MLA Kumar Kananiના Surat ટ્રાફિક-પોલીસ પર ગંભીર આક્ષેપ, પોલીસ કમિશનરને લખ્યો પત્ર!


  • Published By :
  • Published Date : 2024-02-02 10:41:51

પોલીસની કામગીરી અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. તોડ કરવાની બાબતને લઈ અનેક વખત પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવે છે. અનેક લોકોને આની ફરિયાદ હોય છે. ત્યારે સુરતની ટ્રાફિક પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે પણ આ વખતે ટ્રાફિક પોલીસને ચર્ચામાં લાવનાર મેહુલ બોઘરા નહીં પણ એક ધારાસભ્ય છે જેમણે આક્ષેપો કર્યા છે કે ટ્રાફિક વિભાગની ક્રેન તોડબાજી કરે છે. 

કુમાર કાનાણી અલગ અલગ વિષયોને લઈ લખતા હોય છે પત્ર!

વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને અલગ-અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે. કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરજસ્ત વાતો પણ થતી હોય છે. આ વખતે ફરી એક વખત કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાજની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે.આ ધારાસભ્ય એ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેન નંબર-1 દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજી કરવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે.


જો આપણે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરીએ છીએ તો.....

સોશિયલ મીડિયામાં એક જોક ફરતો થયો હતો કે સૌથી ફાસ્ટ કામ હોય ને તો આ ક્રેન વાળાઓનું વાહન મુકીયે ને તરત ઉઠાવી લે..આપણે જયારે આપણું વાહન નો પાર્કિંગમાં મુકતા હોઈએ છીએ ત્યારે આ ક્રેન આવે છે અને ક્રેન માં રહેલા માણસો તરત જ વાહન ઉપાડીને ક્રેનમાં મૂકી દે છે. પછી શું...પોલીસને ઘણા લોકો સાથે ઘર્ષણ પણ થતા હોય છે અને ઘણી વાર વહીવટ પણ થતા હોય છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.