મોહનથાળ પ્રસાદનો ગરમાયો મુદ્દો! અંબાજીમાં આજે કરાયું છે બંધનું એલાન, કોંગ્રેસે પણ આ મુદ્દાને લઈ કર્યો હતો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-03-11 11:41:34

છેલ્લા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મોહનથાળ પ્રસાદ બંધ થતા માઈ ભક્તોમાં નારાજગી વ્યાપી ઉઠી હતી. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની ભક્તો માગ કરી રહ્યા છે. જો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી વિવિધ સંગઠન દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈ ગંભીર બની છે. ત્યારે આજે અંબાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

New Project 2023 03 11T100812.781



અંબાજીમાં કરાયું છે બંધનું એલાન  

મોહનથાળ પ્રસાદનો વિવાદ સતત વધી રહ્યો છે. ગયા અઠવાડિયાથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મહાપ્રસાદ ગણાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઈભક્તોમાં તેમજ સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચિક્કી લેવાનું ભક્તો ટાળી રહ્યા છે. વિવિધ સંગઠનો દ્વારા મોહનથાળ પ્રસાદ ફરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. ત્યારે આજે અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. લોકો સ્વૈચ્છિક રીતે ધંધા રોજગાર બંધ રાખશે. આ મુદ્દો ધાર્મિક મુદ્દો છે પરંતુ તેમાં રાજકારણની એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પણ ધરણા કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. 


કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં કરાયો હતો વિરોધ 

વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન અનેક મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા પ્રશ્નો અને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અનેક વખત વિરોધ પ્રદર્શન પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે  મોહનથાળ પ્રસાદનો મુદ્દો પણ ગૃહમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં મોહનથાળની વહેંચણી કરી હતી. બોલ મારી અંબે જય જય અંબેના નારા લગવી ગૃહની બહાર નીકળી ગયા હતા. તે ઉપરાંત કોંગ્રેસ રવિવારે મંદિરોમાં મોહનથાળ પ્રસાદની વહેંચણી કરવાની છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.