મધ્યાહન ભોજન યોજના પાછળ સરકાર કેટલો ખર્ચ કરે છે? MLA ગેનીબેન ઠાકોરના સવાલનો સરકારે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-21 18:21:16

વિધાનસભામાં ચાલી રહ્યા બજેટ સત્રમાં ધારાસભ્યો વિવિધ સવાલો પૂછી સરકારની કામગીરી અંગે જાણકારી મેળવતા હોય છે. જેમ કે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી ભોજનનો કેટલો ખર્ચ ચૂકવવામાં આવે છે તે અંગે સવાલ કર્યો હતો.


સરકાર કેટલો ખર્ચ કરે છે?


ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં શિક્ષણમંત્રીને પુછ્યું કે તારીખ 31-12-22ની સ્થિતીએ રાજ્યમાં ધોરણ-1થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અન્વયે પ્રતિ બાળક ભોજનનો કેટલો ખર્ચ સરકાર ચૂકવે છે? તથા ખર્ચના દરમાં છેલ્લે  ક્યારે અને કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે?


સરકારે આપ્યો આ જવાબ


ગેની બેનના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જણાવ્યું કે યોજના અન્વયે ધોરણ -1થી ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે દૈનિક રૂ. 5.50 અને ધોરણ-6થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 7.72 કુકિંગ કોસ્ટ (ભોજન ખર્ચ) સરકારે મંજુર કર્યો છે. વળી સરકારે આ દરમાં તા. 11-05-2020થી ધોરણ-1થી ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.54 અને ધોરણ-6થી ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.76નો વધારો કરવામાં આવેલ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે