આતુરતાનો આવશે અંત! આગામી 24 કલાકમાં ચોમાસની વિધિવત થશે એન્ટ્રી, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-25 11:32:48

મેઘ મહેરની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં વિધિવત ચોમાસની એન્ટ્રી થઇ જશે.આજ સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી મોહાલ છવાયો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે.


મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં વિધીવત રીતે ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસાની એન્ટ્રી થશે, અને આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર રીતે મેઘરાજાની એન્ટ્રી થશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદનો અનુમાન છે. 


આ જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગર હવેલી, નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે.


ગઈ કાલે આ જિલ્લાઓમાં થઈ મેઘમહેર


સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ગાંધીનગર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગોધરામાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત ગઈકાલે વડોદરા જિલ્લાના ડેસરમાં 2.7 ઈંચ, આણંદમાં 2.4 ઈંચ, પંચમહાલ જિલ્લાના કાલોલમાં 2.04 ઈંચ, ભાવનગર જિલ્લાના જેસરમાં 2.04 ઈંચ, પંચમહાલ જિલ્લાના હાલોલમાં 2 ઈંચ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 1.9 ઈંચ, ખેડા જિલ્લાના ઠાસરામાં 1.6 ઈંચ, વડોદરા જિલ્લાના સાવલીમાં 1.6 ઈંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.3 ઈંચ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં 1.2 ઈંચ, ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 1.2 ઈંચ, વડોદરામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 68 જેટલા જિલ્લાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો. રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 44 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.