નબળી કામગીરી કરવા બદલ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓનો ઉધડો લીધો! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-16 17:44:32

અનેક સમસ્યાઓ એવી હોય છે જે શહેરમાં રહેતા માણસને પણ નડતી હોય છે અને ગામડામાં રહેતા માણસોને નડતી હોય છે. રસ્તાનો શહેર અને ગામડાને જોડવાનું કામ કરે છે, રસ્તા બે રાજ્યોનો જોડવાનું કામ કરે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જ્યાં નબળી કામગીરી થવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તો ખરાબ થઈ જતો હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય છે તેવી જાણકારી મળે છે. આ બધા વચ્ચે હળવદમાં રસ્તાની નબળી કામગીરીને લઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ખખડાવ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  


ઓછી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવતા સર્જાય છે દુર્ઘટના

ગુજરાત કેટલો વિકસીત છે તેના ઉદાહરણો દેશમાં નહીં પરંતુ વિશ્વમાં આપવામાં આવે છે. પરંતુ તે જ ગુજરાતના અનેક અંતરિયાળ ગામો છે જ્યાં રસ્તો નથી. જો રસ્તો હોય છે તો તે  બિસસ્માર હાલતમાં હોય છે. પરંતુ ગતિશીલ ગણાતા ગુજરાતમાં પણ એવા અનેક રસ્તાઓ છે જે બિસ્માર હાલતમાં દેખાય છે. ઓછી, ખરાબ ગુણવત્તા વાળા સામાનથી નિર્માણ પામેલી ઈમારતો, રોડ, બ્રીજ બહુ વધારે નથી ટકી શક્તું તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. રસ્તો શરૂ થાય એના થોડા મહિનાઓ બાદ જ રસ્તા પર ડામર દેખાઈ આવે છે. ખાડા પડી જાય છે વગેરે વગેરે.. ઓછી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતા આવી સ્થિતિનું નિર્માણ થાય છે. વિકસીત ગુજરાતમાં અનેક એવા રસ્તાઓ છે જે બિસ્માર હાલતમાં દેખાય છે. 


ધારાસભ્યએ લીધી સરપ્રાઈઝ વીઝિટ! 

રાજ્યમાં અનેક સ્થળો પર નવા રસ્તા બનવાની કામગીરી, ફૂટપાથ બનાવવાની કામગીરી થઈ રહી છે. કામગીરી તો જોશમાં ચાલી રહી છે પરંતુ અનેક વખત નબળી કામગીરી થતી હોય તેવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે હળવદમાં નબળી કામગીરીને લઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ખખડાવ્યા છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર હળવદથી રણમલપુર વચ્ચે નવો રસ્તો બની રહ્યો હતો. સાઈટ પર ધારાસભ્યએ સરપ્રાઈઝ વીઝિટ લીધી અને તે દરમિયાન રોડની નબળી કામગીરી સામે આવતા જ પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ભૌમિક દેસાઈને ટેલિફોનિક વાત કરી હતી. અને નબળી કામગીરી નહીં ચલાવી લેવાય અને અમે મુલાસાક લેતા રહીશું તેવી વાત તેમણે કરી હતી. 


ધારાસભ્યોએ લેવી જોઈએ આવી ઓચિંતી મુલાકાત! 

મહત્વનું છે કે ના માત્ર આ જગ્યા પર પરંતુ અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક વખત નિર્માણાધીન બિલ્ડીંગ, બ્રિજ તૂટી પડે છે. નબળી કામગીરી જોતા, તેની જાણ થતા ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા તો અનેક ધારાસભ્યોએ નિર્માણાધીન સાઈટની મુલાકાત લેવી જોઈએ કે જેથી નબળી કામગીરી થતી અટકી જાય! 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.