ખેડૂતોની સમસ્યાઓ મુદ્દે MLA કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-01-19 13:29:59

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળી છે. જો કે ભાજપે ચૂંટણી વખત લોકોને જે વચનો આપ્યા હતા તે હવે ભૂલાઈ રહ્યા છે. સદનસિબે ભાજપના જ એક ધારાસભ્યે પાર્ટીને તેના ચૂંટણી વચનો યાદ કરાવ્યા છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનેને પત્ર લખી ખેડૂતોની સમસ્યાઓને લઈ અંગે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કિરીટ પટેલે તેમના પત્રમાં દિવસે વીજળી આપવા માટે માગ કરી છે.


ખેડૂતોના  હિતમાં કિરીટ પટેલે CMને લખ્યો પત્ર


ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને વ્યથા વર્ણવી હતી. કિરીટ પટેલે પત્રમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ કિસાન સૂર્યોદય યોજનાની શરુઆત કરી તો પાટણ જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો હતો અને ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી હતી. પરંતુ આજે પાટણ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળીના બદલે રાત્રે 8 થી 4 વાગ્યા સુધી અને 12થી સવારે 8 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે. અત્યારે શિયાળાની ઠંડી છે ખેડૂતો રાત્રે ખેતી કરી શકતા નથી અને પાણીનો બગાડ થાય છે. 


ખેડૂતોએ કરી હતી રજુઆત 


રાજ્યમાં ખેડૂતોને ઠંડીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને કાતિલ ઠંડીવાતા રાત્રીના ઘોર અંધકારમાં પિયત માટે ખેતરોમાં જવું પડે છે. રવિ પાકોના સિંચાઈ માટે ટ્યુબવેલ પર રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી. મોટાભાગના ગામોમાં દિવસના બદલે રાત્રે સિંચાઈ માટે વીજળી આપવામાં આવી રહી છે. રાત્રે જાનવરોનો પણ ભારે ત્રાસ હોય છે, વળી રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવાનો ભય સતાવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.