ઝોમેટોના કો-ફાઉન્ડર પદ પરથી મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-19 12:27:23

છેલ્લા ઘણા સમયથી ઝોમેટોના અનેક કર્મચારીઓ કંપનીને છોડી રહ્યા છે. આ જ સપ્તાહમાં આ ત્રીજું મોટું રાજીનામું પડ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ ઝોમેટોને અલવિદા કહી દીધું છે. કંપનીના કો-ફાઉન્ડર પદેથી રાજીનામું આપ્યા પાછળનું કારણ જણાવતા મોહિતે કહ્યું કે હું એક નવા એડવેન્ચરની શોધમાં ઝોમેટોમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેથી હું જીંદગીની મજા માણી શકું.

Mohit Gupta - Wikipedia

Zomato co-founder Mohit Gupta resigns Zomato: ઝોમેટાના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપ્યું રાજીનામું

આ સપ્તાહમાં અનેક અધિકારીઓએ છોડી કંપની 

ઝોમેટોએ ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની છે. ઝોમેટોને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. કંપનીના કો-ફાઉન્ડરે કંપનીને ગુડબાય કહી દીધું છે. આ જ સપ્તાહમાં ઝોમેટોના ન્યુ ઈનિશિયેટિવ હેડ રાહુલ ગંજૂએ રાજીનામું આપી દીધું હતું ઉપરાંત કંપનીના ઈન્ટરસિટિ લીજેન્ડસ સર્વિસના હેડ સિદ્ધાર્થ ઝાવરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અને આ જ સપ્તાહમાં મોહિત ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. 2018માં મોહિત ગુપ્તાએ ફૂડ ડિલિવરી સેગમેન્ટના હેડ તરીકે કંપનીને જોઈન કરી હતી. બાદમાં 2021માં તેઓ કંપનીના કો-ફાઉન્ડર બન્યા.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.