વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે જાહેરાતો પાછળ ખર્ચ્યા 6491 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2022-12-14 18:38:44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે નિવાસ્થાનોના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય રાજધાનીના વિકાસમાં કરોડોનો ખર્ચ કર્યો છે જો કે અમે પ્રચાર-પ્રસાર માટે જાહેરાતોનો સહારો નથી લેતા. જાહેરાતોમાં મારો પણ ફોટો ચમકી શકતો હતો પરંતું અમારી સરકાર લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખે છે. જો  કે પ્રધાનમંત્રીના આ નિવેદનના એક મહિના બાદ જ ભારત સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે નાણાવર્ષ 2014થી 7 સપ્ટેમ્બર 2022ના દરિયાન 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


CPI સાંસદ એમ. સેલ્વરાજને સરકારને કર્યો સવાલ


ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (CPI) નેતા અને લોકસભા સાંસદ એમ. સેલ્વરાજને 13 ડિસેમ્બરના દિવસે લોકસભામાં 2014થી અત્યાર સુધી જાહેરાતો પાછળ થયેલા ખર્ચની માહિતી આપી હતી. આ સવાલનો જવાબ અનુરાગ ઠાકુરે આપ્યો હતો. ભાજપ સરકારે આઠ વર્ષ અને દશ મહિનામાં જાહેરાત પાછળ લગભગ 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમાંથી 3230 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા પર જ્યારે 3260.79 કરોડ રૂપિયા ટેલિવિઝન માધ્યમ પર ખર્ચવામાં આવ્યા છે.


અનુરાગ ઠાકુરે આપેલા આંકડા દર્શાવે છે કે મોદી સરકારે દર મહિને જાહેરાતો પાછળ લગભગ 62 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રીતે, દરરોજ લગભગ 2 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચવામાં આવે છે.


UPA સરકારે 10 વર્ષમાં રૂ. 3,582 કરોડ ખર્ચ્યા


તે જ પ્રમાણે બીબીસીએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેરાતો પર કુલ રૂ. 3,582 કરોડનો ખર્ચ કર્યો હતો. આ રીતે, મોદી સરકારે આઠ વર્ષમાં મનમોહન સરકાર કરતાં લગભગ બમણી રકમ ખર્ચી છે. આમ છતાં પીએમ મોદી વધુ જાહેરાતો આપવા માટે અન્ય રાજકીય પક્ષોને ટોણા મારતા જોવા મળે છે.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.