આ વખતે મેઘસવારીમાં થશે થોડો વિલંબ, 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-05-16 18:18:19

ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ (IMD)એ મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં ચોમાસાનું આગમન મોડું થશે. આમ તો સામાન્ય રીતે દેશમાં 1 જૂન સુધી કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. પરંતું આ વખતે 4 જુન સુધી રાહ જોવી પડશે. ચોમાસાની મોડી એન્ટ્રીના કારણે દેશમાં સામાન્ય લોકો અને ખેતીવાડી પર અસર પડી શકે છે. 


96% વરસાદનું અનુમાન


હવામાન વિભાગ (IMD) એ તેની અગાઉની આગાહીમાં કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. આ વર્ષે સરેરાશ 96% વરસાદ થવાનું અનુમાન છે. હવામાન અહેવાલો જારી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે પણ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. સ્કાયમેટના ફાઉન્ડર-ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું 1 જૂનને બદલે 7 જૂન સુધીમાં કેરળમાં આવી શકે છે. સ્કાયમેટ અનુસાર, 18 મેના રોજ ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને વાવાઝોડું આવી શકે છે.


7 દિવસ સુધી પારો વધશે પરંતુ હીટવેવની આશા નથી


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેના પ્રથમ પખવાડિયામાં લૂની સ્થિતિ ઓછી ગંભીર હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોને અસર કરી હતી. આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું હોવાથી, આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની કોઈ આશા નથી. જો કે, આ સમય દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 


કેરળ બાદ અન્ય ભાગોમાં ચોમાસું સક્રિય થાય છે


ચોમાસાનો પ્રારંભ સમયસર થાય તેનું ભારત માટે વિશેષ મહત્વ છે. આમાં વિલંબ થવા પર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો પર આ કારણે વિશેષ અસર થાય છે અને તેમની વાવણી અને ખેતી પ્રભાવિત થાય છે. ચોમાસું કેરળથી શરૂ થાય છે અને દેશના બાકીના ભાગમાં સક્રિય થાય છે. આવી સ્થિતિમાં, જો કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થાય છે, તો દેશના બાકીના ભાગોમાં  શું સ્થિતિ સર્જાય તે સમજી શકાય છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.