West Bengalમાં બની મોબ લિંચિંગની ઘટના, ટોળાએ કર્યો સાધુ પર હુમલો, પોલીસે આ મામલામાં કરી આ કાર્યવાહી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-13 14:00:29

આપણે ત્યાં સાધુ સંતોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. સાધુને વંદનીય માનવામાં આવે છે ત્યારે પશ્ચિમ બંગાળથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ સાધુ સંતોને માર મારવામાં આવ્યો છે. ત્રણ સાધુઓ સહિત 6 લોકો પર ભીડે હુમલો કર્યો અપહરણની આશંકા સાથે. આ ઘટના પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં બનીમાં બની છે. ગંગાસાગર જઈ રહેલા સંતો પર હુમલો કરવામાં આવ્યો છે. મોબ લિન્ચિંગની જે ઘટના થોડા સમય પહેલા પાલઘરમાં બની હતી તેવી જ ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. આ સમાચાર મળતા જ પોલીસ ત્યાં આવી પહોંચી અને સાધુને ભીડથી અલગ કર્યા. આ મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અંદાજીત 12 જેટલા લોકો ઝડપી પાડ્યા છે.

ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને લોકોએ માર્યો હતો માર

થોડા સમય પહેલા મહારાષ્ટ્રના પાલઘરમાં મોબ લિચિંગની ઘટના બની હતી. અંદાજીત 200 વ્યક્તિના ટોળાએ ત્રણ યુવકો પર ચોર સમજીને હુમલો કર્યો હતો, તેની પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટોળાએ યુવકો પર હુમલો કર્યો. આ ઘટનાને અનેક વર્ષો વીતિ ગયા છે પરંતુ આવી જ મોબ લિચિંગની ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે.  પુરુલિયામાં ટોળાઓ દ્વારા ઉત્તર પ્રદેશના ત્રણ સાધુઓને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 


શું હતી સમગ્ર ઘટના? 

આ અંગેની મળતી માહિતી અનુસાર ત્રણ સાધુ તેમજ અન્ય બે ત્રણ લોકો ગાડીમાં ગંગાસાગર જઈ રહ્યા હતા. તે રસ્તો ભૂલી ગયા હતા. રસ્તા પર ઉભેલી છોકરીઓને તેમણે રસ્તા અંગે પૂછ્યું. છોકરીઓએ બૂમો પાડી અને આજુ બાજુના લોકો ત્યાં આવી ગયા. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા અને હુમલો કરી રહેલા લોકોએ સાધુના કપડા ફાડ્યા અને તેમને ઢોર માર મારવામાં આવ્યો. મોટી સંખ્યામાં હાજર લોકોએ તેમની પર હુમલો કર્યો. પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પોલીસ આવી પહોંચી અને સાધુને ટોળાથી છોડાવ્યા.          

ઘટનાને પગલે રાજકારણ ગરમાયું છે!

આ ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે. બીજેપીએ આ ઘટનાને લઈ મમતા બેનર્જી સરકારને ઘેરી છે. અનુરાગ ઠાકુરે તેમજ અમિત માલવિયાએ આ અંગે નિવેદન આપ્યું છે. અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ‘મમતા બેનરજીએ તેમના મૌન પર શરમ આવવી જોઈએ’.તેમણે આગળ લખ્યું કે શું આ સાધુઓનું કોઈ મહત્વ નથી? અમારે આ અત્યાચારનો જવાબ જોઈએ છે. તો અનુરાગ ઠાકુરે પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. મમતા સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે શા માટે બંગાળમાં આવું વાતાવરણ છે? તુષ્ટિકરણની રાજનીતિના કારણે આવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.  સાધુઓની હત્યાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આ તુષ્ટિકરણની રાજનીતિ બંગાળને ક્યા લઈ જઈ રહી છે? આવી આખરે આવી હિન્દુ વિરોધી વિચારસરણી શા માટે છે ?    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.