મોદી સરકાર - 3.0- કેબીનેટમાં ગુજરાતીઓનો દબદબો! કેબિનેટમાં C.R.Patilની એન્ટ્રી, રૂપાલા સહિત 2નાં પત્તાં કપાયા... આ કારણો જવાબદાર?


  • Published By :
  • Published Date : 2024-06-10 13:16:53

ગુજરાતની લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ બધાના મનમાં એક જ સવાલ હતો કે ગુજરાતના કયા સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન મળશે? જેમાં કોને સ્થાન નહીં મળે, કોનું પત્તું કપાશે તેની પણ ખૂબ ચર્ચા હતી.. પરષોત્તમ રૂપાલાને મંત્રી પદ મળશે કે નહીં તેની પર સૌ કોઈની નજર રહેલી હતી અને આ વખતે તેમનું પત્તું કપાઈ ગયું છે મંત્રી પદમાંથી..      

 

આ મંત્રીઓના કપાયા પત્તા.. 

ગુજરાતમાંથી ચૂંટાયેલા 25 સાંસદોમાંથી 4 સાંસદોને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રીનું સ્થાન મળ્યું છે. જોકે એનાથી વધારે ચર્ચા 2 મંત્રીઓનું પત્તું કપાવાની છે.. એક કૃષિ મંત્રી રહેલા પરષોત્તમ રૂપાલા અને બીજા સંચાર મંત્રી રહેલા દેવુંસિંહ ચૌહાણની. આ બંને મંત્રીઓના પત્તા આ વખતે મંત્રી મંડળમાંથી કપાયા છે. લોકસભામાં સારી લીડ સાથે જીત્યા બાદ પણ બંનેને મંત્રી તરીકે સ્થાન મળ્યું નથી જેના અમુક કારણો પણ છે.. 


અનેક પરિબળો રૂપાલાને નડ્યા

પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી એમને ખૂબ ભારે પડી છે. નિવેદન બાદના કકળાટને કારણે મોદીએ તેમને પ્રચાર સભામાં મંચ પર પણ સ્થાન નથી આપ્યું અને તે સારી લીડ સાથે જીત્યા છતાં તેમને મંત્રી નથી બનાવાયા. સૌરાષ્ટ્રના મજબૂત નેતા તરીકે 2016થી જુલાઇ 2021 સુધી રાજ્યકક્ષના અને પછી કેબિનેટ મંત્રી તે રહી ચૂક્યા છે. દેવુસિંહ પણ જુલાઇ 2021થી મોદી કેબિનેટના મંત્રી હતા પણ તેમનું ભવિષ્ય સંગઠનમાં મજબૂત દેખાય છે તેમને આગળ જતાં મોટી જવાબદારી સંગઠન લેવલે મળી શકે છે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે દર્શના જરદોશનું પણ પત્તું કપાયું છે.    


પૂનમબેન માડમના નામની ચર્ચા થતી હતી.  

જોકે આ બધાની વચ્ચે જામનગરથી 3 ટર્મમાં સાંસદ બનેલા પૂનમ માંડમને મંત્રી પદ મળી શકે છે. કેબિનેટમાં સ્થાન મળી શકે તેવી ચર્ચાઓ હતી પણ તેમના બદલે ભાવનગરના સાંસદ નિમુબેનને રાજ્યકક્ષાના મંત્રી બનવાની તક મળી છે. લાયકાત હોવા છતાં પૂનમબેનને  વિવાદ અને અંદરો અંદરનો વિવાદ નડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોનું જે કહેવું છે એ પ્રમાણે નિમુબેન બિનવિવાદિત અને સારી છબી ધરાવતો ચહેરો છે! 


ગુજરાતમાં નવા પ્રદેશ અધ્યક્ષની કરવી પડશે શોધખોળ!

અને આ વખતે કેન્દ્રમાં ગુજરાતનો દબદબો રહ્યો છે અમિત શાહ, સી.આર.પાટીલ, મનસુખ માંડવિયા, જેપી નડ્ડા અને એસ.જયશંકરે કેબિનેટ મંત્રીપદના શપથ લીધા છે. મહત્વનું છે કે સી.આર.પાટીલ કેબિનેટ મંત્રી બની ગયા છે જેને કારણે નવા પ્રદેશ અધ્યક્ષની શોધખોળ ભારતીય જનતા પાર્ટીએ કરવી પડશે.. કોને  અધ્યક્ષ પદ મળે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.