ નેતાઓને પણ શીશામાં ઉતારવાના પ્રયાસો કરતા હોય છે. જામનગરના ધારાસભ્યને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા મારા ગુરુજી તત્પર છે, તેમ જણાવી એક શખ્સે ફોન કર્યા પછી રૂ.51 હજારના કવરની માગણી કરી હતી. આ શખ્સની વાતચીતથી વહેમાયેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. જામનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ ચીટર શખ્સોની અટકાયત કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


જામનગર 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને થોડા દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, પોતે એક ગુરૃજીના શિષ્ય છે અને ગુરૂજીએ તમારૂ રાજકીય પ્રમોશન પાક્કુ છે તેવા આશીર્વાદ પાઠવ્યા છે તેમ કહી વાતોની જાળ પાથરી હતી. ત્યારબાદ પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણાં ગુરુજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. બાદમાં હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા જણાવ્યું હતું. ત્યારપછી પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણા ગુરૃજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહી હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા ધારાસભ્યને જણાવ્યું હતું. તે શખ્સે એક કવરમાં રૃા.51 હજાર મૂકવાનું કહેતા ધારાસભ્યએ રૃા.101 ના  કવર મૂકીશ તેમ કહેતા આટલા મોટા સમુદાયના ધર્મગુરૃ તમને પ્રમોશન માટે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે ઓછામાં ઓછા રૃા.51 હજાર મૂકવા પડશે તેમ કહેવાતા આ ધારાસભ્યએ કોઈ ઠગ પોતાની સાથે વાત કરતો હોવાનું અનુમાન કરી આ રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૃા.21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. જો તે આટલી મોટી રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૂ. 21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું, પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. આ શખ્સની વાતચીતને પારખી ગયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી જૂનાગઢથી બોલી રહેલા અજાણ્યા શખ્સના સગડ દબાવ્યા હતા. આખરે જામનગર પોલીસે એસ.ટી. ડેપો પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉપરાંત અજાણ્યા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.


શું કહ્યું MLA દિવ્યેશ અકબરીએ?


આ પ્રકરણના અનુસંધાને  ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, જામનગર પોલીસના માર્ગદર્શન પ્રમાણે આ ચીટર સાથે ટેલીફોનીક વાતચીતના અંતે આ શખ્સોને જામનગર એસ.ટી. ડેપો પાસે બોલાવવામાં આવ્યા હતા અને આ ત્રણેય ચીટરને જામનગર પોલીસે પકડી પાડ્યા છે. જો કે, આ ચીટરોના નામ જામનગર પોલીસ દ્વારા મંગળવારની સાંજ સુધી જાહેર થયા ન હતાં. આ બનાવ અંગે એસપીને વાકેફ કરાયા હતા. તેઓએ ઉપરોક્ત વાતચીત પરથી ફોન કરનાર વ્યક્તિના સગડ મેળવવા તપાસ શરૃ કરી છે. આવી રીતે અન્ય ધારાસભ્ય કે કોઈ રાજકીય વ્યક્તિને આવા લોકો શિશામાં ન ઉતારી દે તે માટે સતર્ક રહેવું જરૃરી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી