લ્યો બોલો! MLA મહેન્દ્ર પાડલીયાને ખોબલે-ખોબલે મત આપીને ધોરાજીના લોકો પસ્તાઈ રહ્યા છે, આવી રીતે વ્યક્ત કર્યો આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-07-05 15:11:17

ભાજપ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગ્યો છે, વિવિધ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે. ભાજપ લોકસભા 2024માં નવી રેકોર્ડ જીત નોંધાવવા માગે છે, પણ ગુજરાતમાં સ્થાનિક લોકો ધારાસભ્યોના કામકાજથી ભારે અસંતોષ ધરાવે છે. જેમ કે ધોરાજી વિધાન સભા બેઠકના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો તેમના જ મત વિસ્તારમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના અગ્રણી લલીત વસોયાને હરાવનારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી લોકોએ જબરદસ્ત આક્રોશ દર્શાવ્યો છે. 


શા માટે પોસ્ટરો લાગ્યા?


ધોરાજીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા છેલ્લા ઘણા સમયથી ગુમ છે તેવા પોસ્ટરો સ્થાનિક દ્વારા લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાજીના રસ્તા પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયા છે ઠેર ઠેર મોટા મોટા ગાબડાં પડી ગયા છે, આવા તુટેલા રોડ રસ્તાને લઇને શહેરીજનોએ આવા પૉસ્ટર લગાવીને રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને ખોબલે ખોબલે મત આપ્યા બાદ ગાયબ થઇ ગયેલા ધારાસભ્ય પાડલીયાને પ્રજા શોધી રહી છે એવો પૉસ્ટરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજીના કેટલાય વિસ્તારોમાં આવા પૉસ્ટર લગાવીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. લોકોને બિસ્માર રોડ રસ્તાંથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતાં ચૂંટાયેલા ધારાસભ્યના પેટનું પાણ પણ હલતું નથી આ જાણીને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.