આ વખતે મેઘસવારીમાં થશે થોડો વિલંબ, 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-05-16 18:18:19

ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ (IMD)એ મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં ચોમાસાનું આગમન મોડું થશે. આમ તો સામાન્ય રીતે દેશમાં 1 જૂન સુધી કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. પરંતું આ વખતે 4 જુન સુધી રાહ જોવી પડશે. ચોમાસાની મોડી એન્ટ્રીના કારણે દેશમાં સામાન્ય લોકો અને ખેતીવાડી પર અસર પડી શકે છે. 


96% વરસાદનું અનુમાન


હવામાન વિભાગ (IMD) એ તેની અગાઉની આગાહીમાં કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. આ વર્ષે સરેરાશ 96% વરસાદ થવાનું અનુમાન છે. હવામાન અહેવાલો જારી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે પણ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. સ્કાયમેટના ફાઉન્ડર-ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું 1 જૂનને બદલે 7 જૂન સુધીમાં કેરળમાં આવી શકે છે. સ્કાયમેટ અનુસાર, 18 મેના રોજ ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને વાવાઝોડું આવી શકે છે.


7 દિવસ સુધી પારો વધશે પરંતુ હીટવેવની આશા નથી


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેના પ્રથમ પખવાડિયામાં લૂની સ્થિતિ ઓછી ગંભીર હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોને અસર કરી હતી. આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું હોવાથી, આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની કોઈ આશા નથી. જો કે, આ સમય દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 


કેરળ બાદ અન્ય ભાગોમાં ચોમાસું સક્રિય થાય છે


ચોમાસાનો પ્રારંભ સમયસર થાય તેનું ભારત માટે વિશેષ મહત્વ છે. આમાં વિલંબ થવા પર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો પર આ કારણે વિશેષ અસર થાય છે અને તેમની વાવણી અને ખેતી પ્રભાવિત થાય છે. ચોમાસું કેરળથી શરૂ થાય છે અને દેશના બાકીના ભાગમાં સક્રિય થાય છે. આવી સ્થિતિમાં, જો કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થાય છે, તો દેશના બાકીના ભાગોમાં  શું સ્થિતિ સર્જાય તે સમજી શકાય છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.