Ahmedabadની આ સોસાયટીમાં આજે પણ કરાય છે મહોલ્લા માતાની સ્થાપના, તસવીરો જોઈ બાળપણના દિવસો યાદ આવશે!


  • Published By :
  • Published Date : 2023-10-18 14:16:30

હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. ઠેર-ઠેર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. સોસાયટીમાં, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. ગમે તે તહેવાર કેમ ન હોય પરંતુ તેની ઉજવણી ત્યાં સુધી અધૂરી લાગે છે જ્યાં સુધી એ તહેવારમાં ગરબા ન કરવામાં આવે. ગરબાને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ હોય છે. પહેલા શેરીઓમાં ગરબા રમતા હતા, તે પછી સોસાયટીમાં ગરબાની શરૂઆત થઈ અને હવે તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાઈ રહ્યા છે. દરેક પર્વની સાથે પરંપરાઓ જોડાયેલી હોય છે પરંતુ સમયની સાથે સાથે એ પરંપરાઓમાં બદલાવ આવતા હોય છે અથવા તો એ પરંપરા વિસરાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક પરંપરા છે જ્યાં ગરબા રમાતા હોય ત્યાં માટીથી ગબ્બર બનાવી માતાજીની સ્થાપના કરવી.   અમદાવાદ: નવરાત્રી આવતા જ આપણને સૌને બાળપણના દિવસો યાદ આવી જાય છે. પહેલા શેરી ગરબા થતા હતા. જેમાં બધા છોકરાઓ ભેગા મળી ગબ્બર બનાવતા.જ્યારે આજના ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ભૂંસાઈ રહી છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટીના બાળકો દ્વારા સુંદર પાવાગઢ બનાવવામાં આવ્યો છે.


મહોલ્લા માતાની કરવામાં આવતી હતી સ્થાપના 

કોઈ પણ તહેવાર આપણે ઉજવીય છે તેની પાછળ સંસ્કૃતિ, પરંપરા જોડાયેલી હોય છે. નવરાત્રીની ઉજવણી દરમિયાન ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. એક સમય હતો જ્યારે નવરાત્રી દરમિયાન બાળકો દ્વારા મહોલ્લા માતા બનાવવામાં આવતા. મહોલ્લા માતાજીની સ્થાપના કરવામાં આવતી હતી. પરંતુ સમયની સાથે સાથે આ પરંપરા વિસરાઈ ગઈ. હવે ટેબલ પર માતાજીનો ફોટો રાખવામાં આવે છે અને તેની આજુબાજુ ગરબા કરવામાં આવે છે. પરંતુ એક સમય હતો જ્યારે મહોલ્લા માતાની આસપાસ ગરબા રમાતા હતા. પરંતુ મહોલ્લા માતાની સ્થાપના નથી કરવામાં આવતી. ત્યારે અમદાવાદમાં આજે પણ એક સોસાયટી છે જ્યાં માટીના મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવી છે.

 સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન નવ દિવસ મહોલ્લા માતાની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવાની પ્રાચીન પરંપરાને હજુ પણ કેટલીક જગ્યાએ જાળવી રાખી છે. જેમાં નવા નરોડાની કર્મભૂમિ સોસાયટી, સિટી વિસ્તારની માંડવીની પોળ, વિંછીની પોળ વગેરે જગ્યાએ માટીમાંથી પહાડ, નદી, તળાવ, રસ્તા, ગુફા વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે ફુવારા, ઉડનખટોલા, નાના નાના રમકડાથી સજાવટ પણ કરવામાં આવે છે.

નવરાત્રી પહેલા સોસાટીમાં બાળકો બનાવતા હતા મહોલ્લા માતા 

બાળકોમાં નાનપણથી ઈશ્વર પ્રત્યે આસ્થા જાગે તે માટે વાલીઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. માતાજી પ્રત્યે બાળકોને આસ્થા જાગે તે માટે ગામ, સોસાયટી, પોળમાં ગબ્બરની સ્થાપના કરવામાં આવે છે. માતાજીના તીર્થસ્થાન એવા ગબ્બરને બનાવવામાં આવે છે અને એમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. મહોલ્લા માતા બનાવવામાં આવે છે જેમાં માટીમાંથી પહાડ, નદી, તળાવ, રસ્તા, ગુફા વગેરે બનાવવામાં આવે છે. સાથે સાથે ફુવારા, ઉડનખટોલા, નાના નાના રમકડાથી સજાવટ પણ કરવામાં આવે છે. પરંતુ ધીરે ધીરે આ પરંપરા બદલાઈ રહી છે. 

  નવરાત્રી દરમિયાન શેરીઓમાં ગબ્બર બનાવવાનું અનોખું મહત્વ રહેલું છે. ત્યારે આ ગબ્બર પર બિરાજતા મહોલ્લા માતા જેને લોકો મલ્લા માતાના નામથી ઓળખે છે. કહેવાય છે કે મલ્લા માતાની સ્થાપના કરવાથી માતાજી આખું વર્ષ તમારા મહોલ્લા એટલે કે સોસાયટીની રક્ષા કરે છે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે બદલાતા સમય સાથે આ પરંપરા વિસરાઈ રહી છે.

નરોડામાં આવેલી આ સોસાયટીમાં બાળકોએ પાવાગઢ બનાવ્યો   

સમયની સાથે પરંપરામાં અનેકો બદલાવ આવતા હોય છે. અનેક પરંપરાઓ એવી છે જે વિસરાઈ જતી હોય છે. આ નવરાત્રીમાં જ અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રોબોટ દ્વારા આરતી કરવામાં આવે છે. સમયની સાથે માણસો પોતાની પરંપરા ભૂલતો જાય છે. મહોલ્લા માતા બનાવ્યા હોય તેવી સોસાયટીઓ તો મળતી નથી પરંતુ અમદાવાદમાં એક એવી સોસાયટી છે જ્યાં આજે પણ બાળકો દ્વારા મહોલ્લા માતાની સ્થાપના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહોલ્લા માતાની સ્થાપના કરવાથી માતાજી આખું વર્ષ સોસાયટીની રક્ષા કરે છે. ત્યારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ સોસાયટીના બાળકો દ્વારા સુંદર પાવાગઢ બનાવવામાં આવ્યો છે. તમે પણ તમારા નાનપણમાં આવો પાવાગઢ બનાવ્યો છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવો... 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.