વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોઈ MLA મહેશ કસવાલા અકળાયા, અધિકારીઓને આપ્યો ઠપકો


  • Published By :
  • Published Date : 2023-12-06 19:05:02

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભોથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામા આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ કરવામાં આવી છે.   લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં સાવરકુંડલા લિલીયાના ધાારસભ્ય મહેશ કસવાલા પણ હાજર હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે લિલીયામા યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લોકોની ગેરહાજરીને લઈને  ધાારસભ્ય મહેશ કસવાલા અકળાઈ ઉઠ્યા હતા. ગુસ્સે થયેલા મહેશ કસવાલાએ ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લીધો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાનો અધિકારીઓને ઠપકાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


લોકોની પાંખી હાજરી જોઈ અકળાયા


લિલીયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મહેશ કસવાલાએ પોતાના સંબોધનની શરૂઆત બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સવાલ કર્યો કે આમાંથી કેટલા શિક્ષકો છે હાથ ઉંચો કરો, તે બાદ કેટલા આરોગ્ય કર્મચારી કેટલા આંગણવાડી કર્મચારી તેમ વારાફરતી હાથ ઉંચા કરવા જણાવ્યું અને છેલ્લા આમંત્રિતો કેટલા છે તેમને હાથ ઉંચો કરવાનું કહ્યું તો માંડ 8 થી 10 લોકો બતા, વાસ્તવમાં જેમને માટે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે તે લોકોની પાંખી હાજરી અને સંખ્યા બતાવવા માટે આંગણવાડી કર્મચારી અને સરકારી કર્મચારીઓને બેસાડવાની જે અધિકારીઓની નીતિથી મહેશ કસવાલા અકળાયા હતા.


અધિકારીઓને આપ્યો ઠપકો


ધારાસભ્યને જ્યારે ખબર પડી કે આ કાર્યક્રમમાં આમંત્રિત લોકોની સંખ્યા ખુબ ઓછી છે ત્યારે તેમણે કહ્યું કે, "આ આપણી કરૂણતા છે. પહેલો શબ્દ TDO સાહેબ નોંધી લો. સરકારી કર્મચારીઓના આધારે આ કાર્યક્રમ કરવાનો છે એવું સરકારના મનમાં છે જ નહી. આ મારો ઠપકો સમજો તો ઠપકો અને કરૂણતા સમજો તો કરૂણતા. જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને અહીંથી બંધ રાખજો. યાત્રાના રૂટમાં જે ગામડાં છે તે આખા ગામમાં ઢોલ વગાડીને લોકોને કહેવાય જાય અને પબ્લિકને ભેગી કરવાની હોય અને તેને લાભ આપવાના હોય તો જ આ યાત્રા કરવાની છે નહીતર હું રાજ્ય સરકારમાં જવાબ આપી દઈશ મારે લિલીયા તાલુકામાં જરૂર નથી. આ થૂંકના સાંધા આપણને ગમે તેવા છે જ નહી."



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.