આ વખતે મેઘસવારીમાં થશે થોડો વિલંબ, 4 જૂન સુધીમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી: હવામાન વિભાગ


  • Published By :
  • Published Date : 2023-05-16 18:18:19

ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ (IMD)એ મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં ચોમાસાનું આગમન મોડું થશે. આમ તો સામાન્ય રીતે દેશમાં 1 જૂન સુધી કેરળમાં ચોમાસાની એન્ટ્રી થાય છે. પરંતું આ વખતે 4 જુન સુધી રાહ જોવી પડશે. ચોમાસાની મોડી એન્ટ્રીના કારણે દેશમાં સામાન્ય લોકો અને ખેતીવાડી પર અસર પડી શકે છે. 


96% વરસાદનું અનુમાન


હવામાન વિભાગ (IMD) એ તેની અગાઉની આગાહીમાં કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહી શકે છે. આ વર્ષે સરેરાશ 96% વરસાદ થવાનું અનુમાન છે. હવામાન અહેવાલો જારી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટે પણ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. સ્કાયમેટના ફાઉન્ડર-ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર, આ વખતે ચોમાસું 1 જૂનને બદલે 7 જૂન સુધીમાં કેરળમાં આવી શકે છે. સ્કાયમેટ અનુસાર, 18 મેના રોજ ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને વાવાઝોડું આવી શકે છે.


7 દિવસ સુધી પારો વધશે પરંતુ હીટવેવની આશા નથી


ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેના પ્રથમ પખવાડિયામાં લૂની સ્થિતિ ઓછી ગંભીર હતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઉત્તર-પશ્ચિમ ભારતના ભાગોને અસર કરી હતી. આગામી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું હોવાથી, આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની કોઈ આશા નથી. જો કે, આ સમય દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 


કેરળ બાદ અન્ય ભાગોમાં ચોમાસું સક્રિય થાય છે


ચોમાસાનો પ્રારંભ સમયસર થાય તેનું ભારત માટે વિશેષ મહત્વ છે. આમાં વિલંબ થવા પર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ખેડૂતો પર આ કારણે વિશેષ અસર થાય છે અને તેમની વાવણી અને ખેતી પ્રભાવિત થાય છે. ચોમાસું કેરળથી શરૂ થાય છે અને દેશના બાકીના ભાગમાં સક્રિય થાય છે. આવી સ્થિતિમાં, જો કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થાય છે, તો દેશના બાકીના ભાગોમાં  શું સ્થિતિ સર્જાય તે સમજી શકાય છે.



લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.