મોબાઈલે લીધો એક યુવાનનો ભોગ! મોબાઈલ ફોન ન મળતા Suratમાં 19 વર્ષીય યુવાને ટૂંકાવ્યું જીવન, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-14 17:34:08

એક સમય હતો જ્યારે બાળકોને ઘરમાં લાવવા મુશ્કેલ હતા. બહાર પોતાના મિત્રો સાથે બાળકો રમતા હતા. ઘરે જ્યારે બાળકોને બોલાવવામાં આવતા હતા ત્યારે નાખુશ થઈ બાળકો નાછુટકે ઘરે આવતા હતા. પરંતુ હવે જમાનો બદલાયો છે. જ્યારથી ટેક્નોલોજી વિક્સી છે ત્યારથી આપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયા છીએ. સુખ સાધનો વગર આપણને નથી ચાલતું. અને તેમાં પણ જો આપણાં હાથોમાંથી મોબાઈલ લઈલે તો કહેવું જ શું. મોબાઈલ આપણને સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ આપણે તેના આધીન થઈ ગયા છીએ. આજની પેઢી એવી છે જે મોબાઈલ વગર જો તેમને જમાડો તો તે જમશે પણ નહીં.


બાળકોના હાથમાંથી મોબાઈલ છોડાવો બન્યો મુશ્કેલ  

આજે મોબાઈલ અંગેની વાતો એટલા માટે કરવી છે કારણ કે સુરતથી સામે આવેલો કિસ્સો કદાચ દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન સાબિત થઈ શકે છે. યુવાનોમાં તેમજ બાળકોમાં મોબાઈલનો ક્રેઝ પ્રતિદિન વધી રહ્યો છે. અને તેમાં પણ કોરોના બાદ બાળકોના હાથથમાંથી મોબાઈલ છોડાવવો મુશ્કેલ છે. નાની ઉંમરે માતા પિતા બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે, મોબાઈલ આપતા પહેલા કદાચ માતા પિતા વિચારતા પણ નહીં કો આ ઘટનાનો દુષ્ટ પરિણામ પણ આવી શકે છે. 


પરિવારે મોબાઈલ ફોન ન આપ્યો તેને કારણે યુવાને લીધું આ પગલું!

સુરતમાં 19 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો કારણ કે તેણે નવો મોબાઈલ લેવાની જીદ કરી હતી. યુવાનની જીદ માતા પિતાએ ન સ્વીકારી હતી. જેને કારણે યુવાને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું તેવી આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. એકાએક યુવાન બાળકના મોતના સમાચાર સાંભળી માતા પિતાના તળીયે નીચેથી જમીન સરકી ગઈ હતી.  જે યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે મૂળ મધ્યપ્રદેશના વતની સંજીવકુમારનો પુત્ર હતો. 


થોડા દિવસો બાદ મૃતક યુવાનનો હતો જન્મદિવસ

આત્મહત્યા કરનાર યુવકનો 10 દિવસ બાદ જન્મદિવસ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પારસે જન્મદિવસની ગિફ્ટ માટે એક મોબાઈલ ફોનની માગણી કરી હતી. મોબાઈલ ફોન લેવાની જીદ પકડીને યુવાન બેઠો હતો. પરંતુ પિતાએ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મોબાઈલ ફોન લેવાની ના પાડી દીધી. મોબાઈલ ફોન લાવવાનો ઈન્કાર કરાતા યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 19 વર્ષીય બાળકે આત્મ હત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવાર એકદમ ગમગીન થઈ ગયો છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.