મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો જવાબ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-02 19:43:08

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં 'મોદી સરનેમ' મામલે વર્ષ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠરાવવા પર રોક લગાવવા માટે રિજોઇન્ડર એફિડેવિટ દાખલ કરી હતી. 'મોદી સરનેમ' કેસમાં સુરતની કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સાંસદનું પદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તે "ગુના માટે દોષિત નથી અને સજાનો આ ચુકાદો નૈતિક રીતે ટકી શકે તેવો નથી".


રાહુલ ગાંધીએ સોગંધનામામાં શું કહ્યું?


રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે માફી માંગીને કેસમાં ચાલી રહેલા ટ્રાયલની દિશા બદલી શકાય છે. ઉપરાંત, RP એક્ટ હેઠળ ફોજદારી પ્રક્રિયા અને તેના પરિણામોનો ઉપયોગ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. રાહુલે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કોઈ પણ જનપ્રતિનિધિને કોઈ પણ ભૂલ વિના માફી માંગવા માટે દબાણ કરી શકાય નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે માનહાનિ કેસમાં મહત્તમ સજાના પગલે તેમને સંસદનું સભ્ય પદ ગુમાવવું પડશે. પૂર્ણેશ મોદી પોતે મૂળ મોદી સમુદાયના નથી. આ પહેલા તેને કોઈપણ કેસમાં સજા થઈ નથી. માફી ન માગવા બદલ તેને ઘમંડી કહેવું ખોટું છે. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ફોજદારી પ્રક્રિયા સાથે ન્યાયિક પ્રક્રિયાના ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટે સુનાવણી કરશે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.