MLA ફતેસિંહ ચૌહાણે ખૈલૈયાઓને ગરબામાં તિલકની કરી અપીલ, શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-10-08 15:02:12

રાજ્યમાં નવરાત્રી મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, મા આધ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રીમાં વિધર્મી યુવકોના પ્રવેશને રોકવા માટે દરેક માટે તિલકનો નિયમ બનાવવામાં આવ્યો છે. વિવિધ શહેરોમાં ગરબા આયાજકો દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકોએ ગરબા સ્થળે 'નો તિલક, નો એન્ટ્રી'નો નિયમ બનાવવામાં આવ્યો છે. ગરબા આયોજકો અને હિંદુ સંગઠનો બાદ હવે આ તિલક નિર્ણયને ધારાસભ્યોનું પણ સમર્થન સાંપડ્યું છે. ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) બાદ હવે પંચમહાલ જિલ્લાના કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ મુદ્દે નિવેદન આપ્યું છે.


ફતેસિંહ ચૌહાણે ખેલૈયાઓને કરી આ અપીલ 


કાલોલના ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારના લોકો અને ગરબા આયોજકોને અપીલ કરી છે કે નવરાત્રીમાં ગરબા માટે આવતા તમામ લોકો તિલક કરીને આવે. તેઓએ હિન્દુ સનાતન ધર્મની રીત અનુસરવાની અપીલ કરી છે. ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, હાલતમાં સનાતન ધર્મ વિશે ટીકા-ટિપ્પણી થઈ રહી છે. વિશ્વમાં નિજ સનાતન ધર્મ સિવાય કોઈ ધર્મ નહતો. આપણે એ પરંપરા જાળવી રાખવાની છે. દરેક સનાતની હિન્દુઓએ નવરાત્રીમાં અવશ્ય તિલક કરીને આવવું. 


Image

તિલકનું હિંદુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ-ડભોઈના MLA શૈલેષ મહેતા 


આ અગાઉ ડભોઈના ધારાસભ્ય  શૈલેષ મહેતા (સોટ્ટા)એ પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આગામી 15મી ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. દર્ભાવતી એટલે કે ડભોઈમાં નવરાત્રીનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. 12-15 હજાર યુવા યુવતીઓ ગરબે ઘુમતા હોય છે. ડભોઈમાં એકમાત્ર મોટા ગરબા APMC ગ્રાઉન્ડ પર હોય છે. ડભોઇની આજુબાજુનાં યુવક-યુવતીઓ આ ગરબામાં રમવા માટે આવતાં હોય છે. ધારાસભ્ય  શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, દર વખતે અમારી જાહેરાત હોય છે અને અમે કહેતા હોઈએ છીએ કે ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું. યુવતીઓએ ચણીયાચોરી પહેરીને આવવું અને યુવકોએ ફરજિયાત ઝભ્ભો પહેરીને રમવા આવવું. જે યુવાનો અહીં આવે છે તેમણે ફરજિયાત તિલક કરીને આવવું જોઈએ. વર્ષોથી આ પ્રણાલી દર્ભાવતીમાં રહેલી છે. અનેકવાર વિવાદો થયા છે ત્યારે આ એક પ્રણાલી અપનાવવા જેવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તિલકનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે. ભગવાનની ભક્તિ અને પૂજા કરતા હોઈએ ત્યારે તિલક અવશ્ય લગાવવું જોઈએ. લગ્ન હોય કે યજ્ઞ કે પૂજા હોય ત્યારે બ્રાહ્મણો તિલક કરાવતા હોય છે, આ પણ એક યજ્ઞ છે, જેથી આ ભક્તિમાં તિલક કરવું આવશ્યક છે. તેથી યુવાઓ ખાસ તિલક લગાવીને આવે એવી હું વિનંતી કરું છું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.