મોહમ્મદ શમીએ કહ્યું "જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?...1000 વાર કહો શું ફરક પડે છે?"


  • Published By :
  • Published Date : 2024-02-09 17:14:11

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે 'એક હજાર વખત જય શ્રી રામ અને અલ્લાહ હૂ અકબર બોલવામાં કાંઈ ખોટું નથી. કેમ કે તેનાથી કોઈ ફરક નથી પડતો'. મોહમ્મદ શમીએ ન્યૂઝ 18 સાથેની ચર્ચામાં આ વાત કહીં હતી. તેમણે કહ્યું 'દરેક ધર્મમાં તમને 5થી 10 એવા લોકો મળી જશે જે અન્ય ધર્મના લોકોને પસંદ નથી કરતા. મને તેનાથી કોઈ મુશ્કેલી નથી'. 33 વર્ષીય મોહમ્મદ શમી હાલ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ઘાયલ હોવાના કારણે તે નવેમ્બર 2023માં વન ડે ટૂર્નામેન્ટ ખતમ થાય તે પહેલા બહાર થઈ ગયા છે. 


1000 વખત બોલો જય શ્રી રામ


'જો રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે?' મોહમ્મદ શમીએ કહ્યું, 'જ્યારે સઝદા કરવાની વાત આવી... રામ મંદિર બની રહ્યું છે તો જય શ્રી રામ બોલવામાં વાંધો શું છે.1000 વખત બોલો જય શ્રી રામ. જો મારે અલ્લાહ હુ અકબર કહેવું હોય તો હું 1000 વાર કહીશ... તેનાથી શું ફરક પડે છે?' અગાઉ શમીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે તે શા માટે તેના બંને ઘૂંટણથી જમીન પર બેઠો હતો, જેને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ સજદા કરવાનો પ્રયાસ બતાવ્યો હતો.



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.