રોકડની રામાયણ, બે હજારની નોટ સિસ્ટમમાંથી ગુમ, સરકારે શા માટે છાપણી બંધ કરી?


  • Published By :
  • Published Date : 2022-12-14 13:37:57

ભાજપના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્ય મંત્રી સુશિલ કુમાર મોદીએ રાજ્યસભામાં બે હજારની નોટ મુદ્દે સવાલો કરીને ભારે ચર્ચા જગાવી છે. સુશિલ કુમાર મોદીએ પાર્ટી લાઈનથી આગળ વધીને બે હજારની નોટ બંધ કરવાની માગ કરી છે. તેમના મતે આ નોટના  કારણે મની લોન્ડરીંગ અને ટેરર ફંડિગનો વધ્યું છે. મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી લાગૂ કરી ત્યાર બાદ 500 અને 1000 હજારની નોટ બંધ કરી હતી. જો કે વધુ મૂલ્યની બે હજારની નોટ બહાર પાડી ત્યારે પણ આ બે હજારની નોટ શા માટે ચલણમાં મુકી તે અંગે નિષ્ણાતોએ સવાલો કર્યા હતા.


બે હજારની નોટનો વિરોધ કેમ?


દેશમાં મોટી રકમની ચલણી નોટના કારણે કાળુ નાણું સંગ્રહ કરવાની સંભાવના વધી જાય છે. આ કારણે જ મોદી સરકારે નોટબંધી વખતે રૂ એક હજારની નોટ બંધ કરી હતી. જો કે હવે આ પ્રકારની આશંકા 2000 રૂપિયાની નોટને લઈને પણ વ્યક્ત કરવામાં આવી છે. ઈન્કમટેક્સ, સીબીઆઈ અને ઈડીના દરોડામાં દેશમાં જેટલી પણ મોટી રકમ પકડાઈ છે તેમાં 2000ની નોટનું પ્રમાણ સૌથી વધુ હતું. રેડ દરમિયાન કોથળાભરીને  2000ની નોટો મળી આવતા આ નોટ બંધ કરવાની માગ કેન્દ્રિય એજન્સીઓએ પણ કરી હતી. તે ઉપરાંત દેશમાં બે હજારની નોટનો ઉપયોગ આતંકવાદ, ભ્રષ્ટાચાર, ડ્રગ્સના વેપારમાં થઈ રહ્યો છે. સુશિલ મોદીએ વિકસિત દેશોના અર્થતંત્રના પણ ઉદાહરણ આપ્યા. તેમણે કહ્યું કે, અમેરિકા, ચીન, જર્મની, જાપાન જેવા દેશો પાસે 100થી મોટું કોઈ ચલણ નથી.


RBIએ  2000 રૂપિયાની નોટની છાપણી ઘટાડી 


દેશના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે મે 2018માં રૂપિયા બે હજારની નોટને લઈ મનીલામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રૂપિયા બે હજારની નોટને લેવડદેવડ માટે સુવિધાકારક નથી મનાતી તેથી રૂપિયા બે હજારનાં મૂલ્યની ચલણી નોટનું છાપકામ હાલ અટકાવી દેવાયું છે. દેશમાં અનેક સ્થળોએ રોકડની અછત વર્તાઈ રહી છે, ત્યારે વધારાની માગ પૂરી કરવા માટે દરરોજ રૂપિયા ત્રણ હજાર કરોડના મૂલ્યની 500 રૂપિયાની નોટ છાપવામાં આવી રહી છે. એક RTIનો જવાબ આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2016-2017માં 2 હજારની સાડા ત્રણ અબજ નંગ નોટ છાપવામાં આવી હતી. જેની સરખામણીએ 2017-18માં માત્ર 11 કરોડ 15 લાખ નંગ નોટ છાપી. નાણાકીય વર્ષ 2018-19માં તો આ આંકડો એકદમ નીચે જતો રહ્યો અને 2000 રૂપિયાની ફક્ત 4 કરોડ 66 લાખ 90 હજાર નોટ છાપવામાં આવી હતી. સૌથી નોંધવા જેવી વાત માર્ચ 2019 પછી જોવા મળી. નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2000 રૂપિયાની એકપણ નવી નોટ છાપવામાં આવી નથી. બે હજારની નોટની સંખ્યા માગ કરતાં વધુ હોવાથી તેને જારી કરવામાં આવી નથી.


1000ની નોટ બંધ તો 2000ની નોટ ચલણમાં કેમ?


1000ની નોટ બંધ થઈ તો પછી 2000ની નોટ ચલણમાં શા માટે? આવો જ સવાલ નાણા મંત્રાલયના અધિકારી  સુભાષચંદ્ર ગર્ગને જાન્યુઆરી 2019માં પુછવામાં આવ્યો હતો ત્યારે તેમણે તેનું કારણ આપતા જણાવ્યું હતું કે 2000ની રી-મોનેટાઇજેશન માટે લાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી દ્વારા નોટબંધીની જાહેરાત બાદ રિ-મોનેટાઇઝેશન માટે જ રૂ.2000ની નોટ RBI તરફથી લાવવામાં આવી હતી. જો કે જ્યારે 2000ની નોટ છાપવામાં આવતી હતી ત્યારે જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધીમે ધીમે તેની પ્રિન્ટ બંધ કરવામાં આવશે કારણકે સિસ્ટમમાં રી-મોનીટાઇઝેશન એટલે કે બીજી વાર સિસ્ટમમાં પૂરતા નાણા અને બજારમાં રોકડ રકમની લિક્વિડિટી જળવાઈ રહે તે માટે શરૂ કરવામાં આવી હતી. હવે નોટબંધીના આટલા વર્ષો બાદ RBI તરફથી છાપણી બંધ કરવામાં આવી છે. એટલા માટે જ  ATMમાં 2 હજારની નોટ નથી મળતી.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.