AAP નેતા જે.જે મેવાડા સામે મોડાસા કોર્ટે આપ્યો તપાસનો આદેશ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-12-31 14:33:46

લોકસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ પર પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ચૈતર વસાવા બાદ હવે અન્ય એક નેતા સાણસામાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ખજાનચી અને નિવૃત્ત DySP જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિલકત મામલાની તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે. જે બાદ ACB દ્વારા AAP નેતાની કરોડોની મિકલત મામલે તપાસ કરવામાં આવશે.


શું છે મામલો?
 

વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે.જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની 300 કરોડની મિલકત દર્શાવી હતી. આ મામલે વિરલ ગોસ્વામીએ જે.જે મેવાડા સામે અપ્રમાણસર મિકલતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી. તેમના આરોપ મુજબ, જે.જે મેવાડા ખેતીની જમીન, પાર્ટી પ્લોટ, મકાનો અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે, જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા.  તેઓએ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર વડે આ મિલકતોને એકઠી કરી હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા. જેને લઈ વિરલ ગોસ્વામીએ આ અંગેની તપાસ કરવા માટે મોડાસા કોર્ટમાં અરજી કરી હતી.


મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપ્યો આદેશ


હવે આ મામલે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે તપાસના આદેશ આપ્યા છે, જેમાં ACBના નાયબ અધિક્ષકને જે.જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરીને તપાસના આદેશ આપ્યા હતા. જે તપાસ DySP કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવનાર છે. આ કેસની તપાસ હાથધરી ACBએ જે.જે મેવાડા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.