આતંકવાદી સંગઠન SIMI પર મોદી સરકારની કાર્યવાહી, પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવ્યો


  • Published By :
  • Published Date : 2024-01-29 20:28:16

કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠન 'સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા' (SIMI) પરનો પ્રતિબંધ લંબાવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે આ માહિતી આપતા  તેમણે કહ્યું કે, "આતંકવાદને ક્યારેય બર્દાસ્ત નહીં કરવાના PM નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને મજબૂત બનાવતા, સિમીને UAPA હેઠળ 5 વર્ષ માટે 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવ્યું છે."


SIMI પર પ્રતિબંધ શા માટે લંબાવાયો?


SIMI ભારતના સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને બગાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ થવા બદલ સરકારે સોમવારે આતંકવાદી જૂથ સિમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો છે.


2001માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો


વર્ષ 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સિમી પર પહેલીવાર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારથી આ પ્રતિબંધ દર પાંચ વર્ષે લંબાવવામાં આવે છે. સિમી પર છેલ્લો પ્રતિબંધ 31 જાન્યુઆરી, 2019ના રોજ લાદવામાં આવ્યો હતો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.