રાજ્યમાં 205 તાલુકાઓમાં વરસાદ, 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ, હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-02 12:22:51

ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઓફ શોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના 19 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે.


205 તાલુકાઓમાં વરસાદ 
   

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ સાડા નવ ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા નવ ઈંચ, વલસાડાના કપરાડામાં સાડા આઠ ઈંચ, વલસાડાના પારડીમાં સાત ઈંચથી વધુ, વાપી અને વીસાવદરમાં 6.5 ઈંચ, ભેસાણ અને વલસાડમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 35 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 56 તાલુકાઓમાં 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 107 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ, જ્યારે 143 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.


 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ


રાજ્યમાં મુશળધાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને રાજ્યના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરેલા છે. જ્યારે ગુજરાતના 207 ડેમમાં 44.38 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 47.89 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.08 ટકા જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.42 ટકા જથ્થો છે. કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 51.73 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 14 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 45.73 ટકા જથ્થો છે. રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.