રાજ્યમાં 205 તાલુકાઓમાં વરસાદ, 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ, હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-02 12:22:51

ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઓફ શોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના 19 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે.


205 તાલુકાઓમાં વરસાદ 
   

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ સાડા નવ ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા નવ ઈંચ, વલસાડાના કપરાડામાં સાડા આઠ ઈંચ, વલસાડાના પારડીમાં સાત ઈંચથી વધુ, વાપી અને વીસાવદરમાં 6.5 ઈંચ, ભેસાણ અને વલસાડમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 35 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 56 તાલુકાઓમાં 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 107 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ, જ્યારે 143 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.


 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ


રાજ્યમાં મુશળધાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને રાજ્યના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરેલા છે. જ્યારે ગુજરાતના 207 ડેમમાં 44.38 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 47.89 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.08 ટકા જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.42 ટકા જથ્થો છે. કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 51.73 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 14 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 45.73 ટકા જથ્થો છે. રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.