રોકડની રામાયણ, બે હજારની નોટ સિસ્ટમમાંથી ગુમ, સરકારે શા માટે છાપણી બંધ કરી?


  • Published By :
  • Published Date : 2022-12-14 13:37:57

ભાજપના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશિલ કુમાર મોદીએ રાજ્યસભામાં બે હજારની નોટ મુદ્દે સવાલો કરીને ભારે ચર્ચા જગાવી છે. સુશિલ કુમાર મોદીએ પાર્ટી લાઈનથી આગળ વધીને બે હજારની નોટ બંધ કરવાની માગ કરી છે. તેમના મતે આ નોટના  કારણે મની લોન્ડરીંગ અને ટેરર ફંડિગનો વધ્યું છે. મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી લાગૂ કરી ત્યાર બાદ 500 અને 1000 હજારની નોટ બંધ કરી હતી. જો કે વધુ મૂલ્યની બે હજારની નોટ બહાર પાડી ત્યારે પણ આ બે હજારની નોટ શા માટે ચલણમાં મુકી તે અંગે નિષ્ણાતોએ સવાલો કર્યા હતા.


બે હજારની નોટનો વિરોધ કેમ?


દેશમાં મોટી રકમની ચલણી નોટના કારણે કાળુ નાણું સંગ્રહ કરવાની સંભાવના વધી જાય છે. આ કારણે જ મોદી સરકારે નોટબંધી વખતે રૂ એક હજારની નોટ બંધ કરી હતી. જો કે હવે આ પ્રકારની આશંકા 2000 રૂપિયાની નોટને લઈને પણ વ્યક્ત કરવામાં આવી છે. ઈન્કમટેક્સ, સીબીઆઈ અને ઈડીના દરોડામાં દેશમાં જેટલી પણ મોટી રકમ પકડાઈ છે તેમાં 2000ની નોટનું પ્રમાણ સૌથી વધુ હતું. રેડ દરમિયાન કોથળાભરીને  2000ની નોટો મળી આવતા આ નોટ બંધ કરવાની માગ કેન્દ્રિય એજન્સીઓએ પણ કરી હતી. તે ઉપરાંત દેશમાં બે હજારની નોટનો ઉપયોગ આતંકવાદ, ભ્રષ્ટાચાર, ડ્રગ્સના વેપારમાં થઈ રહ્યો છે. સુશિલ મોદીએ વિકસિત દેશોના અર્થતંત્રના પણ ઉદાહરણ આપ્યા. તેમણે કહ્યું કે, અમેરિકા, ચીન, જર્મની, જાપાન જેવા દેશો પાસે 100થી મોટું કોઈ ચલણ નથી.


RBIએ  2000 રૂપિયાની નોટની છાપણી ઘટાડી 


દેશના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે મે 2018માં રૂપિયા બે હજારની નોટને લઈ મનીલામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રૂપિયા બે હજારની નોટને લેવડદેવડ માટે સુવિધાકારક નથી મનાતી તેથી રૂપિયા બે હજારનાં મૂલ્યની ચલણી નોટનું છાપકામ હાલ અટકાવી દેવાયું છે. દેશમાં અનેક સ્થળોએ રોકડની અછત વર્તાઈ રહી છે, ત્યારે વધારાની માગ પૂરી કરવા માટે દરરોજ રૂપિયા ત્રણ હજાર કરોડના મૂલ્યની 500 રૂપિયાની નોટ છાપવામાં આવી રહી છે. એક RTIનો જવાબ આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2016-2017માં 2 હજારની સાડા ત્રણ અબજ નંગ નોટ છાપવામાં આવી હતી. જેની સરખામણીએ 2017-18માં માત્ર 11 કરોડ 15 લાખ નંગ નોટ છાપી. નાણાકીય વર્ષ 2018-19માં તો આ આંકડો એકદમ નીચે જતો રહ્યો અને 2000 રૂપિયાની ફક્ત 4 કરોડ 66 લાખ 90 હજાર નોટ છાપવામાં આવી હતી. સૌથી નોંધવા જેવી વાત માર્ચ 2019 પછી જોવા મળી. નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2000 રૂપિયાની એકપણ નવી નોટ છાપવામાં આવી નથી. બે હજારની નોટની સંખ્યા માગ કરતાં વધુ હોવાથી તેને જારી કરવામાં આવી નથી.


1000ની નોટ બંધ તો 2000ની નોટ ચલણમાં કેમ?


1000ની નોટ બંધ થઈ તો પછી 2000ની નોટ ચલણમાં શા માટે? આવો જ સવાલ નાણા મંત્રાલયના અધિકારી  સુભાષચંદ્ર ગર્ગને જાન્યુઆરી 2019માં પુછવામાં આવ્યો હતો ત્યારે તેમણે તેનું કારણ આપતા જણાવ્યું હતું કે 2000ની રી-મોનેટાઇજેશન માટે લાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી દ્વારા નોટબંધીની જાહેરાત બાદ રિ-મોનેટાઇઝેશન માટે જ રૂ.2000ની નોટ RBI તરફથી લાવવામાં આવી હતી. જો કે જ્યારે 2000ની નોટ છાપવામાં આવતી હતી ત્યારે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધીમે ધીમે તેની પ્રિન્ટ બંધ કરવામાં આવશે કારણકે સિસ્ટમમાં રી-મોનીટાઇઝેશન એટલે કે બીજી વાર સિસ્ટમમાં પૂરતા નાણા અને બજારમાં રોકડ રકમની લિક્વિડિટી જળવાઈ રહે તે માટે શરૂ કરવામાં આવી હતી. હવે નોટબંધીના આટલા વર્ષો બાદ RBI તરફથી છાપણી બંધ કરવામાં આવી છે. એટલા માટે જ  ATMમાં 2 હજારની નોટ નથી મળતી.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."