વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે જાહેરાતો પાછળ ખર્ચ્યા 6491 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2022-12-14 18:38:44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે નિવાસ્થાનોના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય રાજધાનીના વિકાસમાં કરોડોનો ખર્ચ કર્યો છે જો કે અમે પ્રચાર-પ્રસાર માટે જાહેરાતોનો સહારો નથી લેતા. જાહેરાતોમાં મારો પણ ફોટો ચમકી શકતો હતો પરંતું અમારી સરકાર લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખે છે. જો  કે પ્રધાનમંત્રીના આ નિવેદનના એક મહિના બાદ જ ભારત સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે નાણાવર્ષ 2014થી 7 સપ્ટેમ્બર 2022ના દરિયાન 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


CPI સાંસદ એમ. સેલ્વરાજને સરકારને કર્યો સવાલ


ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (CPI) નેતા અને લોકસભા સાંસદ એમ. સેલ્વરાજને 13 ડિસેમ્બરના દિવસે લોકસભામાં 2014થી અત્યાર સુધી જાહેરાતો પાછળ થયેલા ખર્ચની માહિતી આપી હતી. આ સવાલનો જવાબ અનુરાગ ઠાકુરે આપ્યો હતો. ભાજપ સરકારે આઠ વર્ષ અને દશ મહિનામાં જાહેરાત પાછળ લગભગ 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમાંથી 3230 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા પર જ્યારે 3260.79 કરોડ રૂપિયા ટેલિવિઝન માધ્યમ પર ખર્ચવામાં આવ્યા છે.


અનુરાગ ઠાકુરે આપેલા આંકડા દર્શાવે છે કે મોદી સરકારે દર મહિને જાહેરાતો પાછળ લગભગ 62 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રીતે, દરરોજ લગભગ 2 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચવામાં આવે છે.


UPA સરકારે 10 વર્ષમાં રૂ. 3,582 કરોડ ખર્ચ્યા


તે જ પ્રમાણે બીબીસીએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેરાતો પર કુલ રૂ. 3,582 કરોડનો ખર્ચ કર્યો હતો. આ રીતે, મોદી સરકારે આઠ વર્ષમાં મનમોહન સરકાર કરતાં લગભગ બમણી રકમ ખર્ચી છે. આમ છતાં પીએમ મોદી વધુ જાહેરાતો આપવા માટે અન્ય રાજકીય પક્ષોને ટોણા મારતા જોવા મળે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .