ભારત જોડો યાત્રામાં જોડાવા મોહન ભાગવતને અપાયું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:58:52

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલની આ યાત્રા પર અનેક નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે RSSના વડા મોહન ભાગવત પર પ્રહાર કર્યા છે. થોડા દિવસો પહેલા મોહન ભાગવત દિલ્હી ખાતે સ્થિત એક મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં જઈ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ સાથે મુલાકાત કરી હતી. જેને લઈ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કટાક્ષ કર્યો હતો. પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજુ માત્ર 15 દિવસ થયા છે અને ભાજપમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે.

RSS chief is 'rashtra pita', says AIIO chief imam after meeting | India  News,The Indian Express

પવન ખેરાએ મોહન ભાગવત પર કર્યો કટાક્ષ 

ટ્વિટ કરતા તેમણે કહ્યું કે પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજું 15 દિવસ થયા છે અને ભાજપના પ્રવક્તા ગોર્ડસે મુર્દાબાદ બોલવા લાગ્યા, મંત્રીઓ મીડિયાના કારણે ફેલાતી નફરત મામલે ચિંતિંત થવા લાગ્યા અને મોહન ભાગવત ઈમામ પાસે પહોંચી ગયા.આગળ આગળ જુઓ શું બને છે.


ભારત જોડો યાત્રામાં સામેલ થવા ભાગવતને અપાયું આમંત્રણ

પવન ખેરા ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, અમે લોકો મોહન ભાગવતને અનુરોધ કરીએ છીએ કે જ્યારે અમુક દિવસની યાત્રાની આટલી અસર પડી છે તો તેઓ એક કલાક માટે આ યાત્રામાં સામેલ થઈ જાય. અને રાહુલ ગાંધી સાથે ભારત માતાના નારા લગાવે.


Bharat Jodo Yatra images impact Rahul Gandhi 2022



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.