ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે MLA કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:29:59

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળી છે. જો કે ભાજપે ચૂંટણી વખત લોકોને જે વચનો આપ્યા હતા તે હવે ભૂલાઈ રહ્યા છે. સદનસિબે ભાજપના જ એક ધારાસભ્યે પાર્ટીને તેના ચૂંટણી વચનો યાદ કરાવ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનેને પત્ર લખી ખેડૂતોની સમસ્યાઓને લઈ અંગે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કિરીટ પટેલે તેમના પત્રમાં દિવસે વીજળી આપવા માટે માગ કરી છે.


ખેડૂતોના  હિતમાં કિરીટ પટેલે CMને લખ્યો પત્ર


ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને વ્યથા વર્ણવી હતી. કિરીટ પટેલે પત્રમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ કિસાન સૂર્યોદય યોજનાની શરુઆત કરી તો પાટણ જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો હતો અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી હતી. પરંતુ આજે પાટણ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળીના બદલે રાત્રે 8 થી 4 વાગ્યા સુધી અને 12થી સવારે 8 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. અત્યારે શિયાળાની ઠંડી છે ખેડૂતો રાત્રે ખેતી કરી શકતા નથી અને પાણીનો બગાડ થાય છે. 


ખેડૂતોએ કરી હતી રજુઆત 


રાજ્યમાં ખેડૂતોને ઠંડીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને કાતિલ ઠંડીવાતા રાત્રીના ઘોર અંધકારમાં પિયત માટે ખેતરોમાં જવું પડે છે. રવિ પાકોના સિંચાઈ માટે ટ્યુબવેલ પર રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી. મોટાભાગના ગામોમાં દિવસના બદલે રાત્રે સિંચાઈ માટે વીજળી આપવામાં આવી રહી છે. રાત્રે જાનવરોનો પણ ભારે ત્રાસ હોય છે, વળી રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવાનો ભય સતાવે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.