AAP નેતા જે.જે મેવાડા સામે મોડાસા કોર્ટે આપ્યો તપાસનો આદેશ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-31 14:33:46

લોકસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ પર પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ચૈતર વસાવા બાદ હવે અન્ય એક નેતા સાણસામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત DySP જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિલકત મામલાની તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે. જે બાદ ACB દ્વારા AAP નેતાની કરોડોની મિકલત મામલે તપાસ કરવામાં આવશે.


શું છે મામલો?
 

વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે.જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત દર્શાવી હતી. આ મામલે વિરલ ગોસ્વામીએ જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિકલતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમના આરોપ મુજબ, જે.જે મેવાડા ખેતીની જમીન, પાર્ટી પ્લોટ, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા.  તેઓએ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર વડે આ મિલકતોને એકઠી કરી હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા. જેને લઈ વિરલ ગોસ્વામીએ આ અંગેની તપાસ કરવા માટે મોડાસા કોર્ટમાં અરજી કરી હતી.


મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપ્યો આદેશ


હવે આ મામલે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે તપાસના આદેશ આપ્યા છે, જેમાં ACBના નાયબ અધિક્ષકને જે.જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા. જે તપાસ DySP કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવનાર છે. આ કેસની તપાસ હાથધરી ACBએ જે.જે મેવાડા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.