મોદી સરકારમાં વિકાસ દર તળીયે, UPA સરકારમાં 8.40 ટકા હતો, હાલ તે ઘટીને 4.8%


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 20:03:21

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોંગ્રેસે તેનું પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતા અભિષેક મનુ સંઘવી આજે પ્રચાર માટે સુરત આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે ભારત દેશનો વિકાસ દર કોંગ્રેસના સમયમાં જે હતો તેની ઘટીને મોદી સરકારમાં અડધો થઈ ગયો છે. કોંગ્રેસ સતત વિકાસલક્ષી કામગીરી કરતી હતી પરંતુ ભાજપ માત્ર વાતો જ કરી રહી છે.


ભાજપના શાસનમાં વિકાસદર અડધો થઈ ગયો


ભાજપ સરકાર પર પ્રહારો કરતા અભિષેક મનુ સંઘવીએ કહ્યું હતુ કે, ભાજપના શાસનમાં વિકાસ દર સતત ઘટી રહ્યો છે ભાજપ શાસકો માત્ર વાતો જ કરી રહ્યા છે વિકાસ કરી રહ્યો નથી. દેશમાં જ્યારે કોંગ્રેસની યુપીએ સરકાર હતી ત્યારે ભારત દેશના વિકાસનો દર 8.4 ટકા હતો. પરંતુ હાલમાં મોદી શાસનમાં આ વિકાસદર ઘટીને 4.8 ટકા થઈ ગયો છે.


UPA સરકારમાં ગરીબી ઘટીને 21.9 ટકા હતી


2004માં ગરીબી રેખા નીચે જીવતા લોકો લોકોની ટકાવારી 37.2 ટકા હતી. પરંતુ યુપીએ સરકારની સતત વિકાસ લક્ષી કામગીરી ના કારણે 2011માં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સખ્યા ઘટીને 21.9 ટકા થઈ ગઈ હતી. પરંતુ ભાજપની મોદી સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને આજે પણ 20.2 ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .