લાફાકાંડ બાદ MLA કેશાજી ચૌહાણની પહેલી વખત આવી પ્રતિક્રિયા, પોતાના બચાવમાં શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-14 18:18:00

બનાસકાંઠાના દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણના કાર્યક્રમમાં લાફાકાંડનો ભોગ બનેલા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી દ્વારા આયોજીત ન્યાય યાત્રા આજે મહેસાણા પહોંચી છે. આ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત ભાઈ પટેલ તથા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે લાફાકાંડ મુદ્દે ખુલાસો કરતા તેમણે આ ઘટના માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ઠરાવ્યા હતા. કેશાજી ચૌહાણ અને સંસદ સભ્ય પરબત ભાઈ પટેલે કોંગ્રેસ અને આપ પર વર્ગ વિગ્રહનો આરોપ લગાવ્યો હતો. 


શું કહ્યું કેશાજી ચૌહાણે?


લાંફા કાંડની ઘટના મુદ્દે પહેલી વખત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે મો ખોલ્યું હતું. તેમણે પોતાનો બચાવ કરતા આ લાફા કાંડને બે લોકોની અંગત બબાલ ગણાવી હતી. તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે આ બંને પક્ષો બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ સમાજ મારા માટે ભગવાન સમાન છે. ધારાસભ્ય કેશાજીએ વર્ગ વિગ્રહની રાજનિતી બે બિલાડી અને વાંદરાની વાર્તા કહીંને સમજાવી હતી. કેશાજીએ દિયોદર તાલુકામાંથી જ્ઞાતિવાદ ઉખાડીને ફેંકી દીધો હોવાનો પણ દાવો કર્યો હતો.


સાંસદ પરબત પટેલે પણ કેશાજીનો બચાવ કર્યો


થરાદ તાલુકાના જેતડા ગામની સરકારી માધ્યમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સંસદ સભ્ય કેશાજી ચૌહાણનું સમર્થન કરતા કહ્યું કે આ બે લોકોનો અંગત મામલો હતો. આ ઝગડામાં કેશાજીને સંડોવવાની કાવતરૂ રચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બે જાતિ વચ્ચે નહીં પણ અણસમજનો ઝગડો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ઝગડાનો રાજકીય લાભ લેવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે બે જણાના ઝગડાના કારણે ધારાસભ્ય શા માટે રાજીનામું આપે? તેમણે લોકોને કોંગ્રેસ અને આપની રાજનિતીથી નહીં ભરમાવાની પણ સલાહ આપી હતી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે