આનંદો! કેરળમાં થયું ચોમાસાનું આગમન, ગુજરાતમાં મેઘસવારીની વિધિવત એન્ટ્રી અંગે હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-08 16:19:50

રાજ્ય અને દેશમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર છે. દેશમાં મેઘસવારીના પ્રવેશ દ્વાર મનાતા કેરળ રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળના 75 ટકા વિસ્તારમાં ચોમાસાની દસ્તક થઇ ગઇ છે, ત્યારે હવામાન વિભાગે  રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીને લઇને અગત્યની માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 20થી 25 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થઇ શકે છે. મહારાષ્ટ્ર બાદ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.


ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએજણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાદ થઇ શકે છે. આવતી કાલે (શુક્રવાર)થી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદારા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી અને તે 40 કે તેનાથી નીચું રહેવાની શક્યતાઓ છે. વાવાઝોડું હવે વધારે તીવ્ર થઈ ગયું છે અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. 


બિપોરજોય વાવાઝોડુંની શું સ્થિતી છે?


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપોરજોય વાવાઝોડું ભયાનક બની ચૂક્યું છે અને તે અરબી સમુદ્રના પૂર્વ-મધ્યમમાં છે. બિપરજોય (Cyclone Biparjoy) વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડું 930 કિલોમીટરના અંતર પર રહેલું છે. વાવાઝોડું મોટાભાગે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે તેવી સંભાવના છે. વાવાઝોડાનો પવન 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.  જો કે તેની અસર 11 જૂને ગુજરાત ઉપર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.