લાફાકાંડ બાદ MLA કેશાજી ચૌહાણની પહેલી વખત આવી પ્રતિક્રિયા, પોતાના બચાવમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-14 18:18:00

બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં લાફાકાંડનો ભોગ બનેલા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા આયોજીત ન્યાય યાત્રા આજે મહેસાણા પહોંચી છે. આ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત ભાઈ પટેલ તથા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે લાફાકાંડ મુદ્દે ખુલાસો કરતા તેમણે આ ઘટના માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ઠરાવ્યા હતા. કેશાજી ચૌહાણ અને સંસદ સભ્ય પરબત ભાઈ પટેલે કોંગ્રેસ અને આપ પર વર્ગ વિગ્રહનો આરોપ લગાવ્યો હતો. 


શું કહ્યું કેશાજી ચૌહાણે?


લાંફા કાંડની ઘટના મુદ્દે પહેલી વખત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે મો ખોલ્યું હતું. તેમણે પોતાનો બચાવ કરતા આ લાફા કાંડને બે લોકોની અંગત બબાલ ગણાવી હતી. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. ધારાસભ્ય કેશાજીએ વર્ગ વિગ્રહની રાજનિતી બે બિલાડી અને વાંદરાની વાર્તા કહીંને સમજાવી હતી. કેશાજીએ દિયોદર તાલુકામાંથી જ્ઞાતિવાદ ઉખાડીને ફેંકી દીધો હોવાનો પણ દાવો કર્યો હતો.


સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો


થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંસદ સભ્ય કેશાજી ચૌહાણનું સમર્થન કરતા કહ્યું કે આ બે લોકોનો અંગત મામલો હતો. આ ઝગડામાં કેશાજીને સંડોવવાની કાવતરૂ રચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બે જાતિ વચ્ચે નહીં પણ અણસમજનો ઝગડો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ઝગડાનો રાજકીય લાભ લેવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે બે જણાના ઝગડાના કારણે ધારાસભ્ય શા માટે રાજીનામું આપે? તેમણે લોકોને કોંગ્રેસ અને આપની રાજનિતીથી નહીં ભરમાવાની પણ સલાહ આપી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.