ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લગ્ન પ્રસંગોમાં DJ પર પ્રતિબંઘ લગાવવાની કરી માગ, જાણો શા માટે આવું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-05-12 14:24:10

બનાસકાંઠાની વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરી એક વખત લગ્ન પ્રસંગોમાં બોલાવવામાં આવતા ડીજે પર પ્રતિબંઘ લગાવવાની માગ કરી છે. ભાભરના ઈન્દ્રરવા ગામમાં યોજાયેલા એક સામાજીક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરી છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનના સમાજના લોકોમાં અને  અગ્રણીઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.  


માતા-પિતા દિકરા-દિકરીને સમજાવે: ગેનીબેન


ગેનીબેન ઠાકોરે સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે સમાજના દીકરા દીકરીઓને ડીજે વગર લગ્ન નથી કરવા. આ પ્રકારના લગ્ન કરનાર સમાજના દીકરા દીકરીઓ સામે ગેનીબેને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડીજે વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતા દીકરા દીકરીઓને માતા-પિતાએ સમજાવવા જોઈએ તેવી શીખ મા- બાપને પણ આપી હતી.


DJ પર પ્રતિબંધ શા માટે?


ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, DJના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. જેને લઈ હવે DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડનારાઓને સમજાવવાના હોય. તેમણે કહ્યું કે ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ડીજેમાં દિલથી નાચગાન કરી લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. અને ડીજેના તાલે ઝુમતા હોય છે. યુવાનો ને લગ્નમાં ડીજે ન હોય તો લગ્નની મજા માણવાનું ફિકુ લાગતું હોય છે. સમાજના દીકરા-દીકરીઓ DJ વિના લગ્ન નથી કરતા તો હવે સમાજે પણ લગ્નમા DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.  ડીજે હવે સામાજિક દૂષણ છે એવો સંદેશ પોતાના હાલના આ નવા નિવેદનથી ગેનીબેને આપ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.