રાજ્યમાં 205 તાલુકાઓમાં વરસાદ, 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ, હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ


  • Published By :
  • Published Date : 2023-07-02 12:22:51

ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ રહી છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સાથે માછીમારોને હજુ ત્રણ દિવસ દરિયો ન ખડેવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઓફ શોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના 19 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે.


205 તાલુકાઓમાં વરસાદ 
   

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ સાડા નવ ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા નવ ઈંચ, વલસાડાના કપરાડામાં સાડા આઠ ઈંચ, વલસાડાના પારડીમાં સાત ઈંચથી વધુ, વાપી અને વીસાવદરમાં 6.5 ઈંચ, ભેસાણ અને વલસાડમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. 18 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 35 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 56 તાલુકાઓમાં 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 107 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ, જ્યારે 143 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.


 207 ડેમ પૈકીના 19 ડેમ છલોછલ


રાજ્યમાં મુશળધાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને રાજ્યના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. ગુજરાતના 207 ડેમ પૈકી 19 ડેમ સંપૂર્ણ ભરેલા છે. જ્યારે ગુજરાતના 207 ડેમમાં 44.38 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 47.89 ટકા પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 31.08 ટકા જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમ પૈકી 1 ડેમ સંપૂર્ણ ભરેલો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.42 ટકા જથ્થો છે. કચ્છના 20 ડેમ પૈકી 4 ડેમ સંપૂર્ણ ભરેલા છે. કચ્છના 20 ડેમમાં 51.73 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમ પૈકી 14 ડેમ સંપૂર્ણ ભરેલા છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 45.73 ટકા જથ્થો છે. રાજ્યના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.