મોદી સરકાર - 3.0- કેબીનેટમાં ગુજરાતીઓનો દબદબો! કેબિનેટમાં C.R.Patilની એન્ટ્રી, રૂપાલા સહિત 2નાં પત્તાં કપાયા... આ કારણો જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-06-10 13:16:53

ગુજરાતની લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ બધાના મનમાં એક જ સવાલ હતો કે ગુજરાતના કયા સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળશે? જેમાં કોને સ્થાન નહીં મળે, કોનું પત્તું કપાશે તેની પણ ખૂબ ચર્ચા હતી.. પરષોત્તમ રૂપાલાને મંત્રી પદ મળશે કે નહીં તેની પર સૌ કોઈની નજર રહેલી હતી અને આ વખતે તેમનું પત્તું કપાઈ ગયું છે મંત્રી પદમાંથી..      

 

આ મંત્રીઓના કપાયા પત્તા.. 

ગુજરાતમાંથી ચૂંટાયેલા 25 સાંસદોમાંથી 4 સાંસદોને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રીનું સ્થાન મળ્યું છે. જોકે એનાથી વધારે ચર્ચા 2 મંત્રીઓનું પત્તું કપાવાની છે.. એક કૃષિ મંત્રી રહેલા પરષોત્તમ રૂપાલા અને બીજા સંચાર મંત્રી રહેલા દેવુંસિંહ ચૌહાણની. આ બંને મંત્રીઓના પત્તા આ વખતે મંત્રી મંડળમાંથી કપાયા છે. લોકસભામાં સારી લીડ સાથે જીત્યા બાદ પણ બંનેને મંત્રી તરીકે સ્થાન મળ્યું નથી જેના અમુક કારણો પણ છે.. 


અનેક પરિબળો રૂપાલાને નડ્યા

પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી એમને ખૂબ ભારે પડી છે. નિવેદન બાદના કકળાટને કારણે મોદીએ તેમને પ્રચાર સભામાં મંચ પર પણ સ્થાન નથી આપ્યું અને તે સારી લીડ સાથે જીત્યા છતાં તેમને મંત્રી નથી બનાવાયા. સૌરાષ્ટ્રના મજબૂત નેતા તરીકે 2016થી જુલાઇ 2021 સુધી રાજ્યકક્ષના અને પછી કેબિનેટ મંત્રી તે રહી ચૂક્યા છે. દેવુસિંહ પણ જુલાઇ 2021થી મોદી કેબિનેટના મંત્રી હતા પણ તેમનું ભવિષ્ય સંગઠનમાં મજબૂત દેખાય છે તેમને આગળ જતાં મોટી જવાબદારી સંગઠન લેવલે મળી શકે છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે દર્શના જરદોશનું પણ પત્તું કપાયું છે.    


પૂનમબેન માડમના નામની ચર્ચા થતી હતી.  

જોકે આ બધાની વચ્ચે જામનગરથી 3 ટર્મમાં સાંસદ બનેલા પૂનમ માંડમને મંત્રી પદ મળી શકે છે. કેબિનેટમાં સ્થાન મળી શકે તેવી ચર્ચાઓ હતી પણ તેમના બદલે ભાવનગરના સાંસદ નિમુબેનને રાજ્યકક્ષાના મંત્રી બનવાની તક મળી છે. લાયકાત હોવા છતાં પૂનમબેનને  વિવાદ અને અંદરો અંદરનો વિવાદ નડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોનું જે કહેવું છે એ પ્રમાણે નિમુબેન બિનવિવાદિત અને સારી છબી ધરાવતો ચહેરો છે! 


ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની કરવી પડશે શોધખોળ!

અને આ વખતે કેન્દ્રમાં ગુજરાતનો દબદબો રહ્યો છે અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જેપી નડ્ડા અને એસ.જયશંકરે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. મહત્વનું છે કે સી.આર.પાટીલ કેબિનેટ મંત્રી બની ગયા છે જેને કારણે નવા પ્રદેશ અધ્યક્ષની શોધખોળ ભારતીય જનતા પાર્ટીએ કરવી પડશે.. કોને  અધ્યક્ષ પદ મળે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .