નબળી કામગીરી કરવા બદલ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓનો ઉધડો લીધો! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-16 17:44:32

અનેક સમસ્યાઓ એવી હોય છે જે શહેરમાં રહેતા માણસને પણ નડતી હોય છે અને ગામડામાં રહેતા માણસોને નડતી હોય છે. રસ્તાનો શહેર અને ગામડાને જોડવાનું કામ કરે છે, રસ્તા બે રાજ્યોનો જોડવાનું કામ કરે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જ્યાં નબળી કામગીરી થવાને કારણે માત્ર ઓછા સમયની અંદર રસ્તો ખરાબ થઈ જતો હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોય છે તેવી જાણકારી મળે છે. આ બધા વચ્ચે હળવદમાં રસ્તાની નબળી કામગીરીને લઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ખખડાવ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  


ઓછી ગુણવત્તાવાળો સામાન વાપરવામાં આવતા સર્જાય છે દુર્ઘટના

ગુજરાત કેટલો વિકસીત છે તેના ઉદાહરણો દેશમાં નહીં પરંતુ વિશ્વમાં આપવામાં આવે છે. પરંતુ તે જ ગુજરાતના અનેક અંતરિયાળ ગામો છે જ્યાં રસ્તો નથી. જો રસ્તો હોય છે તો તે  બિસસ્માર હાલતમાં હોય છે. પરંતુ ગતિશીલ ગણાતા ગુજરાતમાં પણ એવા અનેક રસ્તાઓ છે જે બિસ્માર હાલતમાં દેખાય છે. ઓછી, ખરાબ ગુણવત્તા વાળા સામાનથી નિર્માણ પામેલી ઈમારતો, રોડ, બ્રીજ બહુ વધારે નથી ટકી શક્તું તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. રસ્તો શરૂ થાય એના થોડા મહિનાઓ બાદ જ રસ્તા પર ડામર દેખાઈ આવે છે. ખાડા પડી જાય છે વગેરે વગેરે.. ઓછી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતા આવી સ્થિતિનું નિર્માણ થાય છે. વિકસીત ગુજરાતમાં અનેક એવા રસ્તાઓ છે જે બિસ્માર હાલતમાં દેખાય છે. 


ધારાસભ્યએ લીધી સરપ્રાઈઝ વીઝિટ! 

રાજ્યમાં અનેક સ્થળો પર નવા રસ્તા બનવાની કામગીરી, ફૂટપાથ બનાવવાની કામગીરી થઈ રહી છે. કામગીરી તો જોશમાં ચાલી રહી છે પરંતુ અનેક વખત નબળી કામગીરી થતી હોય તેવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે હળવદમાં નબળી કામગીરીને લઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ખખડાવ્યા છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર હળવદથી રણમલપુર વચ્ચે નવો રસ્તો બની રહ્યો હતો. સાઈટ પર ધારાસભ્યએ સરપ્રાઈઝ વીઝિટ લીધી અને તે દરમિયાન રોડની નબળી કામગીરી સામે આવતા જ પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ભૌમિક દેસાઈને ટેલિફોનિક વાત કરી હતી. અને નબળી કામગીરી નહીં ચલાવી લેવાય અને અમે મુલાસાક લેતા રહીશું તેવી વાત તેમણે કરી હતી. 


ધારાસભ્યોએ લેવી જોઈએ આવી ઓચિંતી મુલાકાત! 

મહત્વનું છે કે ના માત્ર આ જગ્યા પર પરંતુ અનેક જગ્યાઓ એવી છે જ્યાં રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક વખત નિર્માણાધીન બિલ્ડીંગ, બ્રિજ તૂટી પડે છે. નબળી કામગીરી જોતા, તેની જાણ થતા ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા તો અનેક ધારાસભ્યોએ નિર્માણાધીન સાઈટની મુલાકાત લેવી જોઈએ કે જેથી નબળી કામગીરી થતી અટકી જાય! 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.