આનંદો! કેરળમાં થયું ચોમાસાનું આગમન, ગુજરાતમાં મેઘસવારીની વિધિવત એન્ટ્રી અંગે હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-08 16:19:50

રાજ્ય અને દેશમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર છે. દેશમાં મેઘસવારીના પ્રવેશ દ્વાર મનાતા કેરળ રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળના 75 ટકા વિસ્તારમાં ચોમાસાની દસ્તક થઇ ગઇ છે, ત્યારે હવામાન વિભાગે  રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીને લઇને અગત્યની માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 20થી 25 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થઇ શકે છે. મહારાષ્ટ્ર બાદ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.


ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએજણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાદ થઇ શકે છે. આવતી કાલે (શુક્રવાર)થી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદારા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી અને તે 40 કે તેનાથી નીચું રહેવાની શક્યતાઓ છે. વાવાઝોડું હવે વધારે તીવ્ર થઈ ગયું છે અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. 


બિપોરજોય વાવાઝોડુંની શું સ્થિતી છે?


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપોરજોય વાવાઝોડું ભયાનક બની ચૂક્યું છે અને તે અરબી સમુદ્રના પૂર્વ-મધ્યમમાં છે. બિપરજોય (Cyclone Biparjoy) વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડું 930 કિલોમીટરના અંતર પર રહેલું છે. વાવાઝોડું મોટાભાગે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે તેવી સંભાવના છે. વાવાઝોડાનો પવન 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.  જો કે તેની અસર 11 જૂને ગુજરાત ઉપર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.