મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો જવાબ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-02 19:43:08

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં 'મોદી સરનેમ' મામલે વર્ષ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠરાવવા પર રોક લગાવવા માટે રિજોઇન્ડર એફિડેવિટ દાખલ કરી હતી. 'મોદી સરનેમ' કેસમાં સુરતની કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીએ સાંસદનું પદ ગુમાવ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના સોગંદનામામાં માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે તે "ગુના માટે દોષિત નથી અને સજાનો આ ચુકાદો નૈતિક રીતે ટકી શકે તેવો નથી".


રાહુલ ગાંધીએ સોગંધનામામાં શું કહ્યું?


રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું છે કે માફી માંગીને કેસમાં ચાલી રહેલા ટ્રાયલની દિશા બદલી શકાય છે. ઉપરાંત, RP એક્ટ હેઠળ ફોજદારી પ્રક્રિયા અને તેના પરિણામોનો ઉપયોગ પણ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો દુરુપયોગ હોઈ શકે છે. રાહુલે પોતાના સોગંદનામામાં કહ્યું છે કે કોઈ પણ જનપ્રતિનિધિને કોઈ પણ ભૂલ વિના માફી માંગવા માટે દબાણ કરી શકાય નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે માનહાનિ કેસમાં મહત્તમ સજાના પગલે તેમને સંસદનું સભ્ય પદ ગુમાવવું પડશે. પૂર્ણેશ મોદી પોતે મૂળ મોદી સમુદાયના નથી. આ પહેલા તેને કોઈપણ કેસમાં સજા થઈ નથી. માફી ન માગવા બદલ તેને ઘમંડી કહેવું ખોટું છે. આ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ફોજદારી પ્રક્રિયા સાથે ન્યાયિક પ્રક્રિયાના ઘોર દુરુપયોગ સમાન છે અને સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવું જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે 4 ઓગસ્ટે સુનાવણી કરશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે