વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોઈ MLA મહેશ કસવાલા અકળાયા, અધિકારીઓને આપ્યો ઠપકો


  • Published By :
  • Published Date : 2023-12-06 19:05:02

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભોથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામા આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ કરવામાં આવી છે.   લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સાવરકુંડલા લિલીયાના ધાારસભ્ય મહેશ કસવાલા પણ હાજર હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે લિલીયામા યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લોકોની ગેરહાજરીને લઈને  ધાારસભ્ય મહેશ કસવાલા અકળાઈ ઉઠ્યા હતા. ગુસ્સે થયેલા મહેશ કસવાલાએ ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લીધો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાનો અધિકારીઓને ઠપકાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


લોકોની પાંખી હાજરી જોઈ અકળાયા


લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાના સંબોધનની શરૂઆત બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સવાલ કર્યો કે આમાંથી કેટલા શિક્ષકો છે હાથ ઉંચો કરો, તે બાદ કેટલા આરોગ્ય કર્મચારી કેટલા આંગણવાડી કર્મચારી તેમ વારાફરતી હાથ ઉંચા કરવા જણાવ્યું અને છેલ્લા આમંત્રિતો કેટલા છે તેમને હાથ ઉંચો કરવાનું કહ્યું તો માંડ 8 થી 10 લોકો બતા, વાસ્તવમાં જેમને માટે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે તે લોકોની પાંખી હાજરી અને સંખ્યા બતાવવા માટે આંગણવાડી કર્મચારી અને સરકારી કર્મચારીઓને બેસાડવાની જે અધિકારીઓની નીતિથી મહેશ કસવાલા અકળાયા હતા.


અધિકારીઓને આપ્યો ઠપકો


ધારાસભ્યને જ્યારે ખબર પડી કે આ કાર્યક્રમમાં આમંત્રિત લોકોની સંખ્યા ખુબ ઓછી છે ત્યારે તેમણે કહ્યું કે, "આ આપણી કરૂણતા છે. પહેલો શબ્દ TDO સાહેબ નોંધી લો. સરકારી કર્મચારીઓના આધારે આ કાર્યક્રમ કરવાનો છે એવું સરકારના મનમાં છે જ નહી. આ મારો ઠપકો સમજો તો ઠપકો અને કરૂણતા સમજો તો કરૂણતા. જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને અહીંથી બંધ રાખજો. યાત્રાના રૂટમાં જે ગામડાં છે તે આખા ગામમાં ઢોલ વગાડીને લોકોને કહેવાય જાય અને પબ્લિકને ભેગી કરવાની હોય અને તેને લાભ આપવાના હોય તો જ આ યાત્રા કરવાની છે નહીતર હું રાજ્ય સરકારમાં જવાબ આપી દઈશ મારે લિલીયા તાલુકામાં જરૂર નથી. આ થૂંકના સાંધા આપણને ગમે તેવા છે જ નહી."



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.