રોડ પર ઘાયલ થયેલા વ્યક્તિને Mohammed Shamiએ કરી મદદ, ફેન્સે કહ્યું એક જ દિલ છે... જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-11-27 11:19:35

વર્લ્ડ કપની મેચ બાદ મોહમ્મદ શમીની ચર્ચા થઈ રહી છે. વર્લ્ડ કપ 2023 વખતે પોતાની શાનદાર બોલિંગને કારણે તેમની ચારેય તરફ વાહવાહી થઈ હતી. પીએમ મોદીએ પણ તેમને લઈ ટ્વિટ કરી હતી. વર્લ્ડ કપની મેચ ભલે ખતમ થઈ ગઈ પરંતુ મોહમ્મદ શમીની ચર્ચા શાંત લેવાનું નામ નથી લઈ રહી.  તેમની ચર્ચાઓ વચ્ચે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને મદદ કરી રહ્યા છે. તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ તેમના ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

મોહમ્મદ શમીએ કરી ઈજાગ્રસ્તની મદદ

જે વીડિયો સામે આવ્યો છે તે અંગે મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપની મેચ પત્યા બાદ મોહમ્મદ શમી નૈનિતાલ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની સામે જ બીજી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. આ ઘટના બન્યા બાદ મોહમ્મદ શમી પોતાની ગાડીમાંથી ઉતર્યા અને ઘાયલોની મદદ કરવા માટે પહોંચી ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે મોહમ્મદ શમીએ લખ્યું કે 'તે (ઘાયલ માણસ) ખૂબ નસીબદાર હતો. ભગવાને તેને બીજું જીવન આપ્યું. તેમની કાર મારી નજર સામે નૈનીતાલ પાસે પહાડી માર્ગ પરથી નીચે પડી હતી. અમે તેમને સલામત રીતે બહાર કાઢ્યા. શમીએ આની સાથે લખ્યું કે કોઈની જિંદગી બચાવીને તે ઘણા ખુશ છે. 



વીડિયો વાયરલ થતા ફેન્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા 

આ વીડિયો સામે આવતા મોહમ્મદ શમીના લોકો વખાણ કરી રહ્યા છે. લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. કમેન્ટમાં તેમના ચાહકોએ લખ્યું કે "પીચ પર ભારતીય ટીમને બચાવી અને અહીં એક સામાન્ય નાગરિકને બચાવ્યો."  તો કોઈએ લખ્યું કે “શમી પિચ પર બોલિંગમાં જેટલો ખતરનાક છે, તે પિચની બહાર પણ તેટલો જ દયાળુ છે. શમી તને સલામ." તો કોઈ ફેને લખ્યું કે એક જ દિલ છે કેટલી વાર જીતશો શમી ભાઈ." તો કોઈએ લખ્યું "એકલા શમી ભાઈ શું શું સંભાળે". મહત્વનું છે કે વર્લ્ડ કપ દરમિયાન શમી દ્વારા કરવામાં આવેલા પ્રદર્શને લોકોનું દિલ જીતી લીધું છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.