વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે જાહેરાતો પાછળ ખર્ચ્યા 6491 કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2022-12-14 18:38:44

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે નિવાસ્થાનોના ઉદઘાટન સમારોહમાં કહ્યું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય રાજધાનીના વિકાસમાં કરોડોનો ખર્ચ કર્યો છે જો કે અમે પ્રચાર-પ્રસાર માટે જાહેરાતોનો સહારો નથી લેતા. જાહેરાતોમાં મારો પણ ફોટો ચમકી શકતો હતો પરંતું અમારી સરકાર લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખે છે. જો  કે પ્રધાનમંત્રીના આ નિવેદનના એક મહિના બાદ જ ભારત સરકારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે નાણાવર્ષ 2014થી 7 સપ્ટેમ્બર 2022ના દરિયાન 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


CPI સાંસદ એમ. સેલ્વરાજને સરકારને કર્યો સવાલ


ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (CPI) નેતા અને લોકસભા સાંસદ એમ. સેલ્વરાજને 13 ડિસેમ્બરના દિવસે લોકસભામાં 2014થી અત્યાર સુધી જાહેરાતો પાછળ થયેલા ખર્ચની માહિતી આપી હતી. આ સવાલનો જવાબ અનુરાગ ઠાકુરે આપ્યો હતો. ભાજપ સરકારે આઠ વર્ષ અને દશ મહિનામાં જાહેરાત પાછળ લગભગ 6491 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમાંથી 3230 કરોડ રૂપિયા પ્રિન્ટ મીડિયા પર જ્યારે 3260.79 કરોડ રૂપિયા ટેલિવિઝન માધ્યમ પર ખર્ચવામાં આવ્યા છે.


અનુરાગ ઠાકુરે આપેલા આંકડા દર્શાવે છે કે મોદી સરકારે દર મહિને જાહેરાતો પાછળ લગભગ 62 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ રીતે, દરરોજ લગભગ 2 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચવામાં આવે છે.


UPA સરકારે 10 વર્ષમાં રૂ. 3,582 કરોડ ખર્ચ્યા


તે જ પ્રમાણે બીબીસીએ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે તેના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેરાતો પર કુલ રૂ. 3,582 કરોડનો ખર્ચ કર્યો હતો. આ રીતે, મોદી સરકારે આઠ વર્ષમાં મનમોહન સરકાર કરતાં લગભગ બમણી રકમ ખર્ચી છે. આમ છતાં પીએમ મોદી વધુ જાહેરાતો આપવા માટે અન્ય રાજકીય પક્ષોને ટોણા મારતા જોવા મળે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.