રોડ પર ઘાયલ થયેલા વ્યક્તિને Mohammed Shamiએ કરી મદદ, ફેન્સે કહ્યું એક જ દિલ છે... જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-11-27 11:19:35

વર્લ્ડ કપની મેચ બાદ મોહમ્મદ શમીની ચર્ચા થઈ રહી છે. વર્લ્ડ કપ 2023 વખતે પોતાની શાનદાર બોલિંગને કારણે તેમની ચારેય તરફ વાહવાહી થઈ હતી. પીએમ મોદીએ પણ તેમને લઈ ટ્વિટ કરી હતી. વર્લ્ડ કપની મેચ ભલે ખતમ થઈ ગઈ પરંતુ મોહમ્મદ શમીની ચર્ચા શાંત લેવાનું નામ નથી લઈ રહી.  તેમની ચર્ચાઓ વચ્ચે તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક એક્સિડન્ટમાં ઘાયલ વ્યક્તિને મદદ કરી રહ્યા છે. તેમનો આ વીડિયો વાયરલ થયા બાદ તેમના ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

મોહમ્મદ શમીએ કરી ઈજાગ્રસ્તની મદદ

જે વીડિયો સામે આવ્યો છે તે અંગે મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપની મેચ પત્યા બાદ મોહમ્મદ શમી નૈનિતાલ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારની સામે જ બીજી ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. આ ઘટના બન્યા બાદ મોહમ્મદ શમી પોતાની ગાડીમાંથી ઉતર્યા અને ઘાયલોની મદદ કરવા માટે પહોંચી ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે મોહમ્મદ શમીએ લખ્યું કે 'તે (ઘાયલ માણસ) ખૂબ નસીબદાર હતો. ભગવાને તેને બીજું જીવન આપ્યું. તેમની કાર મારી નજર સામે નૈનીતાલ પાસે પહાડી માર્ગ પરથી નીચે પડી હતી. અમે તેમને સલામત રીતે બહાર કાઢ્યા. શમીએ આની સાથે લખ્યું કે કોઈની જિંદગી બચાવીને તે ઘણા ખુશ છે. 



વીડિયો વાયરલ થતા ફેન્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા 

આ વીડિયો સામે આવતા મોહમ્મદ શમીના લોકો વખાણ કરી રહ્યા છે. લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. કમેન્ટમાં તેમના ચાહકોએ લખ્યું કે "પીચ પર ભારતીય ટીમને બચાવી અને અહીં એક સામાન્ય નાગરિકને બચાવ્યો."  તો કોઈએ લખ્યું કે “શમી પિચ પર બોલિંગમાં જેટલો ખતરનાક છે, તે પિચની બહાર પણ તેટલો જ દયાળુ છે. શમી તને સલામ." તો કોઈ ફેને લખ્યું કે એક જ દિલ છે કેટલી વાર જીતશો શમી ભાઈ." તો કોઈએ લખ્યું "એકલા શમી ભાઈ શું શું સંભાળે". મહત્વનું છે કે વર્લ્ડ કપ દરમિયાન શમી દ્વારા કરવામાં આવેલા પ્રદર્શને લોકોનું દિલ જીતી લીધું છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.