ઝોમેટોના કો-ફાઉન્ડર પદ પરથી મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-19 12:27:23

છેલ્લા ઘણા સમયથી ઝોમેટોના અનેક કર્મચારીઓ કંપનીને છોડી રહ્યા છે. આ જ સપ્તાહમાં આ ત્રીજું મોટું રાજીનામું પડ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ ઝોમેટોને અલવિદા કહી દીધું છે. કંપનીના કો-ફાઉન્ડર પદેથી રાજીનામું આપ્યા પાછળનું કારણ જણાવતા મોહિતે કહ્યું કે હું એક નવા એડવેન્ચરની શોધમાં ઝોમેટોમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેથી હું જીંદગીની મજા માણી શકું.

Mohit Gupta - Wikipedia

Zomato co-founder Mohit Gupta resigns Zomato: ઝોમેટાના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું

આ સપ્તાહમાં અનેક અધિકારીઓએ છોડી કંપની 

ઝોમેટોએ ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની છે. ઝોમેટોને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. કંપનીના કો-ફાઉન્ડરે કંપનીને ગુડબાય કહી દીધું છે. આ જ સપ્તાહમાં ઝોમેટોના ન્યુ ઈનિશિયેટિવ હેડ રાહુલ ગંજૂએ રાજીનામું આપી દીધું હતું ઉપરાંત કંપનીના ઈન્ટરસિટિ લીજેન્ડસ સર્વિસના હેડ સિદ્ધાર્થ ઝાવરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને આ જ સપ્તાહમાં મોહિત ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. 2018માં મોહિત ગુપ્તાએ ફૂડ ડિલિવરી સેગમેન્ટના હેડ તરીકે કંપનીને જોઈન કરી હતી. બાદમાં 2021માં તેઓ કંપનીના કો-ફાઉન્ડર બન્યા.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.