Social Media Platform X પર Trend થયું ModiHaitoMumkinHain, Uttarkashi Tunnel Rescueની સાથે કરવામાં આવી રહ્યું છે પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-11-29 08:40:13

ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો ગઈકાલ રાત્રે સુરક્ષિત રીતે બહાર આવી ગયા. 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે છેલ્લા અનેક દિવસોથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ પદ્ધતિથી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મશીનોનો ઉપયોગ તેમજ મેન્યુઅલી શ્રમિકોની મદદથી ઓપરેશન જીંદગી સફળતા પૂર્વક પાર પડ્યું. શ્રમિકો બહાર આવ્યા તેની ખુશી સૌથી વધારે તેમના પરિવારજનોને થઈ હશે. આપણામાંથી અનેક લોકો તેમને ભલે સામાન્ય માણસ, શ્રમિક માનતા હોઈશું પરંતુ તેમના પરિવાર માટે તે સર્વસ્ય હશે. તેમના માતા પિતા માટે તે જીગરના ટુકાડા હશે.

રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેન્ડ થયું..

સોશિયલ મીડિયા X પર ઉત્તરકાશી ટનલ ઓપરેશન તો ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે પરંતુ રેસ્ક્યુના વીડિયો સાથે #ModiHaiToMumkinHain પણ ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે પણ આ # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. હજારોની સંખ્યામાં લોકોએ આ #સાથે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે! ઉત્તરકાશી ઉપરાંત બીજા પણ અનેક મુદ્દાને લઈ આ # સાથે ટ્વિટ કરવામાં આવ્યું છે પરંતુ મુખ્યત્વે ઉત્તરકાશી રેસ્ક્યુને લઈ ટ્વિટ કરવામાં આવ્યા છે. અહીંયા તો બહુ ઓછી ટ્વિટ દર્શાવવામાં આવી છે પરંતુ હજારો ટ્વિટ આ # સાથે કરવામાં આવી છે અને કરાઈ રહી છે. ત્યારે તમે આ વિશે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવો.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .