MLA Kumar Kananiના Surat ટ્રાફિક-પોલીસ પર ગંભીર આક્ષેપ, પોલીસ કમિશનરને લખ્યો પત્ર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 10:41:51

પોલીસની કામગીરી અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. તોડ કરવાની બાબતને લઈ અનેક વખત પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવે છે. અનેક લોકોને આની ફરિયાદ હોય છે. ત્યારે સુરતની ટ્રાફિક પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે પણ આ વખતે ટ્રાફિક પોલીસને ચર્ચામાં લાવનાર મેહુલ બોઘરા નહીં પણ એક ધારાસભ્ય છે જેમણે આક્ષેપો કર્યા છે કે ટ્રાફિક વિભાગની ક્રેન તોડબાજી કરે છે. 

કુમાર કાનાણી અલગ અલગ વિષયોને લઈ લખતા હોય છે પત્ર!

વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને અલગ-અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે. કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરજસ્ત વાતો પણ થતી હોય છે. આ વખતે ફરી એક વખત કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાજની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે.આ ધારાસભ્ય એ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેન નંબર-1 દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજી કરવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે.


જો આપણે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરીએ છીએ તો.....

સોશિયલ મીડિયામાં એક જોક ફરતો થયો હતો કે સૌથી ફાસ્ટ કામ હોય ને તો આ ક્રેન વાળાઓનું વાહન મુકીયે ને તરત ઉઠાવી લે..આપણે જયારે આપણું વાહન નો પાર્કિંગમાં મુકતા હોઈએ છીએ ત્યારે આ ક્રેન આવે છે અને ક્રેન માં રહેલા માણસો તરત જ વાહન ઉપાડીને ક્રેનમાં મૂકી દે છે. પછી શું...પોલીસને ઘણા લોકો સાથે ઘર્ષણ પણ થતા હોય છે અને ઘણી વાર વહીવટ પણ થતા હોય છે... 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.