ઝોમેટોના કો-ફાઉન્ડર પદ પરથી મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-19 12:27:23

છેલ્લા ઘણા સમયથી ઝોમેટોના અનેક કર્મચારીઓ કંપનીને છોડી રહ્યા છે. આ જ સપ્તાહમાં આ ત્રીજું મોટું રાજીનામું પડ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ ઝોમેટોને અલવિદા કહી દીધું છે. કંપનીના કો-ફાઉન્ડર પદેથી રાજીનામું આપ્યા પાછળનું કારણ જણાવતા મોહિતે કહ્યું કે હું એક નવા એડવેન્ચરની શોધમાં ઝોમેટોમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેથી હું જીંદગીની મજા માણી શકું.

Mohit Gupta - Wikipedia

Zomato co-founder Mohit Gupta resigns Zomato: ઝોમેટાના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું

આ સપ્તાહમાં અનેક અધિકારીઓએ છોડી કંપની 

ઝોમેટોએ ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની છે. ઝોમેટોને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. કંપનીના કો-ફાઉન્ડરે કંપનીને ગુડબાય કહી દીધું છે. આ જ સપ્તાહમાં ઝોમેટોના ન્યુ ઈનિશિયેટિવ હેડ રાહુલ ગંજૂએ રાજીનામું આપી દીધું હતું ઉપરાંત કંપનીના ઈન્ટરસિટિ લીજેન્ડસ સર્વિસના હેડ સિદ્ધાર્થ ઝાવરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને આ જ સપ્તાહમાં મોહિત ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. 2018માં મોહિત ગુપ્તાએ ફૂડ ડિલિવરી સેગમેન્ટના હેડ તરીકે કંપનીને જોઈન કરી હતી. બાદમાં 2021માં તેઓ કંપનીના કો-ફાઉન્ડર બન્યા.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.