મધ્યાહન ભોજન યોજના પાછળ સરકાર કેટલો ખર્ચ કરે છે? MLA ગેનીબેન ઠાકોરના સવાલનો સરકારે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-21 18:21:16

વિધાનસભામાં ચાલી રહ્યા બજેટ સત્રમાં ધારાસભ્યો વિવિધ સવાલો પૂછી સરકારની કામગીરી અંગે જાણકારી મેળવતા હોય છે. જેમ કે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી ભોજનનો કેટલો ખર્ચ ચૂકવવામાં આવે છે તે અંગે સવાલ કર્યો હતો.


સરકાર કેટલો ખર્ચ કરે છે?


ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં શિક્ષણમંત્રીને પુછ્યું કે તારીખ 31-12-22ની સ્થિતીએ રાજ્યમાં ધોરણ-1થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અન્વયે પ્રતિ બાળક ભોજનનો કેટલો ખર્ચ સરકાર ચૂકવે છે? તથા ખર્ચના દરમાં છેલ્લે  ક્યારે અને કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે?


સરકારે આપ્યો આ જવાબ


ગેની બેનના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જણાવ્યું કે યોજના અન્વયે ધોરણ -1થી ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે દૈનિક રૂ. 5.50 અને ધોરણ-6થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 7.72 કુકિંગ કોસ્ટ (ભોજન ખર્ચ) સરકારે મંજુર કર્યો છે. વળી સરકારે આ દરમાં તા. 11-05-2020થી ધોરણ-1થી ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.54 અને ધોરણ-6થી ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.76નો વધારો કરવામાં આવેલ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.