MLA કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં ખેડૂત આગેવાન પર લાફા ઝીંકાતા હોબાળો, Vedio વાયરલ


  • Published By :
  • Published Date : 2023-08-07 22:20:55

જગતનો તાત કહેવાતો ખેડૂત કુદરતનો માર તો હંમેશા ખાતો જ હોય છે પરંતુ હમણા હમણા નવો ટ્રેન્ડ શરૂ થયો લાગે છે. જો કે હવે તો દેશના ખેડૂતને નેતાઓનો માર પણ ખાવો પડે છે. બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થકે કેશાજી ચૌહાણના ઉપસ્થિતિમાં જોરદાર લાફા ઝીંકી દીધા હતા. ઝાપટ પડતાની સાથે જ ખેડૂત બોલી ઉઠ્યો હતો કે ખેડૂતો માટે માગણી કરી એટલે નેતાના ચમચાએ આવું કર્યું, હું ભાજપનો ગુલામ નથી.  ખેડૂતોની વાત મૂકતા અને મુદ્દા ઉઠાવતા અમરાભાઈ ચૌધરી સાથે થયેલા આવા ગેરવર્તન અંગે જાણીને સૌએ આઘાતની લાગણી અનુભવી છે. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને ઉપરા છાપરી લાફા ઝીંકતા હોય તેવો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. 


ખેડૂત આગેવાનની કરાઈ બેઈજ્જતી


બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની આગેવાનીમાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય, તેમના સમર્થકો, ખેડૂતો અને ખેતીવાડીના અનેક અધિકારીઓ હાજર હતા. ધારાસભ્ય હાજર હોવાના કારણે ખેડૂતોની વ્યથા ઠાલવવા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી ખેડૂતોના પ્રશ્નો લઈ પહોંચ્યા હતા. ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીની વાત તો કોઈએ સાંભળી જ નહીં પણ ધારાસભ્ય કેશાજી ચૌહાણના એક સમર્થકે તેમને સટાસટ જોરદાર તમાચા મારતા કાર્યક્રમમાં હાજર લોકો સન્ન રહી ગયા હતા. બનાવ બાદ અમરાભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે હું ભાજપનો ગુલામ નથી.


ખેડૂતોમાં રોષ

 

ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને લાફો ઝીંકવાની ઘટના બાદ દિયોદર પંથકમાં હાહાકાર મચી ગયો છે. આ સમગ્ર મામલે કાર્યક્રમમાં હાજર લોકોનું કહેવું છે કે ઘટના બની તે વખતે ધારાસભ્ય કેશાજી ચૌહાણ ટગર ટગર જોતા રહ્યાં પરંતુ તેઓ એક શબ્દ પણ ન બોલ્યા હતા. જેને લઈ ધારાસભ્ય પ્રત્ય કેટલાક લોકોમાં રોષ ભભૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ આવે છે અને રજૂઆત કરવા આવેલા ખેડૂતને કહે છે કે, જ્યારે સાહેબ ગામમાં મિટિંગ કરે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઉભો થઈ બોલે છે. આ ઘટના બાદ હુમલો કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે, હવે જોવાનું એ છે કે પોલીસ આ દિશામાં કેટલી ઈમાનદારીથી કામ કરે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.