MLA ફતેસિંહ ચૌહાણે ખૈલૈયાઓને ગરબામાં તિલકની કરી અપીલ, શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-10-08 15:02:12

રાજ્યમાં નવરાત્રી મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, મા આધ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રીમાં વિધર્મી યુવકોના પ્રવેશને રોકવા માટે દરેક માટે તિલકનો નિયમ બનાવવામાં આવ્યો છે. વિવિધ શહેરોમાં ગરબા આયાજકો દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકોએ ગરબા સ્થળે 'નો તિલક, નો એન્ટ્રી'નો નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકો અને હિંદુ સંગઠનો બાદ હવે આ તિલક નિર્ણયને ધારાસભ્યોનું પણ સમર્થન સાંપડ્યું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) બાદ હવે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ મુદ્દે નિવેદન આપ્યું છે.


ફતેસિંહ ચૌહાણે ખેલૈયાઓને કરી આ અપીલ 


કાલોલના ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે કે નવરાત્રીમાં ગરબા માટે આવતા તમામ લોકો તિલક કરીને આવે. તેઓએ હિન્દુ સનાતન ધર્મની રીત અનુસરવાની અપીલ કરી છે. ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલતમાં સનાતન ધર્મ વિશે ટીકા-ટિપ્પણી થઈ રહી છે. વિશ્વમાં નિજ સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહતો. આપણે એ પરંપરા જાળવી રાખવાની છે. દરેક સનાતની હિન્દુઓએ નવરાત્રીમાં અવશ્ય તિલક કરીને આવવું. 


Image

તિલકનું હિંદુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ-ડભોઈના MLA શૈલેષ મહેતા 


આ અગાઉ ડભોઈના ધારાસભ્ય  શૈલેષ મહેતા (સોટ્ટા)એ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આગામી 15મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. દર્ભાવતી એટલે કે ડભોઈમાં નવરાત્રીનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. 12-15 હજાર યુવા યુવતીઓ ગરબે ઘુમતા હોય છે. ડભોઈમાં એકમાત્ર મોટા ગરબા APMC ગ્રાઉન્ડ પર હોય છે. ડભોઇની આજુબાજુનાં યુવક-યુવતીઓ આ ગરબામાં રમવા માટે આવતાં હોય છે. ધારાસભ્ય  શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, દર વખતે અમારી જાહેરાત હોય છે અને અમે કહેતા હોઈએ છીએ કે ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું. યુવતીઓએ ચણીયાચોરી પહેરીને આવવું અને યુવકોએ ફરજિયાત ઝભ્ભો પહેરીને રમવા આવવું. જે યુવાનો અહીં આવે છે તેમણે ફરજિયાત તિલક કરીને આવવું જોઈએ. વર્ષોથી આ પ્રણાલી દર્ભાવતીમાં રહેલી છે. અનેકવાર વિવાદો થયા છે ત્યારે આ એક પ્રણાલી અપનાવવા જેવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તિલકનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. ભગવાનની ભક્તિ અને પૂજા કરતા હોઈએ ત્યારે તિલક અવશ્ય લગાવવું જોઈએ. લગ્ન હોય કે યજ્ઞ કે પૂજા હોય ત્યારે બ્રાહ્મણો તિલક કરાવતા હોય છે, આ પણ એક યજ્ઞ છે, જેથી આ ભક્તિમાં તિલક કરવું આવશ્યક છે. તેથી યુવાઓ ખાસ તિલક લગાવીને આવે એવી હું વિનંતી કરું છું.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.