રોડ પર ઘાયલ થયેલા વ્યક્તિને Mohammed Shamiએ કરી મદદ, ફેન્સે કહ્યું એક જ દિલ છે... જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-11-27 11:19:35

વર્લ્ડ કપની મેચ બાદ મોહમ્મદ શમીની ચર્ચા થઈ રહી છે. વર્લ્ડ કપ 2023 વખતે પોતાની શાનદાર બોલિંગને કારણે તેમની ચારેય તરફ વાહવાહી થઈ હતી. પીએમ મોદીએ પણ તેમને લઈ ટ્વિટ કરી હતી. વર્લ્ડ કપની મેચ ભલે ખતમ થઈ ગઈ પરંતુ મોહમ્મદ શમીની ચર્ચા શાંત લેવાનું નામ નથી લઈ રહી.  તેમની ચર્ચાઓ વચ્ચે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને મદદ કરી રહ્યા છે. તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ તેમના ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

મોહમ્મદ શમીએ કરી ઈજાગ્રસ્તની મદદ

જે વીડિયો સામે આવ્યો છે તે અંગે મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપની મેચ પત્યા બાદ મોહમ્મદ શમી નૈનિતાલ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની સામે જ બીજી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. આ ઘટના બન્યા બાદ મોહમ્મદ શમી પોતાની ગાડીમાંથી ઉતર્યા અને ઘાયલોની મદદ કરવા માટે પહોંચી ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે મોહમ્મદ શમીએ લખ્યું કે 'તે (ઘાયલ માણસ) ખૂબ નસીબદાર હતો. ભગવાને તેને બીજું જીવન આપ્યું. તેમની કાર મારી નજર સામે નૈનીતાલ પાસે પહાડી માર્ગ પરથી નીચે પડી હતી. અમે તેમને સલામત રીતે બહાર કાઢ્યા. શમીએ આની સાથે લખ્યું કે કોઈની જિંદગી બચાવીને તે ઘણા ખુશ છે. 



વીડિયો વાયરલ થતા ફેન્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા 

આ વીડિયો સામે આવતા મોહમ્મદ શમીના લોકો વખાણ કરી રહ્યા છે. લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. કમેન્ટમાં તેમના ચાહકોએ લખ્યું કે "પીચ પર ભારતીય ટીમને બચાવી અને અહીં એક સામાન્ય નાગરિકને બચાવ્યો."  તો કોઈએ લખ્યું કે “શમી પિચ પર બોલિંગમાં જેટલો ખતરનાક છે, તે પિચની બહાર પણ તેટલો જ દયાળુ છે. શમી તને સલામ." તો કોઈ ફેને લખ્યું કે એક જ દિલ છે કેટલી વાર જીતશો શમી ભાઈ." તો કોઈએ લખ્યું "એકલા શમી ભાઈ શું શું સંભાળે". મહત્વનું છે કે વર્લ્ડ કપ દરમિયાન શમી દ્વારા કરવામાં આવેલા પ્રદર્શને લોકોનું દિલ જીતી લીધું છે. 




સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.