ધારાસભ્ય દિવ્યેશ અકબરીને ઠગવા આવેલા ત્રણ શખ્સોની ધરપકડ, શું હતો સમગ્ર મામલો? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-11 20:26:50

લોભ અને લાલચમાં આવીને ભૂવાઓ કે તાંત્રીકોની વાતોમાં આવી જઈને ઠગાતા લોકોના કિસ્સા અનેક વખત સામે આવતા રહે છે. જો કે ઘણી વખત આવા ઠગ નેતાઓને પણ શીશામાં ઉતારવાના પ્રયાસો કરતા હોય છે. જામનગરના ધારાસભ્યને પ્રમોશન મળે તે માટે આશીર્વાદ આપવા મારા ગુરુજી તત્પર છે, તેમ જણાવી એક શખ્સે ફોન કર્યા પછી રૂ.51 હજારના કવરની માગણી કરી હતી. આ શખ્સની વાતચીતથી વહેમાયેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. જામનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ ચીટર શખ્સોની અટકાયત કરી હતી.


શું હતો સમગ્ર મામલો?


જામનગર 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને થોડા દિવસ પહેલા એક અજાણ્યા વ્યક્તિએ કોલ કરીને જણાવ્યું હતું કે, પોતે એક ગુરૃજીના શિષ્ય છે અને ગુરૂજીએ તમારૂ રાજકીય પ્રમોશન પાક્કુ છે તેવા આશીર્વાદ પાઠવ્યા છે તેમ કહી વાતોની જાળ પાથરી હતી. ત્યારબાદ પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણાં ગુરુજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. બાદમાં હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા જણાવ્યું હતું. ત્યારપછી પોતે અમરેલીથી બોલતો હોવાનું અને હમણા ગુરૃજી સાથે વાત કરાવું તેમ કહી આ શખ્સે આશીર્વાદ માટે વિધિ કરવી પડશે તેમ કહી હળદર સહિતની ચીજવસ્તુઓ મૂકી ત્રણ કવર તૈયાર કરવા ધારાસભ્યને જણાવ્યું હતું. તે શખ્સે એક કવરમાં રૃા.51 હજાર મૂકવાનું કહેતા ધારાસભ્યએ રૃા.101 ના  કવર મૂકીશ તેમ કહેતા આટલા મોટા સમુદાયના ધર્મગુરૃ તમને પ્રમોશન માટે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે ઓછામાં ઓછા રૃા.51 હજાર મૂકવા પડશે તેમ કહેવાતા આ ધારાસભ્યએ કોઈ ઠગ પોતાની સાથે વાત કરતો હોવાનું અનુમાન કરી આ રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૃા.21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. જો તે આટલી મોટી રકમ પોતે આપી શકે તેમ નથી તેમ કહેતા સામા છેડે રહેલા શખ્સે રૂ. 21 હજાર કવરમાં મૂકવા કહ્યું હતું, પરંતુ તે રકમ પણ આપવાની ધારાસભ્યએ ના પાડી હતી. આ શખ્સની વાતચીતને પારખી ગયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી જૂનાગઢથી બોલી રહેલા અજાણ્યા શખ્સના સગડ દબાવ્યા હતા. આખરે જામનગર પોલીસે એસ.ટી. ડેપો પાસેથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઉપરાંત અજાણ્યા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે.


શું કહ્યું MLA દિવ્યેશ અકબરીએ?


આ પ્રકરણના અનુસંધાને  ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, જામનગર પોલીસના માર્ગદર્શન પ્રમાણે આ ચીટર સાથે ટેલીફોનીક વાતચીતના અંતે આ શખ્સોને જામનગર એસ.ટી. ડેપો પાસે બોલાવવામાં આવ્યા હતા અને આ ત્રણેય ચીટરને જામનગર પોલીસે પકડી પાડ્યા છે. જો કે, આ ચીટરોના નામ જામનગર પોલીસ દ્વારા મંગળવારની સાંજ સુધી જાહેર થયા ન હતાં. આ બનાવ અંગે એસપીને વાકેફ કરાયા હતા. તેઓએ ઉપરોક્ત વાતચીત પરથી ફોન કરનાર વ્યક્તિના સગડ મેળવવા તપાસ શરૃ કરી છે. આવી રીતે અન્ય ધારાસભ્ય કે કોઈ રાજકીય વ્યક્તિને આવા લોકો શિશામાં ન ઉતારી દે તે માટે સતર્ક રહેવું જરૃરી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે