AAP નેતા જે.જે મેવાડા સામે મોડાસા કોર્ટે આપ્યો તપાસનો આદેશ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-31 14:33:46

લોકસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ પર પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ચૈતર વસાવા બાદ હવે અન્ય એક નેતા સાણસામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત DySP જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિલકત મામલાની તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે. જે બાદ ACB દ્વારા AAP નેતાની કરોડોની મિકલત મામલે તપાસ કરવામાં આવશે.


શું છે મામલો?
 

વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે.જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત દર્શાવી હતી. આ મામલે વિરલ ગોસ્વામીએ જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિકલતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમના આરોપ મુજબ, જે.જે મેવાડા ખેતીની જમીન, પાર્ટી પ્લોટ, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા.  તેઓએ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર વડે આ મિલકતોને એકઠી કરી હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા. જેને લઈ વિરલ ગોસ્વામીએ આ અંગેની તપાસ કરવા માટે મોડાસા કોર્ટમાં અરજી કરી હતી.


મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપ્યો આદેશ


હવે આ મામલે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે તપાસના આદેશ આપ્યા છે, જેમાં ACBના નાયબ અધિક્ષકને જે.જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા. જે તપાસ DySP કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવનાર છે. આ કેસની તપાસ હાથધરી ACBએ જે.જે મેવાડા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.