મધ્યાહન ભોજન યોજના પાછળ સરકાર કેટલો ખર્ચ કરે છે? MLA ગેનીબેન ઠાકોરના સવાલનો સરકારે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-03-21 18:21:16

વિધાનસભામાં ચાલી રહ્યા બજેટ સત્રમાં ધારાસભ્યો વિવિધ સવાલો પૂછી સરકારની કામગીરી અંગે જાણકારી મેળવતા હોય છે. જેમ કે આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રતિ વિદ્યાર્થી ભોજનનો કેટલો ખર્ચ ચૂકવવામાં આવે છે તે અંગે સવાલ કર્યો હતો.


સરકાર કેટલો ખર્ચ કરે છે?


ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં શિક્ષણમંત્રીને પુછ્યું કે તારીખ 31-12-22ની સ્થિતીએ રાજ્યમાં ધોરણ-1થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના અન્વયે પ્રતિ બાળક ભોજનનો કેટલો ખર્ચ સરકાર ચૂકવે છે? તથા ખર્ચના દરમાં છેલ્લે  ક્યારે અને કેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે?


સરકારે આપ્યો આ જવાબ


ગેની બેનના સવાલનો જવાબ આપતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જણાવ્યું કે યોજના અન્વયે ધોરણ -1થી ધોરણ-5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે દૈનિક રૂ. 5.50 અને ધોરણ-6થી ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 7.72 કુકિંગ કોસ્ટ (ભોજન ખર્ચ) સરકારે મંજુર કર્યો છે. વળી સરકારે આ દરમાં તા. 11-05-2020થી ધોરણ-1થી ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.54 અને ધોરણ-6થી ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે દૈનિક રૂ. 0.76નો વધારો કરવામાં આવેલ છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.