Social Media Platform X પર Trend થયું ModiHaitoMumkinHain, Uttarkashi Tunnel Rescueની સાથે કરવામાં આવી રહ્યું છે પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-11-29 08:40:13

ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો ગઈકાલ રાત્રે સુરક્ષિત રીતે બહાર આવી ગયા. 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે છેલ્લા અનેક દિવસોથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ પદ્ધતિથી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મશીનોનો ઉપયોગ તેમજ મેન્યુઅલી શ્રમિકોની મદદથી ઓપરેશન જીંદગી સફળતા પૂર્વક પાર પડ્યું. શ્રમિકો બહાર આવ્યા તેની ખુશી સૌથી વધારે તેમના પરિવારજનોને થઈ હશે. આપણામાંથી અનેક લોકો તેમને ભલે સામાન્ય માણસ, શ્રમિક માનતા હોઈશું પરંતુ તેમના પરિવાર માટે તે સર્વસ્ય હશે. તેમના માતા પિતા માટે તે જીગરના ટુકાડા હશે.

રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેન્ડ થયું..

સોશિયલ મીડિયા X પર ઉત્તરકાશી ટનલ ઓપરેશન તો ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે પરંતુ રેસ્ક્યુના વીડિયો સાથે #ModiHaiToMumkinHain પણ ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે પણ આ # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. હજારોની સંખ્યામાં લોકોએ આ #સાથે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે! ઉત્તરકાશી ઉપરાંત બીજા પણ અનેક મુદ્દાને લઈ આ # સાથે ટ્વિટ કરવામાં આવ્યું છે પરંતુ મુખ્યત્વે ઉત્તરકાશી રેસ્ક્યુને લઈ ટ્વિટ કરવામાં આવ્યા છે. અહીંયા તો બહુ ઓછી ટ્વિટ દર્શાવવામાં આવી છે પરંતુ હજારો ટ્વિટ આ # સાથે કરવામાં આવી છે અને કરાઈ રહી છે. ત્યારે તમે આ વિશે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવો.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે