ખેલૈયાઓ આનંદો! ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની હવામાન વિભાગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-10-06 20:44:37

રાજ્ય હવામાન વિભાગે આજે ચોમાસા અંગે મહત્વની જાહેરાત કરી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાએ અંતે વિદાય લીધી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી તથા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે, અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીની અનુભૂતી થાય છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત નથી થઈ. આગામી 5 દિવસ આવું જ તાપમાન યથાવત રહેશે. આગામી 5 દિવસ વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. હાલ ગરમી અને ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે.  ચાલુ વર્ષે ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા. રાજ્યભરમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યા બાદ હવે ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે હાલ રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.  


મિશ્ર ઋતુનો થશે અનુભવ


રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તાપમાન 22થી 24 ડિગ્રી સેલ્શિયસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કહ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરના બે મહિના ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે તેથી તાપમાનમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. આ દરમિયાન ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે.


ગરબા આયોજકોને હાશકારો 


હવામાન વિભાગની આ જાહેરાતથી નવરાત્રીમાં ગરબે રમવા થનગની રહેલા ખેલૈયાઓ તેમ જ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ હાશકારો અનુભવ્યો છે. ઘણી નવરાત્રીમાં પહેલા જ દિવસે એક જોરદાર વરસાદી ઝાપટું આવી જાય તો પણ આખો માહોલ બગડી જતો હોય છે. આયોજકો અને ખેલૈયાઓએ ઘણા પૈસા ખર્ચી તૈયારી કરી હોય છે આથી વરસાદને લીધે તેના પર પાણી ફરી વળે છે.


રોગચાળોની ભીતી વધી


રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુને લીધે બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોની હૉસ્પિટલોમાં મલેરિયા, ટાઈફોડ, ડેંગ્યું જેવા રોગના દરદીઓની કતારો લાગી છે. વળી સખત ગરમીને લીધે લોકો બહારના ઠંડાપીણા પીવે છે જેથી પાણીજન્ય રોગનું પ્રમાણ પણ વધ્યું છે. આથી લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.