Social Media Platform X પર Trend થયું ModiHaitoMumkinHain, Uttarkashi Tunnel Rescueની સાથે કરવામાં આવી રહ્યું છે પોસ્ટ!


  • Published By :
  • Published Date : 2023-11-29 08:40:13

ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો ગઈકાલ રાત્રે સુરક્ષિત રીતે બહાર આવી ગયા. 41 શ્રમિકોના જીવનને બચાવવા માટે છેલ્લા અનેક દિવસોથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ અલગ પદ્ધતિથી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મશીનોનો ઉપયોગ તેમજ મેન્યુઅલી શ્રમિકોની મદદથી ઓપરેશન જીંદગી સફળતા પૂર્વક પાર પડ્યું. શ્રમિકો બહાર આવ્યા તેની ખુશી સૌથી વધારે તેમના પરિવારજનોને થઈ હશે. આપણામાંથી અનેક લોકો તેમને ભલે સામાન્ય માણસ, શ્રમિક માનતા હોઈશું પરંતુ તેમના પરિવાર માટે તે સર્વસ્ય હશે. તેમના માતા પિતા માટે તે જીગરના ટુકાડા હશે.

રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ ટ્રેન્ડ થયું..

સોશિયલ મીડિયા X પર ઉત્તરકાશી ટનલ ઓપરેશન તો ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે પરંતુ રેસ્ક્યુના વીડિયો સાથે #ModiHaiToMumkinHain પણ ગઈકાલથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ સમાચાર જ્યારે લખાઈ રહ્યા છે ત્યારે પણ આ # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે. હજારોની સંખ્યામાં લોકોએ આ #સાથે રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે! ઉત્તરકાશી ઉપરાંત બીજા પણ અનેક મુદ્દાને લઈ આ # સાથે ટ્વિટ કરવામાં આવ્યું છે પરંતુ મુખ્યત્વે ઉત્તરકાશી રેસ્ક્યુને લઈ ટ્વિટ કરવામાં આવ્યા છે. અહીંયા તો બહુ ઓછી ટ્વિટ દર્શાવવામાં આવી છે પરંતુ હજારો ટ્વિટ આ # સાથે કરવામાં આવી છે અને કરાઈ રહી છે. ત્યારે તમે આ વિશે શું કહેશો તે અમને કમેન્ટમાં જણાવો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.