મોહમ્મદ શમીએ કહ્યું "જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?...1000 વાર કહો શું ફરક પડે છે?"


  • Published By :
  • Published Date : 2024-02-09 17:14:11

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે 'એક હજાર વખત જય શ્રી રામ અને અલ્લાહ હૂ અકબર બોલવામાં કાંઈ ખોટું નથી. કેમ કે તેનાથી કોઈ ફરક નથી પડતો'. મોહમ્મદ શમીએ ન્યૂઝ 18 સાથેની ચર્ચામાં આ વાત કહીં હતી. તેમણે કહ્યું 'દરેક ધર્મમાં તમને 5થી 10 એવા લોકો મળી જશે જે અન્ય ધર્મના લોકોને પસંદ નથી કરતા. મને તેનાથી કોઈ મુશ્કેલી નથી'. 33 વર્ષીય મોહમ્મદ શમી હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ઘાયલ હોવાના કારણે તે નવેમ્બર 2023માં વન ડે ટૂર્નામેન્ટ ખતમ થાય તે પહેલા બહાર થઈ ગયા છે. 


1000 વખત બોલો જય શ્રી રામ


'જો રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?' મોહમ્મદ શમીએ કહ્યું, 'જ્યારે સઝદા કરવાની વાત આવી... રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે.1000 વખત બોલો જય શ્રી રામ. જો મારે અલ્લાહ હુ અકબર કહેવું હોય તો હું 1000 વાર કહીશ... તેનાથી શું ફરક પડે છે?' અગાઉ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે તે શા માટે તેના બંને ઘૂંટણથી જમીન પર બેઠો હતો, જેને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સજદા કરવાનો પ્રયાસ બતાવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.