ખેલૈયાઓ આનંદો! ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની હવામાન વિભાગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-10-06 20:44:37

રાજ્ય હવામાન વિભાગે આજે ચોમાસા અંગે મહત્વની જાહેરાત કરી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસાએ અંતે વિદાય લીધી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસે ગરમી તથા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે, અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીની અનુભૂતી થાય છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત નથી થઈ. આગામી 5 દિવસ આવું જ તાપમાન યથાવત રહેશે. આગામી 5 દિવસ વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. હાલ ગરમી અને ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે.  ચાલુ વર્ષે ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહ્યા હતા. રાજ્યભરમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યા બાદ હવે ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે હાલ રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.  


મિશ્ર ઋતુનો થશે અનુભવ


રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તાપમાન 22થી 24 ડિગ્રી સેલ્શિયસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કહ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરના બે મહિના ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે તેથી તાપમાનમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. આ દરમિયાન ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે.


ગરબા આયોજકોને હાશકારો 


હવામાન વિભાગની આ જાહેરાતથી નવરાત્રીમાં ગરબે રમવા થનગની રહેલા ખેલૈયાઓ તેમ જ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ હાશકારો અનુભવ્યો છે. ઘણી નવરાત્રીમાં પહેલા જ દિવસે એક જોરદાર વરસાદી ઝાપટું આવી જાય તો પણ આખો માહોલ બગડી જતો હોય છે. આયોજકો અને ખેલૈયાઓએ ઘણા પૈસા ખર્ચી તૈયારી કરી હોય છે આથી વરસાદને લીધે તેના પર પાણી ફરી વળે છે.


રોગચાળોની ભીતી વધી


રાજ્યમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુને લીધે બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોની હૉસ્પિટલોમાં મલેરિયા, ટાઈફોડ, ડેંગ્યું જેવા રોગના દરદીઓની કતારો લાગી છે. વળી સખત ગરમીને લીધે લોકો બહારના ઠંડાપીણા પીવે છે જેથી પાણીજન્ય રોગનું પ્રમાણ પણ વધ્યું છે. આથી લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.