MLA રીવાબા જાડેજાએ જામનગરમાં સીસી રોડના કામનું જાત નિરિક્ષણ કર્યું, કોન્ટાક્ટરનો ઉધડો લીધો


  • Published By :
  • Published Date : 2023-02-03 21:22:30

જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અને ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા તેમના મતવિસ્તારના વિકાસના કાર્યોને લઈ સક્રિય બન્યા છે. આજે તેમણે જામનગરના ગોકુલનગર વિસ્તારનાં મથુરાનગરમાં ચાલતા સીસી રોડનાં કામનું જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં ખરેખર રોડનું કામ નબળું હોવાનું સામે આવતા લોકોની સામે જ રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો અને યોગ્ય રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. સીસી રોડનું કામ નબળુ થતું હોવાની લોકોએ રીવાબાને ફરિયાદ કરી હતી. જેના આધારે રીવાબાએ સ્થળની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. 


કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહીં


રીવાબા રીવાબા જાડેજા  જ્યારે તે સ્થળે પહોંચ્યા તે વખતે લોકો એકઠા થઈ ગયા હતા.આ દરમિયાન રોડની કામગીરી અંગે રીવાબા કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો અને નબળી કામગીરી સવાલોની ઝડી વરસાવી હતી. રિવાબાએ ખરાબ કામ અંગે ચોખવટ કરવા અંગે પુછ્યું તો તે કોન્ટ્રાક્ટ કોઈ જવાબ આપી શક્યો નહોતો. રીવાબાએ કોન્ટ્રાક્ટરનો ઉધડો લેતા કહ્યું કે, આ બધુ આપણે તમારા કે મારા માટે નહીં પરંતુ અહી ઉભેલા લોકો માટે કરી રહ્યા છીએ.


અધિકારીઓ દોડી આવ્યા 


ધારાસભ્ય રીવાબા જાડેજા આરસીસી રોડની મુલાકાત લેવા આવ્યા છે. જે સમાચાર મળતા શહેર ભાજપ મહામંત્રી મોરામણભાઈ ભાટુ, શહેર ભાજપ આગેવાન દિલીપસિંહ તેમજ નાયબ એન્જીનિયર પાઠક સહિતના અધિકારીઓ તાત્કાલીક સ્થળે આવી પહોંચ્યા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.