મોદી સરકારમાં વિકાસ દર તળીયે, UPA સરકારમાં 8.40 ટકા હતો, હાલ તે ઘટીને 4.8%


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 20:03:21

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસે તેનું પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા અભિષેક મનુ સંઘવી આજે પ્રચાર માટે સુરત આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે ભારત દેશનો વિકાસ દર કોંગ્રેસના સમયમાં જે હતો તેની ઘટીને મોદી સરકારમાં અડધો થઈ ગયો છે. કોંગ્રેસ સતત વિકાસલક્ષી કામગીરી કરતી હતી પરંતુ ભાજપ માત્ર વાતો જ કરી રહી છે.


ભાજપના શાસનમાં વિકાસદર અડધો થઈ ગયો


ભાજપ સરકાર પર પ્રહારો કરતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું હતુ કે, ભાજપના શાસનમાં વિકાસ દર સતત ઘટી રહ્યો છે ભાજપ શાસકો માત્ર વાતો જ કરી રહ્યા છે વિકાસ કરી રહ્યો નથી. દેશમાં જ્યારે કોંગ્રેસની યુપીએ સરકાર હતી ત્યારે ભારત દેશના વિકાસનો દર 8.4 ટકા હતો. પરંતુ હાલમાં મોદી શાસનમાં આ વિકાસદર ઘટીને 4.8 ટકા થઈ ગયો છે.


UPA સરકારમાં ગરીબી ઘટીને 21.9 ટકા હતી


2004માં ગરીબી રેખા નીચે જીવતા લોકો લોકોની ટકાવારી 37.2 ટકા હતી. પરંતુ યુપીએ સરકારની સતત વિકાસ લક્ષી કામગીરી ના કારણે 2011માં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સખ્યા ઘટીને 21.9 ટકા થઈ ગઈ હતી. પરંતુ ભાજપની મોદી સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને આજે પણ 20.2 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે