Social Media Platform X પર Trend થયું ModiHaitoMumkinHain, Uttarkashi Tunnel Rescueની સાથે કરવામાં આવી રહ્યું છે પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-11-29 08:40:13

ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો ગઈકાલ રાત્રે સુરક્ષિત રીતે બહાર આવી ગયા. 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે છેલ્લા અનેક દિવસોથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ પદ્ધતિથી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મશીનોનો ઉપયોગ તેમજ મેન્યુઅલી શ્રમિકોની મદદથી ઓપરેશન જીંદગી સફળતા પૂર્વક પાર પડ્યું. શ્રમિકો બહાર આવ્યા તેની ખુશી સૌથી વધારે તેમના પરિવારજનોને થઈ હશે. આપણામાંથી અનેક લોકો તેમને ભલે સામાન્ય માણસ, શ્રમિક માનતા હોઈશું પરંતુ તેમના પરિવાર માટે તે સર્વસ્ય હશે. તેમના માતા પિતા માટે તે જીગરના ટુકાડા હશે.

રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેન્ડ થયું..

સોશિયલ મીડિયા X પર ઉત્તરકાશી ટનલ ઓપરેશન તો ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે પરંતુ રેસ્ક્યુના વીડિયો સાથે #ModiHaiToMumkinHain પણ ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે પણ આ # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. હજારોની સંખ્યામાં લોકોએ આ #સાથે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે! ઉત્તરકાશી ઉપરાંત બીજા પણ અનેક મુદ્દાને લઈ આ # સાથે ટ્વિટ કરવામાં આવ્યું છે પરંતુ મુખ્યત્વે ઉત્તરકાશી રેસ્ક્યુને લઈ ટ્વિટ કરવામાં આવ્યા છે. અહીંયા તો બહુ ઓછી ટ્વિટ દર્શાવવામાં આવી છે પરંતુ હજારો ટ્વિટ આ # સાથે કરવામાં આવી છે અને કરાઈ રહી છે. ત્યારે તમે આ વિશે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવો.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.