લ્યો બોલો! MLA મહેન્દ્ર પાડલીયાને ખોબલે-ખોબલે મત આપીને ધોરાજીના લોકો પસ્તાઈ રહ્યા છે, આવી રીતે વ્યક્ત કર્યો આક્રોશ


  • Published By :
  • Published Date : 2023-07-05 15:11:17

ભાજપ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગ્યો છે, વિવિધ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે. ભાજપ લોકસભા 2024માં નવી રેકોર્ડ જીત નોંધાવવા માગે છે, પણ ગુજરાતમાં સ્થાનિક લોકો ધારાસભ્યોના કામકાજથી ભારે અસંતોષ ધરાવે છે. જેમ કે ધોરાજી વિધાન સભા બેઠકના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાનો તેમના જ મત વિસ્તારમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ધોરાજી બેઠક પરથી કોંગ્રેસના અગ્રણી લલીત વસોયાને હરાવનારા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગુમ થયા હોવાના પોસ્ટર લગાવી લોકોએ જબરદસ્ત આક્રોશ દર્શાવ્યો છે. 


શા માટે પોસ્ટરો લાગ્યા?


ધોરાજીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા છેલ્લા ઘણા સમયથી ગુમ છે તેવા પોસ્ટરો સ્થાનિક દ્વારા લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાજીના રસ્તા પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયા છે ઠેર ઠેર મોટા મોટા ગાબડાં પડી ગયા છે, આવા તુટેલા રોડ રસ્તાને લઇને શહેરીજનોએ આવા પૉસ્ટર લગાવીને રોષ ઠાલવ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાને ખોબલે ખોબલે મત આપ્યા બાદ ગાયબ થઇ ગયેલા ધારાસભ્ય પાડલીયાને પ્રજા શોધી રહી છે એવો પૉસ્ટરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજીના કેટલાય વિસ્તારોમાં આવા પૉસ્ટર લગાવીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. લોકોને બિસ્માર રોડ રસ્તાંથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમ છતાં ચૂંટાયેલા ધારાસભ્યના પેટનું પાણ પણ હલતું નથી આ જાણીને લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.