મોદી સરકાર સામે વિપક્ષ એકજુથ, સંસદના ચોમાસુ સત્રમાં આ મુદ્દાઓ પર સરકારને ઘેરવા બનાવી રણનીતિ


  • Published By :
  • Published Date : 2023-07-16 13:46:25

કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના અગ્રણી નેતા જયરામ રમેશે સંકેત આપ્યો કે કોંગ્રેસ કેજરીવાલ સરકારની સાથે છે. જયરામે સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. વિપક્ષોની બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસની યાદીમાં મણિપુર હિંસાનો મુદ્દો સૌથી મહત્વનો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે અમે ગૃહમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલો મુદ્દો મણિપુરનો છે. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાનની હાજરીમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થાય. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. 


આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે વિપક્ષ


કોંગ્રેસના નેતા જયરામ રમેશે અગાઉ, સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં સંસદના આગામી ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનાર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જયરામ રમેશે બેઠક બાદ કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા સંઘીય માળખા પરના હુમલાને રાજ્યપાલો દ્વારા સંસદમાં ઉઠાવીશું. આ સિવાય કોંગ્રેસ મણિપુર હિંસા, બાલાસોર ટ્રેન દુર્ઘટના, GSTને PMLA હેઠળ લાવવું, મોંઘવારી,મહિલા કુસ્તીબાજોની સતામણી, અદાણી હિંડનબર્ગ વિવાદ મુદ્દે જેપીસીની માંગ સહિતના મુદ્દે વિપક્ષ સંસદમાં સરકારને ઘેરશે.




ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.