મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો જવાબ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-02 19:43:08

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં 'મોદી સરનેમ' મામલે વર્ષ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠરાવવા પર રોક લગાવવા માટે રિજોઇન્ડર એફિડેવિટ દાખલ કરી હતી. 'મોદી સરનેમ' કેસમાં સુરતની કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સાંસદનું પદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તે "ગુના માટે દોષિત નથી અને સજાનો આ ચુકાદો નૈતિક રીતે ટકી શકે તેવો નથી".


રાહુલ ગાંધીએ સોગંધનામામાં શું કહ્યું?


રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે માફી માંગીને કેસમાં ચાલી રહેલા ટ્રાયલની દિશા બદલી શકાય છે. ઉપરાંત, RP એક્ટ હેઠળ ફોજદારી પ્રક્રિયા અને તેના પરિણામોનો ઉપયોગ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. રાહુલે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કોઈ પણ જનપ્રતિનિધિને કોઈ પણ ભૂલ વિના માફી માંગવા માટે દબાણ કરી શકાય નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે માનહાનિ કેસમાં મહત્તમ સજાના પગલે તેમને સંસદનું સભ્ય પદ ગુમાવવું પડશે. પૂર્ણેશ મોદી પોતે મૂળ મોદી સમુદાયના નથી. આ પહેલા તેને કોઈપણ કેસમાં સજા થઈ નથી. માફી ન માગવા બદલ તેને ઘમંડી કહેવું ખોટું છે. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ફોજદારી પ્રક્રિયા સાથે ન્યાયિક પ્રક્રિયાના ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટે સુનાવણી કરશે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .