ખરાબ રસ્તાને લઈ MLA એક્શનમાં, Vadodaraનાં વાઘોડિયાનાં MLAએ અધિકારીને ઘચકાવ્યા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-21 12:59:13

ખરાબ રોડ રસ્તાના દ્રશ્યો જોવા જાણે સામાન્ય બની ગયું છે. શહેર હોય કે ગામડું દરેક જગ્યા પર રસ્તાની પરિસ્થિતિ આવી જ છે. અનેક જગ્યાઓ પર રોડને સુધારવાનું કામ, રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે તે વાત સારી છે પરંતુ સમારકામ થઈ ગયા પછી રસ્તો કેટલો ટકશે તેની જાણ નથી હોતી. કરોડોના ખર્ચે રસ્તો બનાવવામાં આવે છે, તેની પાછળ સમારકામ કરવામાં આવે છે પરંતુ થોડા મહિનાઓ પછી પરિસ્થિતિ પહેલા જેવી જ. રસ્તા પર ડામર દેખાઈ આવે છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્યએ અધિકારીઓને અલ્ટીમેટમ આપ્યું છે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા 

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અકસ્માત પાછળના અનેક કારણો હોય છે પરંતુ તેમાંથી એક કારણ હોય છે ખરાબ રસ્તાનું. ખરાબ રસ્તાને કારણે અનેક વખત ગાડી સ્લીપ થઈ જતી હોય છે અને અકસ્માત સર્જાય છે. અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ધારાસભ્ય સાઈટની ઓચિંતી મુલાકાત લેતા હોય છે. વ્યવસ્થિત કામ કરવા માટે સૂચના આપતા હોય છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે અધિકારીઓને ખખડાવી રહ્યા છે. 

   


જો બે દિવસમાં કામ શરૂ નહીં થાય તો... 

વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગઈકાલે કોન્ટ્રાકટર અને અધિકારીનો ઉધડો લીધો હતો.રોડના કામમાં વિલંબને લઈ  ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 2 દિવસમાં કામ ચાલુ કરવા માટેનું અલ્ટિમેટમ આપી દીધું છે. સાથે એવું પણ કહે છે કે કામ ચાલુ નહીં થાય તો રોડ પર દોડાવીશ.સાથે જ  MLAએ કહ્યું કે, આ રોડ પર અકસ્માતમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે, કોન્ટ્રાક્ટરના પાપે લોકો જીવ ગુમાવે તે ચલાવી ન લેવાય. 

કામમાં વિલંબ થતા ધારાસભ્ય રોષે ભરાયા! 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં દેખાય છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રોડ કામમાં થયેલા વિલંબને લઈ રોષે ભરાયા હતા. કામમાં વિલંબ થતા તેમણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉઘડો લીધો હતો. જ્યાં તેમણે કોન્ટ્રાક્ટરને કહ્યું કે, તમે અત્યારેને અત્યારે લખીને આપી દો. એક કલાકમાં લખીને આપશે, આવા ઉંધા જવાબો સાંભળીને ધારાસભ્ય ગુસ્સે થયા અને પછી કોન્ટ્રાકટરને કહી દીધું કે આવું કામ કરીશ તો બ્લેક લિસ્ટમાં નાખી દઈશ. 



અનેક બ્લેક લિસ્ટેડ કંપનીને આપવામાં આવે છે કોન્ટ્રાક્ટ

મહત્વનું છે કે અનેક એવી કંપનીઓને હજી પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે બ્લેક લિસ્ટમાં હોય. જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ જ્યારે તપાસ થાય છે ત્યારે ખબર પડે છે કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કંપની તો બ્લેક લિસ્ટેટ છે!




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.