MLA ફતેસિંહ ચૌહાણે ખૈલૈયાઓને ગરબામાં તિલકની કરી અપીલ, શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-10-08 15:02:12

રાજ્યમાં નવરાત્રી મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, મા આધ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રીમાં વિધર્મી યુવકોના પ્રવેશને રોકવા માટે દરેક માટે તિલકનો નિયમ બનાવવામાં આવ્યો છે. વિવિધ શહેરોમાં ગરબા આયાજકો દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકોએ ગરબા સ્થળે 'નો તિલક, નો એન્ટ્રી'નો નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકો અને હિંદુ સંગઠનો બાદ હવે આ તિલક નિર્ણયને ધારાસભ્યોનું પણ સમર્થન સાંપડ્યું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) બાદ હવે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ મુદ્દે નિવેદન આપ્યું છે.


ફતેસિંહ ચૌહાણે ખેલૈયાઓને કરી આ અપીલ 


કાલોલના ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે કે નવરાત્રીમાં ગરબા માટે આવતા તમામ લોકો તિલક કરીને આવે. તેઓએ હિન્દુ સનાતન ધર્મની રીત અનુસરવાની અપીલ કરી છે. ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલતમાં સનાતન ધર્મ વિશે ટીકા-ટિપ્પણી થઈ રહી છે. વિશ્વમાં નિજ સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહતો. આપણે એ પરંપરા જાળવી રાખવાની છે. દરેક સનાતની હિન્દુઓએ નવરાત્રીમાં અવશ્ય તિલક કરીને આવવું. 


Image

તિલકનું હિંદુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ-ડભોઈના MLA શૈલેષ મહેતા 


આ અગાઉ ડભોઈના ધારાસભ્ય  શૈલેષ મહેતા (સોટ્ટા)એ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આગામી 15મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. દર્ભાવતી એટલે કે ડભોઈમાં નવરાત્રીનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. 12-15 હજાર યુવા યુવતીઓ ગરબે ઘુમતા હોય છે. ડભોઈમાં એકમાત્ર મોટા ગરબા APMC ગ્રાઉન્ડ પર હોય છે. ડભોઇની આજુબાજુનાં યુવક-યુવતીઓ આ ગરબામાં રમવા માટે આવતાં હોય છે. ધારાસભ્ય  શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, દર વખતે અમારી જાહેરાત હોય છે અને અમે કહેતા હોઈએ છીએ કે ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું. યુવતીઓએ ચણીયાચોરી પહેરીને આવવું અને યુવકોએ ફરજિયાત ઝભ્ભો પહેરીને રમવા આવવું. જે યુવાનો અહીં આવે છે તેમણે ફરજિયાત તિલક કરીને આવવું જોઈએ. વર્ષોથી આ પ્રણાલી દર્ભાવતીમાં રહેલી છે. અનેકવાર વિવાદો થયા છે ત્યારે આ એક પ્રણાલી અપનાવવા જેવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તિલકનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. ભગવાનની ભક્તિ અને પૂજા કરતા હોઈએ ત્યારે તિલક અવશ્ય લગાવવું જોઈએ. લગ્ન હોય કે યજ્ઞ કે પૂજા હોય ત્યારે બ્રાહ્મણો તિલક કરાવતા હોય છે, આ પણ એક યજ્ઞ છે, જેથી આ ભક્તિમાં તિલક કરવું આવશ્યક છે. તેથી યુવાઓ ખાસ તિલક લગાવીને આવે એવી હું વિનંતી કરું છું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.