વરસાદ બાદ ગુજરાતના રસ્તાઓની બિસ્માર હાલત, જ્યાં જુઓ ત્યાં ખાડારાજ, સમસ્યાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2024-08-30 16:03:18

વડોદરા, સુરત, જામનગર, રાજકોટ અને દ્વારકા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે... પણ તમામ શહેરોમાં પ્રશાસનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી ચૂક્યા છે.... તમે રાજ્યના કોઈપણ શહેરમાં જાવ કમર તૂટે એટલા ખાડા તમને જોવા મળશે.... રસ્તા પરથી પસાર થતો દરેક નાગરિક એ ડર સાથે ત્યાંથી નીકળતો હશે કે ન કરે નારાયણને અહીંયા જો ભૂવો પડ્યો તો ક્યાંક આખા ગરકાવ ન થઈ જઈએ... એ ભરોસો નથી કે સલામત રહીશું... કેમ કે એ દ્રશ્યો રોજ જોઈએ છીએ...... હવે તો ભાજપના ધારાસભ્યો પણ સરકારને ચીમકીઓ આપી રહ્યાં છે... 


ખાડાઓથી શહેરીજનો બન્યા ત્રસ્ત!

વાત કરવી છે સુરતની.... આમ તો આખા રાજ્યમાં રસ્તા બાબતે એક સાંધો ત્યાં 13 તુટે એવી સ્થિતિ છે... હાલત સુરતમાં પણ એવી જ છે... છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે હેરાન-પરેશાન ખરાબ રસ્તાઓના કારણે થયા છે... એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આ્યા છે.. જ્યાં અલગ -અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય પણ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે, બમણો સમય રસ્તો પસાર કરવામાં જઈ રહ્યો છે... સુરતના ખાડારાજના ત્રાસના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે... 



સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યો પત્ર

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર સરકારને લખ્યો છે... કુમાર કાનાણીએ એ પત્રમાં લખ્યું છે કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ન કરી શકે તેવી અસહ્ય રીતે ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે... અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભુ થયું છે...જે સહન કરી શકાય તેમ નથી... ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે... તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે... પરંતુ 60 સેકન્ડે સિગ્નલ ખુલે તો ખઆડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી... થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્ન બંધ થઈ જાય છે.. તેના કારણે ટ્રાફિક પણ અસહ્ય થાય છે... અને સિગ્નલોનો હેતુ પણ રહેતો નથી...



બે દિવસમાં ખાડા પૂરવા કરી માગ!

લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.. છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટી પ્રશાસન મુર્છા અવસ્થામાં છે.. ઉઘીં રહ્યું છે... જે ખુબ જ દુઃખદ બાબત છે... તો યુદ્ધના ધોરણે રિપેર કરવા મારી માંગણી છે. ધારાસભ્ય કુમાર કાણાનીએ આ પત્ર વિશે લખ્યું કે, મ્યુ.કમિશનરનું અધિકારીઓ સાંભળતા નથી. મ્યુ.કમિશનરની બેદરકારી, સંકલનનો અભાવ અહીં જોવા મળી રહ્યો છે. બે દિવસની અંદર ખાડા પૂરવા કહ્યું છે. નહિ ખાડા પુરાય તો હું આગળનો કાર્યક્રમ આપીશ. ખાડા તો પુરવા જ પડશે. મ્યુ.કમિશનર પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરી શક્તા નથી.


કુમાર કાનાણી અનેક વખત લખી ચૂક્યા છે પત્ર!

કુમાર કાનાણી સતત સરકાર સામે પ્રજાના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે. તેઓ સરકાર અને સરકારી અધિકારીઓ સામે બેફામ બોલતા હોય છે. આ પહેલા તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાના ભાજપના ભરતી મેળા પર સવાલો કર્યા હતા. તો આરોગ્ય વિભાગને ભેળસેળ રોકવા માટે રજૂઆત કરી હતી. પ્રજાના પ્રતિનિધિ પ્રજા માટે અવાજ ઉઠાવે એ સારી વાત છે... આવકારદાયક પણ છે પણ મહત્વનો સવાલ એ છે કે બહેરી સરકારના કાનમાં કે ઉંઘતા પ્રશાસનની આંખો કેમ જાગૃત અવસ્થામાં નથી આવતી... રાજ્યના પ્રશાસનમાં અધિકારીઓ એટલી હદે આળસમાં પરવાર્યા છે કે,ઉભા થઈને કામ કરવાનું ભુલાય જ ગયું છે... કુમાર કાનાણીએ માંગ તો કરી છે કે રસ્તા રિપેર કરો.. પણ જોવાનું એ રહેશે મહાનગરપાલિકાના કાન અને આંખ હવે ક્યારે ખુલે છે?



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.