ડાયમંડ સિટી સુરતને મોદી સરકારની મોટી ભેટ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર


  • Published By :
  • Published Date : 2023-12-15 22:09:35

ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરત શહેરને મોદી સરકારે આજે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે આ વ્યૂહાત્મક પગલાનો હેતું સુરતની અભૂતપૂર્વ આર્થિક ક્ષમતાને બહાર લાવવાનો છે. મોદી સરકારના આ નિર્ણયથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં એક મહત્વનું હબ બનશે અને રાજ્યમાં સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


સુરતને શું લાભ થશે?


કેન્દ્ર સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી આર્થિક વિકાસને વેગ મળશે, વિદેશી રોકાણ આકર્ષવામાં અને રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે. આનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સુવિધા તો મળશે જ પરંતુ હીરા અને કાપડ જેવા ઉદ્યોગો માટે નિકાસ-આયાતનું કામ પણ સરળ બનશે. જેનાથી સુરત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનના નકશા પર આવી જશે અને તેનાથી સમગ્ર ક્ષેત્રમાં સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થશે. સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસ ઝડપથી વધ્યો છે.


PM મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન


PM નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવતા ઉદ્યોગકારોને લાભ  મળશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.