RSSના સ્થાપના દિવસે મોહન ભાગવતે કરી અનેક મુદ્દાઓ પર વાત, કહ્યું શક્તિ જ શાંતિનો આધાર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 15:49:44

વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન કરવાની પરંપરા છે. ત્યારે નાગપુર ખાતે સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું છે. 1925માં વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજા બાદ આરએસએસના વડા મોહન ભાગવતે સંબોધન આપ્યું હતું.

'સમાન જનસંખ્યા પોલિસી બનવી જોઈએ' 

સંઘ પ્રમુખે પોતાના વ્યક્ત દરમિયાન જનસંખ્યા પર નિવેદન આપ્યું હતું. પોતોના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશમાં ગંભીર મંથન બાદ વ્યાપક જનસંખ્યા પોલિસી લાવી જોઈએ. જનસંખ્યામાં પ્રમાણનું પણ સંતુલન હોવું જોઈએ, આપણે જનસંખ્યા અસંતુલનના ગંભીર પરિણામો ભોગવ્યા જ છે. 50 વર્ષ પહેલા બનેલું પરંતુ આજના સમયે પણ એવું જ બની જ ગયું છે. વસ્તીનું અસંતુલન ભૌગેલિક સીમાઓમાં પરિવર્તન તરફ દોરી જાય છે. વસ્તી નિયંત્રણ અને ધર્મ આધારિત વસ્તી સંતુલન એક નાનો વિષય છે જેને હવે અવગણી શકાય તેમ નથી. તેથી એક સર્વગ્રહી વસ્તી નીતિ લાવવી જોઈએ અને તે બધા પર સમાનરૂપે લાગૂ થવી જોઈએ.

 

માતૃશક્તિ પર આપ્યું મોહન ભાગવતે નિવેદન   

વધુમાં તેમણે કહ્યું કે શક્તિએ શુભ અને શાંતિનો આધાર છે. મહિલા સશક્તિકરણ વિશે તેમણે કહ્યું કે આપણે તેમને જગતજનની માનીએ છીએ, પરંતુ તેમને બંધનમાં બાંધો તે યોગ્ય નથી. માતૃશક્તિને જાગૃત કરવાનો કાર્યક્રમ પરિવારથી શરૂ કરવો પડશે. નિર્ણય લેવામાં મહિલાઓને આગળ લાવવા પડશે. તેમનો આદર કરવો પડશે. પરિવારમાં માતૃશક્તિ અને નિર્ણયની સ્વતંત્રતાને સમાન અધિકાર આપવો જોઈએ. માણસ જે પણ કામ કરે છે તે માતૃશક્તિથી થઈ શકે છે, પરંતુ માતૃશક્તિ જે કંઈ કરી શકે છે, તે માણસ બધાં કરી શક્તો નથી. મહત્વનું છે કે પહેલી વખત વિજયા દશમીના કાર્યક્રમમાં એક મહિલાને મુખ્યમહેમાન બનાવવામાં આવ્યા હતા. 97 વર્ષના ઈતિહાસમાં આ ઘટના પ્રથમ વખત બની છે જેમાં માઉન્ટ એવરેસ્ટને બે વખત સર કરનાર ભારતીય મહિલા વિશેષ અતિથિ બન્યા હતા.

   

ભારતનું સન્માન વિશ્વભરમાં વધ્યું

મોહન ભાગવતે કહ્યું કે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. અમે લંકાને તેની નાણાકીય કટોકટીમાં મદદ કરી, યુક્રેનમાં અમેરિકા અને રશિયા વચ્ચેની લડાઈમાં અમે અમારા હિતોને સૌથી આગળ રાખ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં આપણ સતત સફળ થઈ રહ્યા છીએ અને આત્મનિર્ભર બની રહ્યા છીએ. આ કાર્યક્રમમાં નીતિન ગડકરી તેમજ દેવેન્દ્ર ફડનવીસ ઉપસ્થિત રહ્યા હતા.          



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.