આતુરતાનો આવશે અંત! આગામી 24 કલાકમાં ચોમાસની વિધિવત થશે એન્ટ્રી, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-25 11:32:48

મેઘ મહેરની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં વિધિવત ચોમાસની એન્ટ્રી થઇ જશે.આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે.


મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં વિધીવત રીતે ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે, અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. 


આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગર હવેલી, નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.


ગઈ કાલે આ જિલ્લાઓમાં થઈ મેઘમહેર


સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોધરામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત ગઈકાલે વડોદરા જિલ્લાના ડેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.04 ઈંચ, ભાવનગર જિલ્લાના જેસરમાં 2.04 ઈંચ, પંચમહાલ જિલ્લાના હાલોલમાં 2 ઈંચ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 1.9 ઈંચ, ખેડા જિલ્લાના ઠાસરામાં 1.6 ઈંચ, વડોદરા જિલ્લાના સાવલીમાં 1.6 ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.3 ઈંચ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં 1.2 ઈંચ, ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 1.2 ઈંચ, વડોદરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 68 જેટલા જિલ્લાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 44 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.