RSSના સ્થાપના દિવસે મોહન ભાગવતે કરી અનેક મુદ્દાઓ પર વાત, કહ્યું શક્તિ જ શાંતિનો આધાર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 15:49:44

વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન કરવાની પરંપરા છે. ત્યારે નાગપુર ખાતે સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે. 1925માં વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજા બાદ આરએસએસના વડા મોહન ભાગવતે સંબોધન આપ્યું હતું.

'સમાન જનસંખ્યા પોલિસી બનવી જોઈએ' 

સંઘ પ્રમુખે પોતાના વ્યક્ત દરમિયાન જનસંખ્યા પર નિવેદન આપ્યું હતું. પોતોના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશમાં ગંભીર મંથન બાદ વ્યાપક જનસંખ્યા પોલિસી લાવી જોઈએ. જનસંખ્યામાં પ્રમાણનું પણ સંતુલન હોવું જોઈએ, આપણે જનસંખ્યા અસંતુલનના ગંભીર પરિણામો ભોગવ્યા જ છે. 50 વર્ષ પહેલા બનેલું પરંતુ આજના સમયે પણ એવું જ બની જ ગયું છે. વસ્તીનું અસંતુલન ભૌગેલિક સીમાઓમાં પરિવર્તન તરફ દોરી જાય છે. વસ્તી નિયંત્રણ અને ધર્મ આધારિત વસ્તી સંતુલન એક નાનો વિષય છે જેને હવે અવગણી શકાય તેમ નથી. તેથી એક સર્વગ્રહી વસ્તી નીતિ લાવવી જોઈએ અને તે બધા પર સમાનરૂપે લાગૂ થવી જોઈએ.

 

માતૃશક્તિ પર આપ્યું મોહન ભાગવતે નિવેદન   

વધુમાં તેમણે કહ્યું કે શક્તિએ શુભ અને શાંતિનો આધાર છે. મહિલા સશક્તિકરણ વિશે તેમણે કહ્યું કે આપણે તેમને જગતજનની માનીએ છીએ, પરંતુ તેમને બંધનમાં બાંધો તે યોગ્ય નથી. માતૃશક્તિને જાગૃત કરવાનો કાર્યક્રમ પરિવારથી શરૂ કરવો પડશે. નિર્ણય લેવામાં મહિલાઓને આગળ લાવવા પડશે. તેમનો આદર કરવો પડશે. પરિવારમાં માતૃશક્તિ અને નિર્ણયની સ્વતંત્રતાને સમાન અધિકાર આપવો જોઈએ. માણસ જે પણ કામ કરે છે તે માતૃશક્તિથી થઈ શકે છે, પરંતુ માતૃશક્તિ જે કંઈ કરી શકે છે, તે માણસ બધાં કરી શક્તો નથી. મહત્વનું છે કે પહેલી વખત વિજયા દશમીના કાર્યક્રમમાં એક મહિલાને મુખ્યમહેમાન બનાવવામાં આવ્યા હતા. 97 વર્ષના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બની છે જેમાં માઉન્ટ એવરેસ્ટને બે વખત સર કરનાર ભારતીય મહિલા વિશેષ અતિથિ બન્યા હતા.

   

ભારતનું સન્માન વિશ્વભરમાં વધ્યું

મોહન ભાગવતે કહ્યું કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમે લંકાને તેની નાણાકીય કટોકટીમાં મદદ કરી, યુક્રેનમાં અમેરિકા અને રશિયા વચ્ચેની લડાઈમાં અમે અમારા હિતોને સૌથી આગળ રાખ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં આપણ સતત સફળ થઈ રહ્યા છીએ અને આત્મનિર્ભર બની રહ્યા છીએ. આ કાર્યક્રમમાં નીતિન ગડકરી તેમજ દેવેન્દ્ર ફડનવીસ ઉપસ્થિત રહ્યા હતા.          



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.