MLA Kumar Kananiના Surat ટ્રાફિક-પોલીસ પર ગંભીર આક્ષેપ, પોલીસ કમિશનરને લખ્યો પત્ર!


  • Published By :
  • Published Date : 2024-02-02 10:41:51

પોલીસની કામગીરી અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. તોડ કરવાની બાબતને લઈ અનેક વખત પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવે છે. અનેક લોકોને આની ફરિયાદ હોય છે. ત્યારે સુરતની ટ્રાફિક પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે પણ આ વખતે ટ્રાફિક પોલીસને ચર્ચામાં લાવનાર મેહુલ બોઘરા નહીં પણ એક ધારાસભ્ય છે જેમણે આક્ષેપો કર્યા છે કે ટ્રાફિક વિભાગની ક્રેન તોડબાજી કરે છે. 

કુમાર કાનાણી અલગ અલગ વિષયોને લઈ લખતા હોય છે પત્ર!

વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને અલગ-અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે. કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરજસ્ત વાતો પણ થતી હોય છે. આ વખતે ફરી એક વખત કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાજની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે.આ ધારાસભ્ય એ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેન નંબર-1 દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજી કરવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે.


જો આપણે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરીએ છીએ તો.....

સોશિયલ મીડિયામાં એક જોક ફરતો થયો હતો કે સૌથી ફાસ્ટ કામ હોય ને તો આ ક્રેન વાળાઓનું વાહન મુકીયે ને તરત ઉઠાવી લે..આપણે જયારે આપણું વાહન નો પાર્કિંગમાં મુકતા હોઈએ છીએ ત્યારે આ ક્રેન આવે છે અને ક્રેન માં રહેલા માણસો તરત જ વાહન ઉપાડીને ક્રેનમાં મૂકી દે છે. પછી શું...પોલીસને ઘણા લોકો સાથે ઘર્ષણ પણ થતા હોય છે અને ઘણી વાર વહીવટ પણ થતા હોય છે... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.