આનંદો! કેરળમાં થયું ચોમાસાનું આગમન, ગુજરાતમાં મેઘસવારીની વિધિવત એન્ટ્રી અંગે હવામાન વિભાગે કરી આ આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-08 16:19:50

રાજ્ય અને દેશમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે ખુશખબર છે. દેશમાં મેઘસવારીના પ્રવેશ દ્વાર મનાતા કેરળ રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળના 75 ટકા વિસ્તારમાં ચોમાસાની દસ્તક થઇ ગઇ છે, ત્યારે હવામાન વિભાગે  રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીને લઇને અગત્યની માહિતી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 20થી 25 જૂનથી ચોમાસાનું વિધિવત આગમન થઇ શકે છે. મહારાષ્ટ્ર બાદ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.


ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ


હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએજણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસાદ થઇ શકે છે. આવતી કાલે (શુક્રવાર)થી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદારા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી અને તે 40 કે તેનાથી નીચું રહેવાની શક્યતાઓ છે. વાવાઝોડું હવે વધારે તીવ્ર થઈ ગયું છે અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જો કે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ અમદાવાદમાં થંડર સ્ટ્રોમની અસર રહેશે. 


બિપોરજોય વાવાઝોડુંની શું સ્થિતી છે?


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિપોરજોય વાવાઝોડું ભયાનક બની ચૂક્યું છે અને તે અરબી સમુદ્રના પૂર્વ-મધ્યમમાં છે. બિપરજોય (Cyclone Biparjoy) વાવાઝોડું દરિયામાં આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડું 930 કિલોમીટરના અંતર પર રહેલું છે. વાવાઝોડું મોટાભાગે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરશે તેવી સંભાવના છે. વાવાઝોડાનો પવન 135થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે.  જો કે તેની અસર 11 જૂને ગુજરાત ઉપર થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જો વાવાઝોડું દરિયામાં વાવાઝોડું ફટાય તો ગુજરાત ઉપર નહિવત અસર થશે. પરંતુ જો વાવાઝોડાની ગતિ અને તીવ્રતા યથાવત રહી અને ગુજરાત તરફ વધ્યું તો તેની અસર દરિયાઈ સીમા સૌરાષ્ટ્ર પટ્ટા પર અને દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.