ભારત જોડો યાત્રામાં જોડાવા મોહન ભાગવતને અપાયું આમંત્રણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 16:58:52

કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલની આ યાત્રા પર અનેક નેતાઓ કટાક્ષ કરી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસે RSSના વડા મોહન ભાગવત પર પ્રહાર કર્યા છે. થોડા દિવસો પહેલા મોહન ભાગવત દિલ્હી ખાતે સ્થિત એક મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં જઈ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ સાથે મુલાકાત કરી હતી. જેને લઈ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કટાક્ષ કર્યો હતો. પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજુ માત્ર 15 દિવસ થયા છે અને ભાજપમાં ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે.

RSS chief is 'rashtra pita', says AIIO chief imam after meeting | India  News,The Indian Express

પવન ખેરાએ મોહન ભાગવત પર કર્યો કટાક્ષ 

ટ્વિટ કરતા તેમણે કહ્યું કે પવન ખેરાએ કહ્યું કે ભારત જોડો યાત્રાને હજું 15 દિવસ થયા છે અને ભાજપના પ્રવક્તા ગોર્ડસે મુર્દાબાદ બોલવા લાગ્યા, મંત્રીઓ મીડિયાના કારણે ફેલાતી નફરત મામલે ચિંતિંત થવા લાગ્યા અને મોહન ભાગવત ઈમામ પાસે પહોંચી ગયા.આગળ આગળ જુઓ શું બને છે.


ભારત જોડો યાત્રામાં સામેલ થવા ભાગવતને અપાયું આમંત્રણ

પવન ખેરા ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે, અમે લોકો મોહન ભાગવતને અનુરોધ કરીએ છીએ કે જ્યારે અમુક દિવસની યાત્રાની આટલી અસર પડી છે તો તેઓ એક કલાક માટે આ યાત્રામાં સામેલ થઈ જાય. અને રાહુલ ગાંધી સાથે ભારત માતાના નારા લગાવે.


Bharat Jodo Yatra images impact Rahul Gandhi 2022



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.