મોહનથાળ પ્રસાદનો ગરમાયો મુદ્દો! અંબાજીમાં આજે કરાયું છે બંધનું એલાન, કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ કર્યો હતો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-11 11:41:34

છેલ્લા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મોહનથાળ પ્રસાદ બંધ થતા માઈ ભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની ભક્તો માગ કરી રહ્યા છે. જો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી વિવિધ સંગઠન દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈ ગંભીર બની છે. ત્યારે આજે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

New Project 2023 03 11T100812.781



અંબાજીમાં કરાયું છે બંધનું એલાન  

મોહનથાળ પ્રસાદનો વિવાદ સતત વધી રહ્યો છે. ગયા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મહાપ્રસાદ ગણાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચિક્કી લેવાનું ભક્તો ટાળી રહ્યા છે. વિવિધ સંગઠનો દ્વારા મોહનથાળ પ્રસાદ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે આજે અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. લોકો સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ રાખશે. આ મુદ્દો ધાર્મિક મુદ્દો છે પરંતુ તેમાં રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. 


કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કરાયો હતો વિરોધ 

વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે  મોહનથાળ પ્રસાદનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં મોહનથાળની વહેંચણી કરી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નારા લગવી ગૃહની બહાર નીકળી ગયા હતા. તે ઉપરાંત કોંગ્રેસ રવિવારે મંદિરોમાં મોહનથાળ પ્રસાદની વહેંચણી કરવાની છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.