આતુરતાનો આવશે અંત! આગામી 24 કલાકમાં ચોમાસની વિધિવત થશે એન્ટ્રી, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-25 11:32:48

મેઘ મહેરની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં વિધિવત ચોમાસની એન્ટ્રી થઇ જશે.આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે.


મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં વિધીવત રીતે ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે, અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. 


આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગર હવેલી, નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.


ગઈ કાલે આ જિલ્લાઓમાં થઈ મેઘમહેર


સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોધરામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત ગઈકાલે વડોદરા જિલ્લાના ડેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.04 ઈંચ, ભાવનગર જિલ્લાના જેસરમાં 2.04 ઈંચ, પંચમહાલ જિલ્લાના હાલોલમાં 2 ઈંચ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 1.9 ઈંચ, ખેડા જિલ્લાના ઠાસરામાં 1.6 ઈંચ, વડોદરા જિલ્લાના સાવલીમાં 1.6 ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.3 ઈંચ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં 1.2 ઈંચ, ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 1.2 ઈંચ, વડોદરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 68 જેટલા જિલ્લાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 44 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.