ભાજપના MLA પી સી બરંડાના ઘરે લૂંટથી હાહાકાર, પત્નીને બંધક બનાવી લૂંટારૂ ટોળકી ઘરેણાની લૂંટ ચલાવી ફરાર


  • Published By :
  • Published Date : 2023-09-15 16:52:47

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે, રાજ્યમાં ચોરી, લૂંટફાંટ દારૂની અને નશાકારક દ્રવ્યોની તસ્કરી વધી રહી છે. હવે તો  ચોર અને લૂંટારાઓ સામાન્ય માણસો તો ઠીક પણ  ધારાસભ્યના ઘરને પણ છોડતા નથી. રાજ્યમાં ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં ચોરીની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. પૂર્વ એસપી અને ધારાસભ્ય પી સી બરંડાના ઘરમાં લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટ કરવામાં આવી હતી.ઘરમાંથી સોના ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ ચલાવી લૂંટારા ફરાર થઈ ગયા હતા. જોકે, ધારાસભ્યની પત્નીને કોઇ ઇજા પહોંચી નથી.આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય પી સી બરંડા તાબડતોબ ગાંધીનગરથી વતન વાકાટીંબા ગામ  પહોંચ્યા હતા. 


ધારાસભ્યના ઘરે લૂંટથી હડકંપ


ધારાસભ્ય પી સી બરંડાના ઘરે લૂંટ થઇ હોવાની જાણ થતા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસનો મોટો કાફલો બરંડાના નિવાસસ્થાને પહોંચ્યો હતો.હાલમાં વિધાનસભાનું સત્ર ચાલતુ હોવાથી ધારાસભ્ય બરંડા ગાંધીનગરમાં હતા. લૂંટના સમાચાર મળતા પી.સી.બરંડા પણ ગાંધીનગર વતન પહોંચ્યા છે.સામાન્ય નાગરિક તો ઠીક હવે આ લૂંટારૂં ગેંગથી ધારાસભ્યનું નિવાસસ્થાન પણ ન બચે તેવી સ્થિતિ સર્જાતા પોલીસમાં હડકંપ મચી ગયો છે. આ ચોરીના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે.ચોર સુધી પહોંચવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે.પૂર્વ SP અને ભાજપના ભિલોડાના ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે લૂંટની ઘટનાને હડકંપ મચાવી દીધો છે. કારણ કે,ધારાસભ્યનું ઘર પણ હવે સલામત નથી તેવા સવાલો ઉઠ્યા છે.હાલ લૂંટની ઘટનાનું પગેરુ મેળવવા અરવલ્લીની પોલીસ દોડતી થઈ છે.બે બુકાનીધારી લૂંટારુઓએ ધારાસભ્યની પત્નીને ધમકી આપી હતી. મોઢું અને હાથ બાંધી જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાં લૂંટ ચલાવી હતી.'ઉદેપુર સે આયે હે'કહી લૂંટારુઓએ ઘરમાં લૂંટ ચલાવી.

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.