વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે જાહેરાતો પાછળ ખર્ચ્યા 6491 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2022-12-14 18:38:44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે નિવાસ્થાનોના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય રાજધાનીના વિકાસમાં કરોડોનો ખર્ચ કર્યો છે જો કે અમે પ્રચાર-પ્રસાર માટે જાહેરાતોનો સહારો નથી લેતા. જાહેરાતોમાં મારો પણ ફોટો ચમકી શકતો હતો પરંતું અમારી સરકાર લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખે છે. જો  કે પ્રધાનમંત્રીના આ નિવેદનના એક મહિના બાદ જ ભારત સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે નાણાવર્ષ 2014થી 7 સપ્ટેમ્બર 2022ના દરિયાન 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


CPI સાંસદ એમ. સેલ્વરાજને સરકારને કર્યો સવાલ


ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (CPI) નેતા અને લોકસભા સાંસદ એમ. સેલ્વરાજને 13 ડિસેમ્બરના દિવસે લોકસભામાં 2014થી અત્યાર સુધી જાહેરાતો પાછળ થયેલા ખર્ચની માહિતી આપી હતી. આ સવાલનો જવાબ અનુરાગ ઠાકુરે આપ્યો હતો. ભાજપ સરકારે આઠ વર્ષ અને દશ મહિનામાં જાહેરાત પાછળ લગભગ 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમાંથી 3230 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા પર જ્યારે 3260.79 કરોડ રૂપિયા ટેલિવિઝન માધ્યમ પર ખર્ચવામાં આવ્યા છે.


અનુરાગ ઠાકુરે આપેલા આંકડા દર્શાવે છે કે મોદી સરકારે દર મહિને જાહેરાતો પાછળ લગભગ 62 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રીતે, દરરોજ લગભગ 2 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચવામાં આવે છે.


UPA સરકારે 10 વર્ષમાં રૂ. 3,582 કરોડ ખર્ચ્યા


તે જ પ્રમાણે બીબીસીએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેરાતો પર કુલ રૂ. 3,582 કરોડનો ખર્ચ કર્યો હતો. આ રીતે, મોદી સરકારે આઠ વર્ષમાં મનમોહન સરકાર કરતાં લગભગ બમણી રકમ ખર્ચી છે. આમ છતાં પીએમ મોદી વધુ જાહેરાતો આપવા માટે અન્ય રાજકીય પક્ષોને ટોણા મારતા જોવા મળે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.