ઝોમેટોના કો-ફાઉન્ડર પદ પરથી મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-19 12:27:23

છેલ્લા ઘણા સમયથી ઝોમેટોના અનેક કર્મચારીઓ કંપનીને છોડી રહ્યા છે. આ જ સપ્તાહમાં આ ત્રીજું મોટું રાજીનામું પડ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ ઝોમેટોને અલવિદા કહી દીધું છે. કંપનીના કો-ફાઉન્ડર પદેથી રાજીનામું આપ્યા પાછળનું કારણ જણાવતા મોહિતે કહ્યું કે હું એક નવા એડવેન્ચરની શોધમાં ઝોમેટોમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેથી હું જીંદગીની મજા માણી શકું.

Mohit Gupta - Wikipedia

Zomato co-founder Mohit Gupta resigns Zomato: ઝોમેટાના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું

આ સપ્તાહમાં અનેક અધિકારીઓએ છોડી કંપની 

ઝોમેટોએ ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની છે. ઝોમેટોને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. કંપનીના કો-ફાઉન્ડરે કંપનીને ગુડબાય કહી દીધું છે. આ જ સપ્તાહમાં ઝોમેટોના ન્યુ ઈનિશિયેટિવ હેડ રાહુલ ગંજૂએ રાજીનામું આપી દીધું હતું ઉપરાંત કંપનીના ઈન્ટરસિટિ લીજેન્ડસ સર્વિસના હેડ સિદ્ધાર્થ ઝાવરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને આ જ સપ્તાહમાં મોહિત ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. 2018માં મોહિત ગુપ્તાએ ફૂડ ડિલિવરી સેગમેન્ટના હેડ તરીકે કંપનીને જોઈન કરી હતી. બાદમાં 2021માં તેઓ કંપનીના કો-ફાઉન્ડર બન્યા.   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.