પ્રાંતિજના MLA ગજેન્દ્રસિંહ પરમારની થઈ શકે છે ધરપકડ, હાઈકોર્ટે ફગાવી જામીન અરજી, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-04-20 14:10:24

ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને અને હાલના પ્રાંતિજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે, ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.


ગજેન્દ્રસિંહ પરમાર સહિત 4 સામે નોંધાઈ હતી ફરિયાદ


ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, ગુનાની ગંભીરતાને જોઇને જામીન ના આપી શકાય. હવે રાજસ્થાન પોલીસ ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કારમાં સગીરા સાથે અડપલાં બાદ જબરદસ્તીનો પ્રયાસ કરવાના ગુનામાં પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ભાજપ MLA ગજેન્દ્રસિંહ પરમાર ઉપરાંત સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત 4 સામે આબુ રોડ ખાતે સગીરાની છેડતીનો ગુનો પૉક્સો એક્ટ હેઠળ રાજસ્થાનના સિરોહીમાં નોંધાયો હતો. 


સમગ્ર ઘટના શું હતી?


ગજેન્દ્રસિંહ સામે ફરિયાદ નોધાવનારી મહિલા અને તેમની પુત્રી કે જે સગીરા છે, તેમને આરોપી ગજેન્દ્રસિંહની ગાડીમાં ફરવા માટે જેસલમેર જઈ રહ્યા હતા. રાતના લગભગ 12 કલાકે હિલક્રિસ્ટ હોટલ પાસે,દાનવાવ, આબુ રોડ સામે ફરિયાદીનો જીવ ગભરાવવા લાગ્યો અને તે ગાડીની બહાર આવી ગઈ અને ઘણા સમય સુધી બહાર જ બેઠી રહી. ફરિયાદીને ઉલટી થવા લાગી અને ત્યારબાદ ફરિયાદી જ્યારે ગાડીમાં પાછી બેસવા ગઈ ત્યારે તેની પુત્રી ગાડીમાંથી બહાર આવીને રડવા લાગી. તેમણે પુત્રીને રડવાનું કારણ પૂછ્યું તો તેણીએ કહ્યું કે મારે આ લોકોની સાથે નથી જવું અને કહ્યું આપણે ઘરે જઈએ. આ વાતને લઈ ફરિયાદીએ ગજેન્દ્રસિંહ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ ફરિયાદી મહિલા અને તેમની પુત્રી ફરવા ન ગયા અને પોતાના ઘરે અમદાવાદ પરત ફર્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે