ડાયમંડ સિટી સુરતને મોદી સરકારની મોટી ભેટ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર


  • Published By :
  • Published Date : 2023-12-15 22:09:35

ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરત શહેરને મોદી સરકારે આજે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ વ્યૂહાત્મક પગલાનો હેતું સુરતની અભૂતપૂર્વ આર્થિક ક્ષમતાને બહાર લાવવાનો છે. મોદી સરકારના આ નિર્ણયથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં એક મહત્વનું હબ બનશે અને રાજ્યમાં સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


સુરતને શું લાભ થશે?


કેન્દ્ર સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી આર્થિક વિકાસને વેગ મળશે, વિદેશી રોકાણ આકર્ષવામાં અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે. આનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સુવિધા તો મળશે જ પરંતુ હીરા અને કાપડ જેવા ઉદ્યોગો માટે નિકાસ-આયાતનું કામ પણ સરળ બનશે. જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનના નકશા પર આવી જશે અને તેનાથી સમગ્ર ક્ષેત્રમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થશે. સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધ્યો છે.


PM મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન


PM નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવતા ઉદ્યોગકારોને લાભ  મળશે.  



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.