મોદી સરકાર સામે વિપક્ષ એકજુથ, સંસદના ચોમાસુ સત્રમાં આ મુદ્દાઓ પર સરકારને ઘેરવા બનાવી રણનીતિ


  • Published By :
  • Published Date : 2023-07-16 13:46:25

કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે સંકેત આપ્યો કે કોંગ્રેસ કેજરીવાલ સરકારની સાથે છે. જયરામે સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. વિપક્ષોની બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસની યાદીમાં મણિપુર હિંસાનો મુદ્દો સૌથી મહત્વનો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે ગૃહમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલો મુદ્દો મણિપુરનો છે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાનની હાજરીમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થાય. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 


આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે વિપક્ષ


કોંગ્રેસના નેતા જયરામ રમેશે અગાઉ, સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયરામ રમેશે બેઠક બાદ કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા સંઘીય માળખા પરના હુમલાને રાજ્યપાલો દ્વારા સંસદમાં ઉઠાવીશું. આ સિવાય કોંગ્રેસ મણિપુર હિંસા, બાલાસોર ટ્રેન દુર્ઘટના, GSTને PMLA હેઠળ લાવવું, મોંઘવારી,મહિલા કુસ્તીબાજોની સતામણી, અદાણી હિંડનબર્ગ વિવાદ મુદ્દે જેપીસીની માંગ સહિતના મુદ્દે વિપક્ષ સંસદમાં સરકારને ઘેરશે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.