UPA કાર્યકાળમાં થયેલા ગેરવહીવટ મામલે મોદી સરકાર લાવશે શ્વેત પત્ર, 9 કે 10 ફેબ્રુઆરીએ સંસદમાં રજુ કરાશે


  • Published By :
  • Published Date : 2024-02-06 19:12:57

કેન્દ્રની મોદી સરકાર કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર (2004-2014)ના 10 વર્ષના આર્થિક ગેરવહીવટને લઈ સંસદમાં શ્વેતપત્ર લાવશે. આ શ્વેતપત્ર શુક્રવારે (9 ફેબ્રુઆરી) અથવા શનિવારે (10 ફેબ્રુઆરી) ગૃહમાં રજૂ કરી શકાય છે. આર્થિક ગેરવહીવટ ઉપરાંત, શ્વેતપત્રમાં UPA સરકાર દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓની અસર વિશે પણ વાત કરવામાં આવશે. આ સિવાય ભારતની આર્થિક કટોકટી અને અર્થતંત્ર પર તેની નકારાત્મક અસરો વિશે પણ પત્રમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ કારણોસર સંસદનું સત્ર પણ એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.


PM મોદીએ આપ્યો હતો સંકેત


આ શ્વેત પત્ર એવા સમયે આવી રહ્યું છે જ્યારે સોમવારે (5 ફેબ્રુઆરી) એ જ પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે લોકસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર એક પરિવારમાં જ ઉલઝી ગઈ છે. તેમણે દેશના લોકોનું કોઈ જ કામ કર્યું નથી. ગૃહમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું નામ લેતા PM મોદીએ કહ્યું, "દેશએ જેટલુ પરિવારવાદના કારણે નુકસાન સહન કર્યું છે, તેટલું જ નુકસાન કોંગ્રેસને પણ થયું છે." અધીર બાબુની હાલત જોઈ રહ્યા છો, મલ્લિકાર્જુન ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ચાલ્યા ગયા. ગુલામ નબી આઝાદે પોતે જ પાર્ટી છોડી દીધી. આવા અનેક નેતાઓ પરિવારવાદનો ભોગ બન્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે, એક જ પ્રોડક્ટને વારંવાર લોન્ચ કરવાના ચક્કરમાં કોંગ્રેસની દુકાનને તાળા લાગી જાય તેવી સ્થિતી સર્જાઈ છે.


નિર્મલા સીતારમણે પણ કહીં હતી આ વાત


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સંસદમાં શ્વેતપત્ર રજૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું, “શ્વેતપત્ર UPA સરકારના શાસન દરમિયાન અર્થતંત્રના ગેરવહીવટની અસર પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આમાં અગાઉની સરકારના તે તમામ પગલાઓ વિશે જણાવવામાં આવશે જે અનૈતિક હતા અને તે સમયે જો યોગ્ય પગલા લેવામાં આવ્યા હોત તો તેની દેશની અર્થવ્યવસ્થા પર કેવા પ્રકારની સકારાત્મક અસર પડી શકી હોત. નાણામંત્રીએ કહ્યું કે તે સમયગાળા દરમિયાન દેશે 10 શાનદાર વર્ષ ગુમાવ્યા હતા. "અર્થતંત્રનું દરેક ક્ષેત્ર બેંકોથી લઈને ખનીજ સુધીની સમસ્યાઓથી પીડિત હતું."


શું હોય છે શ્વેતપત્ર?


શ્વતપત્રની શરૂઆત 1922માં બ્રિટનમાં થઈ હતી. આ કોઈ એક ચોક્કસ વિષયની માહિતી અથવા એક સર્વેક્ષણ કે રિસર્ચનાં પરિણામનો સારાંશ હોય છે. આ શ્વેતપત્ર કોઈપણ વિષય પર હોઈ શકે છે, પરંતુ મોટા ભાગે એ હંમેશાં કોઈપણ એક ક્ષેત્રે કામ કરવાની પદ્ધતિમાં સુધારો કરવાનું સૂચન આપતો હોય છે. સામાન્ય રીતે શ્વેતપત્ર પર સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અથવા ઓછામાં ઓછા એક નિર્ણયને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવે છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મોદી સરકાર વિરુદ્ધ કોરોનાની ત્રીજી લહેર વિશે એક શ્વેતપત્ર પણ જાહેર કર્યું હતું. જેમાં કોરોના સામેની ત્રીજી લહેરની તૈયારી, બીજી લહેરની ખામીઓ, આર્થિક મદદ અને પીડિત પરિવારોને વળતરની વ્યવસ્થા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રને જાહેર કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ શ્વેતપત્ર દ્વારા કેન્દ્ર સરકારની ભૂલો સુધારવા અને તેમને રસ્તો દેખાડવા માગે છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.